અનુયાયીઓ

શુક્રવાર, 5 જૂન, 2015

જેતપુર શહેર પંથકમાં વરસાદના અમી છાંટણા

જેતપુર શહેર પંથકમાં વરસાદના અમી છાંટણા 
જેતપુર તા.5
જેતપુર શહેર અને પંથકમાં આજે બપોર સુધી પ્રજાને ગરમીએ અકળાવ્યા બાદ સાંજે એકાએક હવામાનમાં પલટો આવતા વાઝળી શરુ થઇ હતી. જોતજોતામાં આકાશમાં કાળા વાદળા અને વાતાવરણમાં ઠંડી લહેરકી પ્રસરી જતા શહેરીજનો જુમી ઉઠ્યા હતા. એક તબક્કે રસ્તે આવતા જતા રાહદારીઓ અને પ્રજાજનો આકાશ સામે મિટ માંડી જાણે મેઘરાજાને બોલાવી રહ્યા હોય અને મેઘાએ પણ જેતપુરવાસીઓના આવકારાને વધાવ્યો હોય તેમ અમી છાંટણાં ચાલુ કરતા સૌમાં રાજીપો છવાયો હતો. પંથકના જેતલસર ગામે પણ એક વરસાદી ઝાંપટાએ ગરમીથી અકળાઈને મકાનોની અગાશી ઉપર સુતા લોકોને ગાદલા ગોદળા નીચે ઉતારવા દોડાવ્યા હોવાની વિગતો મળી હતી.
કશ્યપ, જેતપુર-જેતલસર 

Fwd:

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના પ્રમુખની માનવતા 
રૂ.8 હજારનો મળેલો મોબાઈલ 
મૂળ માલિકને શોધી પરત આપ્યો
રબારીકાના યુવાને કાળી મજુરી કરી મોબાઈલ ખરીદ્યો હતો.
જેતપુર તા.5
જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખ જેન્તીભાઈ ઉર્ફે કાળુભાઈ જોષીએ નવાગઢ રોડ પરથી મળેલ રૂપિયા 8000 નો મોબાઈલ મૂળ માલિકને શોધી પરત આપી '' માનવતા મરી ના પરવારી હોવાની'' કહેવત સાબિત કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા અને સાડી ધોલાઈઘાટમાં મજુરી કરતા મુકેશ બચુભાઈ ભડલિયાનો ગત રાતીના મોબાઈલ ખોવાઈ ગયો હતો. પરસેવાની કમાણીમાંથી ખરીદેલુ સંદેશાવ્યવહારનું આ પ્રસાધન ખોવાઈ જતા મુકેશ હાંફળો ફાંફળો થઈને મોબાઈલ શોધતો હતો. પણ ક્યાંય મળ્યો નહોતો.
બીજીબાજુ પોતાના જીવનને સેવામાં સમર્પિત કરી દેનાર, વર્તમાન સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ અને જેતપુરમાં શ્રી હરિઓમ ટ્રસ્ટ સંચાલિત ભોજનાલય દ્વારા માત્ર 10 રૂપિયામાં ગરીબોને ભાવતું ભોજન પીરસતા જેન્તીભાઈ ઉર્ફે કાળુભાઈ ઉર્ફે જોશીબાપાને નવાગઢ નેશનલ હાઈવે પરથી આ મોબાઈલ મળતા તેઓએ ઉપરોક્ત મૂળ માલિકને શોધીને કોઈ પણ અપેક્ષા વગર મોબાઈલ પરત કરી બ્રહ્મસમાજમાં માનવતાના દર્શન કરાવ્યા હતા. કાળુભાઈએ ઉપરોક્ત યુવાનને માત્ર એક શીખ આપી હતી કે કોઈ પણ વસ્તુ તમોને મળે તો કુદરતનો ડર રાખી મૂળ માલિકને પહોચાડજો, ભગવાન તમને બદલો આપી દેશે..
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 

જેતપુરમાં બ્રહ્મસમાજના તેજસ્વી તારલાઓને સન્માન્વાનું આયોજન - સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર દ્વારા 11-11 સમુહલગ્ન-યજ્ઞોપવીતનું આયોજન

જેતપુરમાં બ્રહ્મસમાજના તેજસ્વી 
તારલાઓને સન્માન્વાનું આયોજન
જેતપુર તા.5 
જેતપુર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના તેજસ્વી તારલાઓને સત્કારવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.19.7.2015 ના રોજ યોજાનાર આ કાર્યક્રમનો લાભ લેવા ઈચ્છતા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓના વાલીઓએ વિજય ઝેરોક્ષ - તીનબત્તી ચોક, સરસ્વતી બૂક સ્ટોર - સ્ટેન્ડચોક, અવધ વિદ્યાલય - ભાદર સામા કાંઠે, જેતપુર ખાતેથી ફોર્મ્સ મેળવી, ભરી તા. 8.7.2015 સુધીમાં પરત કરી જવા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ સહિતની કારોબારી સમિતિનો અનુરોધ છે.

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર દ્વારા 
11-11 સમુહલગ્ન-યજ્ઞોપવીતનું આયોજન
જેતપુર તા.5
સમસ્ત બ્રહ્મસમાજ, જેતપુર દ્વારા આગામી 6-12-2015 ના રોજ અહી માત્ર બ્રહ્મસમાજના 11 સમૂહલગ્ન તથા 11 બટુકોના યજ્ઞોપવીત(જનોઈ)નું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને કાર્યક્રમોનો લાભ લેવા ઈચ્છતા યુવક યુવતીઓના તેમજ બટુકોના વાલીઓએ પ્રમુખ જેન્તીભાઈ જોશી(9426900363), મંત્રી હિતેશભાઈ રાવલ(9426968307), કારોબારી સભ્યો પ્રવીણભાઈ વ્યાસ(9879683835), ઉપેન્દ્રભાઈ વ્યાસ(9979441244), તથા આશિષ પંડ્યા(9429474711) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

કશ્યપ જોશી જેતપુર (જેતલસર)