અનુયાયીઓ

ગુરુવાર, 12 જુલાઈ, 2012

રૂસ્તમ-એ-હિંદ દારાસિંહનું અવસાન..............

મુંબઈ : રૂસ્તમ-એ-હિંદ દારાસિંહનું અવસાન..............
થોડા દિવસથી જિદંગી અને મોત વચ્ચેની જંગમાં આખરે દારાસિંહે આજે દુનિયાને
છોડી દીધી. આજરોજ દારસિંહનું તેમના નિવાસ- સ્થાને અવસાન થયું હતું. આજરોજ
તેમના અંતિમસંસ્કાર વિલેપાર્લે પાસે આવેલ પવનહં...સ સ્મશાનઘાટ પર થશે.

તેમની નાંદુરસ્ત તબિયતને કારણે તેમને 7 જુલાઇના રોજ કોકિલાબેન અંબાણી
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસથી તેમની તબિયત વધુ
ને વધુ બગડતી જતી હતી. ડોકટરોએ કાલે જ તેમની હાલત વધુ ગંભીર છે તેવું
જણાવી દીધું હતું.

હોસ્પિટલના ડોકટરોએ તે જીવિત રહેશે તેવી આશા છોડી દીધી હતી. ડોકટરોના આ
મતને કારણે તેમને કાલે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેમને તેમના
નિવાસસ્થાને લઇ જવામાં આવ્યા હતા જયાં તેમણે આજરોજ દેહ છોડી દીધો હતો.

આજે સવારે બિંદુએ મીડિયા સમક્ષ આવી તેમના અવસાનની જાણ કરી હતી. તેણે એ
તમામ લોકોનો આભાર માન્યો હતો જે લોકોએ દારાસિંહની તબિયત સુધારા માટે
ભગવાનને પ્રાર્થના કરી હતી. રૂસ્તમ-એ-દારાસિંહ 84 વર્ષના હતા અને
બીમારીને કારણે તેમના માથાના ભાગમાં વધુ અસર થઇ હતી.See More—