અનુયાયીઓ

શુક્રવાર, 5 જૂન, 2015

Fwd:

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના પ્રમુખની માનવતા 
રૂ.8 હજારનો મળેલો મોબાઈલ 
મૂળ માલિકને શોધી પરત આપ્યો
રબારીકાના યુવાને કાળી મજુરી કરી મોબાઈલ ખરીદ્યો હતો.
જેતપુર તા.5
જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખ જેન્તીભાઈ ઉર્ફે કાળુભાઈ જોષીએ નવાગઢ રોડ પરથી મળેલ રૂપિયા 8000 નો મોબાઈલ મૂળ માલિકને શોધી પરત આપી '' માનવતા મરી ના પરવારી હોવાની'' કહેવત સાબિત કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા અને સાડી ધોલાઈઘાટમાં મજુરી કરતા મુકેશ બચુભાઈ ભડલિયાનો ગત રાતીના મોબાઈલ ખોવાઈ ગયો હતો. પરસેવાની કમાણીમાંથી ખરીદેલુ સંદેશાવ્યવહારનું આ પ્રસાધન ખોવાઈ જતા મુકેશ હાંફળો ફાંફળો થઈને મોબાઈલ શોધતો હતો. પણ ક્યાંય મળ્યો નહોતો.
બીજીબાજુ પોતાના જીવનને સેવામાં સમર્પિત કરી દેનાર, વર્તમાન સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ અને જેતપુરમાં શ્રી હરિઓમ ટ્રસ્ટ સંચાલિત ભોજનાલય દ્વારા માત્ર 10 રૂપિયામાં ગરીબોને ભાવતું ભોજન પીરસતા જેન્તીભાઈ ઉર્ફે કાળુભાઈ ઉર્ફે જોશીબાપાને નવાગઢ નેશનલ હાઈવે પરથી આ મોબાઈલ મળતા તેઓએ ઉપરોક્ત મૂળ માલિકને શોધીને કોઈ પણ અપેક્ષા વગર મોબાઈલ પરત કરી બ્રહ્મસમાજમાં માનવતાના દર્શન કરાવ્યા હતા. કાળુભાઈએ ઉપરોક્ત યુવાનને માત્ર એક શીખ આપી હતી કે કોઈ પણ વસ્તુ તમોને મળે તો કુદરતનો ડર રાખી મૂળ માલિકને પહોચાડજો, ભગવાન તમને બદલો આપી દેશે..
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 

ટિપ્પણીઓ નથી: