અનુયાયીઓ

ગુરુવાર, 12 માર્ચ, 2015

ઔદિચ્‍ય સહસ્ત્ર ચિભડીયા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રહ્મસમાજની સ્‍થાપનાઃ પ્રમુખ તરીકે પ્રભુલાલ ત્રિવેદી

>


ઔદિચ્‍ય સહસ્ત્ર  ચિભડીયા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રહ્મસમાજની સ્‍થાપનાઃ પ્રમુખ તરીકે પ્રભુલાલ ત્રિવેદી

સંગઠનને મજબુત બનાવવા તાલુકા અને જીલ્લા લેવલે જ્ઞાતીનાં યુવાનો અને મહિલાઓનાં સંગઠનો બનાવી હોદે્‌દારોની નિમણુક કરાશે


જેતપુર તા.12  સૌરાષ્‍ટ્ર-કચ્‍છનાં જીલ્લા, તાલુકા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વસતાં ઔદિચ્‍ય સહષા ચિભડીયા બ્રહ્મસમાજ પરીવારનું સંગઠન મજબુત બનાવવા અને એક છત નીચે લાવવા માટે રાજકોટમાં શ્રી ઔદિચ્‍ય સહષા ચિભડીયા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રહ્મસમાજ નામની સંસ્‍થાની સ્‍થાપના કરવામાં આવેલ છે. આ અંગેમળેલ મીટીંગમાં સંગઠનને વધુ બળવતર બનાવવા માટે હાલ શ્રી પ્રભુલાલ કે. ત્રિવેદીની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

   સાથે સાથે અમરેલીમાં ડી.જી. મહેતા ધારીમાં એડવોકેટ માધવરાય ભાનુશંકર જોષી, ખાંભામાં લલીતભાઇ મનસુખભાઇ ભટ્ટ, જુનાગઢમાં દિલીપભાઇ હરેન્‍દ્રભાઇ ભટ્ટ, જેતપુરમાં જીતેન્‍દ્રભાઇ જયસુખલાલ જોષી (પત્રકાર), કશ્‍યપ જયસુખલાલ જોશી (પત્રકાર) , રાજુલામાં ભરતભાઇ રાજયગુરૂ, બાબરામાં નિરંજનભાઇ ધીરજલાલ રાજયગુરૂ, ગોંડલમાં વસંતરાય ગીરજાશંકર ભટ્ટની નિમણુક કરવામાં આવેલ છે. ઉપરોકત મીટીંગમાં પ્રભુલાલભાઇ ત્રિવેદી, દિનેશભાઇ રાવલ, સુભાષભાઇ ઠાકર, અમુભાઇ ત્રિવેદી, હર્ષદભાઇ ઠાકર, ઉદયભાઇ ઠાકર, અશોકભાઇ જોષી, રાજુભાઇ જોષી, અરવિંદભાઇ રાવલ, કમલેશભાઇ ઠાકર, જયપ્રકાશભાઇ ભટ્ટ, દિનેશભાઇ ત્રિવેદી, અશ્વિનભાઇ દવે, ભાલચંદ્રભાઇ ત્રિવેદી, કિશોરભાઇ હરીલાલ ઠાકર, તથા કિશોરભાઇ એચ. જોષી હાજર રહેલ હતાં. સંગઠનના સભ્‍યપદ માટે પ્રભુલાલભાઇ કે. ત્રિવેદી,(મોઃ- ૯૩૭૪૧ ૨૭૭૭૯), કમલેશભાઇ ઠાકર (મોઃ- ૯૪૨૬૨ ૨૯૨૦૮)નો અથવા સંસ્‍થાના હંગામી કાર્યાલયનાં સરનામે- ૩૩૧, સદ્‌ ગુરૂ આર્કેડ, જીવન કોમ બેંક પાસે, ઢેબર રોડ (વન-વે), રાજકોટ ખાતે સાંજે ૬-૩૦ થી ૮-૦૦ વાગ્‍યા વચ્‍ચે રૂબરૂ સંપર્ક કરવો તેમ સંસ્‍થાની યાદી જણાવે છે.


કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


9974262812