ગુજરાતના આ ગામમાં કોઇ પણ ગુટખા વેચતું નથી કે ખાતું નથી
>
> ગુજરાત સરકારે ઓગસ્ટ ૨૦૧૩ માં ગુજરાતમાં ગુટખા બંદી લાદી હતી પણ કચ્છ ના રાપર તાલુકાના બાલાસર ગામમાં છેલ્લા ૧૯ વર્ષથી ગુટકાની પડીકી જેવા વ્યસનોને તિલાંજલિ અપાઇ ચૂકી છે. અહીં કોઈ પણ વ્યક્તી ગુટખા વેંચાતી પણ નથી અને ખાતી પણ નથી. મૂળ કચ્છીઓ સાથે જોડાયેલી માનવ સંસ્થા કરેલા સંકલ્પના લીધે ગામના લોકોને કૃત્રિમ રીતે આરોગ્યને થતી અસરો સામે રક્ષણ મેળવી શકાઇ રહ્યું છે. માનવ સંસ્થાના કાર્યકરો ની અથાગ મહેનત ને લીધે આજે આ સંકલ્પ ની સારી અસર જોવા મળી રહી છે. (Courtesy : Divya Bhaskar)
>
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 16 નવેમ્બર, 2015
કોઇ ગુટખા ખાતું નથી
Fwd: લોકચર્ચા અપડેટ્સ ૧૬-૧૧
---------- Forwarded message ----------
From: kashyap joshi <kkumarjoshi@gmail.com>
Date: Mon, Nov 16, 2015 at 9:49 PM
Subject: લોકચર્ચા અપડેટ્સ ૧૬-૧૧
To: kashyapj joshij <kkumarjoshi@gmail.com>, kashyapj joshij <kashyapjoshipatrakar@yahoo.com>, Atul Chotai <kasumbo@yahoo.co.in>
From: kashyap joshi <kkumarjoshi@gmail.com>
Date: Mon, Nov 16, 2015 at 9:49 PM
Subject: લોકચર્ચા અપડેટ્સ ૧૬-૧૧
To: kashyapj joshij <kkumarjoshi@gmail.com>, kashyapj joshij <kashyapjoshipatrakar@yahoo.com>, Atul Chotai <kasumbo@yahoo.co.in>
રાજકોટના બે વેપારીઓ પાસેથી રૂ.૭૫૦૦ ની લુંટ ચલાવતા કાઠી બાપુ ! દંડ આપવો પડશે કહી લુંટ્યા !!
ખોડલધામ ખાતે દર્શન કરી બાવળના છાયડે બેઠેલા
રાજકોટના બે વેપારીઓ પાસેથી રૂ.૭૫૦૦ ની લુંટ
ચલાવતા કાઠી બાપુ ! દંડ આપવો પડશે કહી લુંટ્યા !!
જેતપુર તા.૧૬ (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે બપોરે જેતપુરના કાગવડ મોણપર ગામની સીમમાં એક ખેતરમાં બેઠેલા રાજકોટના એક વેપારી સહીત બે શ્રધ્ધાળુઓને એક કાઠી બાપુએ ડારો ડફારો આપી રૂપિયા ૭૫૦૦/- લુંટી લીધા હોવાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.એન.કરમટીયાએ તપાસનો ધમધમાટ શરુ કરી કસુરવાર બાપુને ઝાલી લેવા ચક્ર્રો ગરિમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ રાજકોટના નાના માવા વિસ્તારમાં મલય રેસીડેન્સીમાં રહેતા મનસુખભાઈ મોહનભાઈ પટેલ અને તેમના મિત્ર રાજુભાઈ ગઈકાલે જેતપુર તાલુકાના કાગવડમાં આવેલ માં ખોડલધામના દર્શન માટે આવ્યા હતા.
દરમિયાન દર્શન કરી આ બંને રાજકોટવાસી શ્રદ્ધાળુઓ મોણપર - કાગવડની સીમમાં આવેલ એક ખેતરમાં ઉભેલા બાવળના છાયડે બપોરનું વાળું(ભોજન)કરી રહ્યા હતા ત્યારે ત્યારે જીલુભાઈ નામના કાઠી દરબાર બાપુ ત્યાં ચડી આવી, '' મારા ખેતરમાં તમારે જમવા બેસાય જ કેમ ? હવે તમારે દંડ આપવો પડશે તેવું બોલી માથાકૂટ કરતા મનસુખભાઈ અને રાજેશભાઈને જમવાનું બગડ્યું હતું.
આવા સમયે જટ મામલો વધારે બિચકે તે પહેલા ખેતરમાંથી બહાર નીકળવા પ્રયાસ કરતા આ બંને મનસુખભાઈ અને રાજેશભાઈને રોકી ઉપરોક્ત બાપુએ મનસુખભાઈના ખિસ્સામાંથી રૂપિયા ૭૫૦૦/- રોકડા પડાવીને લુંટ કરી, આ બાબતે જો કોઈને કહેશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા, રાજકોટના વેપારી મનસુખભાઈ સાહેદ રાજુભાઈ સાથે ડઘાઈને જેતપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોચી ગયા હતા.
જેતપુર તાલુકા ફોજદાર આર.એન.કરમટીયાએ રાજકોટના મનસુખભાઈ પટેલની ફરિયાદ પરથી જીલુભાઈ કાઠી દરબાર નામના માણસ સામે વિધિવત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોણપર અને કાગવડ ગામના જાગૃત માણસોએ વણમાંગ્યો દાખલો આપતા જણાવેલ કે આજે છાંયડા અને પાણીના પરબ માટે દાતાઓ મરી પડે છે, ત્યારે આ બનાવમાં બાપુએ ડારા ડફારો બતાવી રાજકોટના બે શ્રધ્ધાળુઓને આમ લુંટી લીધા તે ખોટું તો થયું જ છે. !!
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર ૫૩ મુરતિયાઓ વચ્ચે ખેલાશે ચુંટણી જંગ..
જેતપુરતાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર
૫૩ મુરતિયાઓ વચ્ચે ખેલાશે ચુંટણી જંગ..
૧૯ ભાજપ-૧૯ કોંગ્રેસ-૧૫ અપક્ષ અને ૩ બસપાના ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે.
જેતપુર તા.૧૬(કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા પંચાયતની આગામી ૨૯ મી તારીખે યોજાનાર ચુંટણીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના દિવસે આજે ચિત્ર સ્પષ્ટ થઇ જતા હવે કુલ ૫૩ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાનાર હોવાનું જેતપુર મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર નીખીલ મેહતાએ જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પંચાયતની આગામી ૨૯ મી નવેમ્બરે યોજાનાર ચૂટણીમાં કુલ ૨૦ બેઠકો પર ૫૩ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે. આમાં ૧૯ ભાજપ, ૧૯ કોંગ્રેસ, ૧૫ અપક્ષ અને ૩ બહુજન સમાજવાદી પાર્ટી ના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે જેતપુરની વાડાસડા બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર રમાબેન ચંદુભાઈ કરકર નામના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. કારણ તે જ બેઠક પર તેમના પતિ ચંદુભાઈ રવજીભાઈ કરકરે પણ ફોર્મ ભર્યું હતું. તેઓએ ઉમેદવારી ચાલુ રાખી છે.
જયારે અમરનગર બેઠક પર કોંગીના ઉમેદવારે જાતિનું પ્રમાણપત્ર નહિ રજુ કરતા આજે તેમનું ફોર્મ રદ થતા ભાજપના રસીલાબેન વિનુભાઈ વસોયા આપોઆપ બિન હરીફ જાહેર થયા હતા. આ બાબતે સ્ટેશન વાવડીના સામાજિક કાર્યકર રોહિત ગીરધરલાલ ભટ્ટીએ જણાવેલ કે તેમના સ્ટેશન વાવડી ગામના જાનકીબેન કેતનભાઈ સુવાગીયાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું હતું. પણ જાનકીબેન પોતાની જાતિનું પ્રમાણપત્ર રજુ કરવામાં નિષ્ફળ નીવડતા તેઓનું ફોર્મ રદ થયું હતું.
કશ્યપ જોશી જેતલસર જેતપુર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)











