અનુયાયીઓ

રવિવાર, 29 નવેમ્બર, 2020

૬૯ વર્ષીય પુષ્પાબેન મેર અને હંસાબેન ધોકિયાને કોરાનો મૂકત કરતા રાજકોટ કોવીડ-૧૯ હોસ્પીટલના આરોગ્ય કર્મિઓ

 

  માત્ર સારવાર જ નહીં પણ આપ્તજનસમી હુંફ અને સધિયારા વડે કોરોના દર્દીઓ માટે બીજુ ઘર પુરવાર થતું રાજકોટ કોવીડ-૧૯ હોસ્પીટલ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

મા ને કોરોના થતાં માતાની જીવવાની આશા મુકી દીધી હતી, પણ રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલના તબીબોએ તેમને સ્વસ્થ બનાવી આશાનો દિપ જલાવ્યો

-    ઋષીકેશભાઇ મેર

રાજકોટ - વર્તમાન કોરોનાની મહામારીને કારણે અનેક લોકો રોગ અને તેની સારવારની માહિતીથી અજાણ હોવાથી અને માત્ર સાંભળેલી વાતોથી દેારવાઇને જીંદગી પ્રત્યે હતાશા અનુભવતા હોવાનું સામાન્યતઃ જોવા મળે છે. પરંતુ રાજકોટ કોવિડ-૧૯ હોસ્પિટલના નિષ્કામ અને ફરજપરસ્તી સાથે રાષ્ટ્ર સેવાને સમર્પીત આરોગ્ય કર્મીઓની સેવાની જયોત આવા હતાશ દર્દીઓ માટે હરહંમેશ આશાનો દિપ પ્રજવલીત રાખવા તત્પર રહયો છે.



 

            આ બાબતની સાક્ષી પુરતા રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલમાંથી તાજેતરમાંજ કોરોના સંક્રમણથી મૂકત બની સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફરતા ૬૯ વર્ષીય પુષ્પાબેન મેરના પુત્ર શ્રી ઋષીકેશભાઇ સંતોષની લાગણી સાથે જણાવે છે કે મારી માતાને કોરોના થતાં મને માતાની જીવવાની આશા ધુંધળી ભાસતી હતી. પરંતું રાજકોટ સિવીલ હોસ્પિટલના ડોકટરોએ દેવદુત બની અમારો સહારો બન્યા છે. તેઓએ મારી માતાની આપ્તજનસમી સેવા કરી છે. તેઓની નિયમીત દવાઓ, સતત દેખરેખ સારવાર અને ખાસ તો વારંવાર માતાને સધિયારા સાથે હિંમત અને હુંફ આખરે કારગર બની મારી માતાને સ્વસ્થ બનાવ્યા છે.

આવા જઅન્ય કોરોનાને હરાવી સ્વસ્થ બનેલા અને અહોભાવની લાગણીથી ગદગદીત હંસાબેન જીવનભાઇ ધોકિયા કહે છે કે કોવિડ-૧૯ હોસ્પિટલના આરોગ્યકર્મીઓની સધન સારવાર, નિયમીત અને સમયસર દવાઓ, દરરોજ પોષક આહાર સાથે નાસ્તો અને અન્ય સુવિધા સાથે ઘરના આત્મીયજન કરતા પણ વિશેષ હુંફ અને દેખરેખ એ આ સમયમાં અકલ્પનિય છે. સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના કોરોના દર્દીઓ પ્રત્યેની સંવેદના અને મોંઘેરી સારવાર નિઃશુલ્ક આપાય તેવી સુદ્રઢ વ્યવસ્થા કરી છે. આવી જ સંવેદનાથી સભર આરોગ્યકર્મીઓની આત્મિયતા અને સેવાએ મને નવી જિંદગી બક્ષી છે. એટલું જ નહીં વીડીયો કોલીંગ દ્વારા ઘરના સભ્યો સાથે સતત સંપર્ક બનાવી આપી તેઓએ કયારેય ઘરની ખોટ સાલવા દીઘી નથી.

ટિપ્પણીઓ નથી: