ગોંડલ તા.29 (જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ શહેર નાં મોટાં ભાગનાં રાજમાર્ગો સહીત રોડ રસ્તા ટનાટન બન્યાં બાદ ધારાસભ્ય તથા નગરપાલિકા દ્વારા રાજમાર્ગો ની ફુટપાથો ને પેવર બ્લોક થી મઢવા નું કાયૅ શરું કરાયું હોય ગંદાળા દરવાજા થી શ્યામ વાડી ચોક સુધી રુ.44 લાખ નાં ખર્ચે બની રહેલી ફુટપાથો નું ખાત મુહુર્ત માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના હસ્તે કરાયું હતું.
સંસ્કૃતિ સજંક મહારાજા ભગવતસિંહજી નાં રાજવી કાળ માં રોડ રસ્તા અને પહોળી ફુટપાથો વિશ્રવ કક્ષાએ પ્રખ્યાત હતી. મહારાજા ની નગરરચનાં ચિરંજીવી બની રહે તે માટે સર્ચ્યુત કામગીરી નાં ભાગ રુપે ધારાસભ્ય ગીતાબા જાડેજા નાં માગૅદશન હેઠળ નગરપાલિકા નાં પ્રમુખ અશોકભાઈ પીપળીયા,ઉપ પ્રમુખ અપૅણા બેન આચાર્ય, કારોબારી અધ્યક્ષ પૃથ્વી સિંહ જાડેજા સહીત નાં તંત્ર દ્વારા રાજમાર્ગો નાં આધુનિકરણ માટે કટિબદ્ધ બની ફુટપાથો પર પેવર બ્લોક, અધતન લાઇટીંગ,વૃક્ષારોપણ સહીત ની કામગીરી શરું કરાઇ છે.ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર માં સિમેન્ટ નાં રોડ રસ્તા બનાવવાં ગોંડલ નગરપાલિકા અવ્વલ સ્થાન ધરાવે છે.ત્યારે ફુટપાથો નું કાયૅ યુદ્ધ નાં ધોરણે શરું કરાયું હોય જયરાજસિંહ જાડેજા દ્વારા અપાયેલું આધુનિક ગોંડલ નાં સુત્ર વેગવંતુ બન્યું છે.
********


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો