અનુયાયીઓ

મંગળવાર, 3 જુલાઈ, 2012

ચિંતા મેં ચિતા બનાવી સળગાવી મેં,..

ચિંતા મેં ચિતા બનાવી સળગાવી મેં,..


પણ હજી ક્યાંક ધુમાડા સ્પર્શે છે મને,..


જાણતી નથી કે શું પજવે છે મને,..


કારણ ,કિસ્સા ,કોયડા,..


કંઈક તો છે જે તપવે મને,..


અંધકાર ના ઓરડા માં,


શીદ ને લજવે છે મને,,.??


ધોધમાર વરસાદ જાણે રીઝવે છે મને...


સરનામું જાણ્યા બાદ શોધે છે કને??


તારી આંખો ના નીર ને પૂછ,,,


કે કેવી રીતે રોજ ભીંજવે છે મને,..


                             -પૂજા મેહતા
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ વલસાડ તથા ભરૂચની મુલાકાતે :

તા.૬ઠૃીએ વલસાડ જિલ્લાની મુલાકાત
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ આગામી તા.૬ઠૃી જુલાઇ, ર૦૧રનાં રોજ
વલસાડ જિલ્લાના અભ્યાતસ પ્રવાસે આવી રહી છે.
ગુજરાત વિધાનસભાના સેકશન ઑફિસર શ્રી આર.એસ.પંડયા દ્વારા જારી કરાયેલા આ
સમિતિના પ્રવાસ કાર્યક્રમ મુજબ સમિતિના સભ્યોર તા.૪/૭/ર૦૧રનાં રોજ સવારે
૧૧:૩૦ કલાકે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સી.ઇ.ટી.પી.ની મુલાકાત લેશે.
ત્યા ર બાદ બપોરે ૩:૩૦ વાગે સૂરત જિલ્લાના હજીરાની મુલાકાતે જવા રવાના
થશે. માર્ગમાં સી.ઇ.ટી.પી. કડોદરાની પણ મુલાકાત લેશે. તા.પ/૭/ર૦૧રનાં રોજ
સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમિયાન ઍસ્સાઇરની મુલાકાત તથા ૧૦ થી ૧ર દરમિયાન
રીલાયન્સન ઇન્ડ સ્ટ્રીિઝની મુલાકાત લઇ આ સમિતિ બપોરે ર વાગે વાપી જવા
રવાના થશે. માર્ગમાં સચિન, પાંડેસરા ટેક્ષટાઇલ મિલની મુલાકાત પણ લેશે.
તા.૬/૭/ર૦૧રનાં રોજ સવારે ૯:૦૦ વાગે વાપી સી.ઇ.ટી.પી.ની મુલાકાત, ૧૧ વાગે
વૅલસ્પાન એકમની મુલાકાત, બપોરે ર વાગે અન્ય૧ ઔદ્યોગિક એકમોની મુલાકાત બાદ
અનુラકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.

ફલડ ડીઝાસ્ટ્ર અંગેની મોક એકસસાઈઝ હવે ૨૪ અને ૨૫મીએ યોજાશે.

સૂરતઃ
નેશનલ ડિઝાસ્ટ ર મેનેજમેન્ટન ઓથોરીટી દ્વારા યોજાનાર સેમીનાર તથા ફલડ
ડીઝાસ્ટંર અંગે મોક એકસસાઈઝનું આયોજન તા.૫ અને ૬/૭/૧૨ના રોજ કરવામાં
આવ્યું્ હતું. જેનું આયોજન હવે ફેરફાર કરીને આગામી તા.૨૪ અને ૨૫ના રોજ
રાખવામાં આવ્યુંા છે.


અનુસૂચિત જાતિના અતિ પછાત જાતિના વિદ્યાર્થીઓ માટે ખાસ શિષ્યનવૃતિઃ
સૂરતઃ
અનુસૂચિત જાતિઓ પૈકી અતિ પછાત જાતિના વાલ્મિ કી, હાડી, નાડિયા, સેનવા,
તુરી, ગરો, અનુસૂચિત જાતિના બાવા અને વણકર સાધુ વગેરેના ધો.૧ થી ૧૦માં
અભ્યાુસ કરતા વિદ્યાર્થીઓને તમામ ધોરણ માટે રૂા.૬૫૦ લેખે ખાસ
શિષ્યસવૃત્તિ આપવામાં આવે છે.


નાના ઉદ્યોગ સાહસિકોને દુકાન ખરીદવા માટે લોન/સહાયઃ
સૂરતઃ
નાના ઉદ્યોગ સાહસિકોને નગરપાલિકા અથવા નગરપંચાયતોએ બાંધેલ દુકાનો ખરીદવા
રૂા.૧૫૦૦૦ સહાય સાથે ૪ ટકા વ્યા જના દરે રૂા.૬૦,૦૦૦ સુધીની લોન આપવામાં
આવે છે. આ ઉપરાંત લાબી મુદ્દતના પટ્ટાના ધોરણે પણ દુકાનો માટે લોન
આપવામાં આવે છે. આ યોજના માટે લાભાર્થીઓની વાર્ષિક આવક મયાર્દામાં
રૂા.૫૦,૦૦૦ હોવી જોઈએ.


નારાયણ ઉર્ફે નંદુના પરિવારજનો સપર્ક સાધેઃ
સૂરતઃ
- તા.૧૫/૬/૨૦૧૨ના રોજ સ્વંોય સેવી સંસ્થાક હૈલ્પ આગરા ખાતે નારાયણ ઉર્ફે
નંદુ ને ભરતી કરવામાં આવ્યાા હતા. જેના માનસિક સ્વા૨સ્ય્ ર માં સુધારો
જણાતા તેઓના જણાવ્યાીનુસાર સરનામા પર કોન્ટેમક કરવામાં આવ્યો્ હતો.
પરંતું કોઈ જવાબ મળ્યો્ ન હતો. જેથી આ નારાયણે જુદા જુદા સરનામા જણાવ્યાા
છે જે પૈકી તેના પિતા શ્રી રાજુભાઈ તે રહે, ગામ.પોસ્ટઃ - સિતાલી, જિલ્લો
સુરત તેમજ ગામઃપોસ્ટઃા- અકલેરા તા.ચોર્યાસી જિ.સૂરત તથા ગામ. રાવરાની
પોસ્ટઃા નત્થયઈ જિલ્લોઃસૂરત એમ ત્રણ સરનામા જણાવ્યાવ છે. જેથી તેમના વાલી
વારસોને સંપર્ક સાધવા જણાવાયું છે.

ખ – ૪ થી ગાંઘીનગર રેલ્વે સ્ટે શન સુઘીનો રસ્તોક કલેકટરશ્રીએ પ્રતિબંઘિત જાહેર કર્યો

મહાત્મા મંદિરના ફેજ-૨ના બાંઘકામ વિસ્તા રમાં હયાત ખ – ૪ થી ગાંઘીનગર
રેલ્વે સ્ટેકશન સુઘીનો રસ્તોર બાંઘકામ વિસ્તાંરમાં આવતો હોઇ, આ રસ્તો હાલ
બંઘ કરવાનો હુકમ જિલ્લાલ કલેકરટ શ્રીએ કર્યો છે.
જે હુકમ અન્વયે આ માર્ગ પર જતા વાહન ચાલકો હવે પછી ખ-રોડથી બીજનિગમ થઇને
સીવીલ સપ્લાવય ગોડાઉનની ઓફિસ થઇને રેલ્વેને સમાંતર થઇ ગાંઘીનગર રેલ્વે
સ્ટેથશન જઇ શકશે. તેમજ હાલમાં હયાત ખ-રોડ ઉપરથી – મહાત્મા મંદિર
પાસેથી-રેલ્વે સ્ટેસશન ઉપર જતા રસ્તા ના ઉપયોગ જાહેર હિતમાં પ્રતિબંઘિત
કરવો જરૂરી હોય જિલ્લા્ કલેકટર અને જિલ્લા્ મેજીસ્રેય ટ શ્રી પી.
સ્વોરૂપે તેમને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (ખ)થી મળેલ
સત્તાની રૂએ ઉપરોકત માર્ગના ઉપયોગ પર પ્રતિબંઘ મુક્યો છે. આ હુકમ બીજો
હુકમ ન થાય ત્યાં સુઘી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને
પાત્ર ઠરશે.

વિકલાંગતા ઘરાવતા શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાંઅમાં અભ્યાસ કરતાં વિઘાર્થીઓને વિકલાંગ શિષ્ય વૃતિ જોગ

સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજય, ગાંઘીનગર દ્રારા પ્રતિ વર્ષ અસ્થિ.
વિષયક, દ્રષ્ટિિહીન, શ્રવણમંદ તથા મંદબુઘ્દ્રિ જેવી વિકલાંગતા ઘરાવતા
શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાંઅમાં અભ્યાસ કરતાં વિઘાર્થીઓને
વિકલાંગ શિષ્ય વૃતિ આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ-૨૦૧૨-૧૩ના વર્ષ માટે
જે વિકલાંગ વિઘાર્થીઓના વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા ૫૦,૦૦૦/- થી
ઓછી હોય તેવા વિકલાંગ વિઘાર્થીઓ વિકલાંગ શિષ્યઆવૃતિ યોજના અન્વયે નિયત
નમુનામાં અરજીઓ કરી શકે છે. આ અરજી ફોર્મ જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીની
કચેરી, એમ.એસ.બિલ્ડીંગ, બી-બ્લોક, ભોયતળીયે, સેકટર-૧૧, ગાંઘીનગરની કચેરી
માંથી વિના મૂલ્ય શાળા- કોલેજના લેખિત આઘાર રજુ કરવાથી મળીશે. તેમજ ભરેલા
ફાર્મ મોડામાં મોડા તા. ૩૧મી ઓગષ્ટર-૨૦૧૨ સુઘીમાં પરત કરવાના રહેશે.
જિલ્લાા શિક્ષણ સમિતિ હસ્ત ક પ્રાથમિક શાળા ઘોરણ ૧ થી ૮ અભ્યાસ કરતા
વિઘાર્થીઓના ભરેલ અરજી ફોર્મ શાળાઓએ તેઓની પગાર કેન્દ્ર શાળા મારફતે તથા
ઘોરણ ૧ થી ૮ ગ્રાન્ટેડ/ખાનગી શાળાઓના તેમજ ઘોરણ-૯ કે તેથી ઉચ્ચ અભ્યાસ
કરતા વિઘાર્થીઓ ભરેલ અરજીફોર્મ શાળા/સંસ્થાત દ્રારા જિલ્લાર સમાજ સુરક્ષા
અઘિકારીની કચેરી, ગાંઘીનગરને મોકલી આપવાના રહેશે.
આ શિષ્યપવૃતિ યોજના અંતર્ગત ઘોરણ – ૧ થી ૭ સુઘી ના વિઘાર્થીને રૂપિયા
૧૦૦૦/-, ઘોરણ – ૮ થી ૧૨ અને સમકક્ષ આઇ.ટી.આઇ સુઘી ના
વિઘાર્થીને રૂપિયા ૧૫૦૦/- અને હોસ્ટેયલમાં રહેતા હોય તેવા વિઘાર્થીઓને
રૂપિયા ૨૦૦૦/-, બી.એ/ બી.કોમ/ બી.એસ.સી/ સમકક્ષ ડીગ્રી અભ્યાસક્રમ ના
વિઘાર્થીને રૂપિયા ૨૫૦૦/- અને હોસ્ટે લમાં રહેતાં હોય તેવા વિઘાર્થીઓ
માટે રૂપિયા ૨૫૦૦/-, બીઇ/ બી.ટેક/ એમ.બી.બી.એસ/ એલ.એલ.બી/
બી.એડ/ડિપ્લો૦માં ઇન પ્રોફેશનલ એન્ડ એન્જી. સ્ટ્ડી વિગેરે ઇન પ્લાતન્ટ
ટ્રેનીંગ ના વિઘાર્થીને રૂપિયા ૩૦૦૦/- અને હોસ્ટેએલમાં રહેતાં હોય તેવા
વિઘાર્થીઓને રૂપિયા ૪૦૦૦/-, એમ.એ/ એમ.એસ.સી/ એમ.કોમ/ એમ.એડ/ એલ.એલ.એમ/
એમ.એડના વિઘાર્થીને ૩૦૦૦/-, હોસ્ટેેલમાં રહેતા તેવા વિઘાર્થીઓને રૂપિયા
૪૦૦૦/- તથા અંઘ વ્યકિતઓ માટે રીડર એલાઉન્સ રૂપિયા ૧૦૦૦/- આપવામાં આવશે.

દહેગામ તાલુકાના ઝાલાના મુવાડા ગામે મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલના હસ્તેા મહાત્મા ગાંઘી ગ્રામ સચિવાલયનું ખાતમુહૂર્ત કરાયું

દહેગામ તાલુકાના મહિલા સમરસ ગામ ઝાલાના મુવાડા ખાતે તા. ૦૨ જુલાઇના રોજ
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી નરોત્તમભાઇ
પટેલના હસ્તેત મહાત્મા ગાંઘી ગ્રામ સચિવાલયનું ખાતમુહૂર્ત, શાળાની
કોમ્પ્યુીટર લેબ, અમૃતાલયમ તથા લાયબ્રેરીનું ઉદૂઘાટન કરવામાં આવ્યું
હતું. આ પ્રસંગે શિક્ષણ રાજય મંત્રી અને જિલ્લામ પ્રભારી મંત્રી શ્રી
જયસિંહ ચૌહાણ ઉપસ્થિંત રહયાં હતાં.
આ પ્રસંગે પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, દરેક
સમાજના વિકાસમાં શિક્ષણ એ પાયાની ભૂમિકા અદા કરે છે. આ જ્ઞાનની સદીમાં જે
સમાજનું યુવાઘન ભણેલું-ગણેલું હશે, તે સમાજમાં આમૂલ પરિવર્તન આવશે. કોઇ
પણ ગામનો સાચો વિકાસ જયાં સુઘી ગ્રામજનો નહિં, ઇચ્છે ત્યાં સુઘી શકય નથી.
આપનું ગામ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાચી રીતે સમજી ગયું છે. જેનું
દષ્ટાં ત ગામમાં સમરસ મહિલા સરપંચની નિયુકત્તી છે. તેવું કહી મંત્રીશ્રીએ
રાજય સરકારની સમરસ ગ્રામ પંચાયત યોજનાની વિસ્તૃસત વાત કરી હતી. તે ઉપરાંત
ગામમાં ચાલતી ઘાર્મિક પ્રવૃતિના કારણે ગ્રામજનોના વિચારોમાં પરિવર્તન
આવ્યું છે.

ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે સંતોના આશીર્વાદ મેળવતા મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલા

ભારતમાં પરંપરાથી ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. દરેકનાં જીવનમાં
ગુરુનું વિશેષ મહત્વા હોય છે. આજે ગુરૂપૂર્ણિમાના પવિત્ર પ્રસંગે
બનાસકાંઠા જિલ્લાંના વડગામ તાલુકાના ગામોમાં આવેલા વિવિધ મઠોના સંતો અને
મહંતશ્રીઓના આશીર્વાદ મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ મેળવ્યાં હતાં.
સામાજીક ન્યા્ય અને અધિકારીતા તથા રમત ગમત વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ
વાઘેલાએ નાગરપુરા ખાતે મહંત શ્રી અરવિંદગીરી મહારાજના આશીર્વાદ મેળવ્યાં
હતાં. વડગામના મહંતશ્રી સત્યશનારાયણપુરી મહારાજ, મગરવાડા મણિભદ્ર આશ્રમના
મહંતશ્રી વિજય સ્વમરૂપદાસજી, માલોસણાના નિરાંતપંથી સંતશ્રી બાબુભાઇ વૈધ,
અને કોટડીના નિરાંતપંથી સંતશ્રી પરથીરામ મહારાજે મંત્રીશ્રીને આર્શીવચન
પાઠવ્યાંબ હતાં. મંત્રીશ્રીએ મહંતોના આશ્રમની મુલાકાત લઇ ભગવાનના દર્શન
કરી ગુરુજીઓના ચરણસ્પબર્શ કર્યા હતાં.
આ પ્રસંગે મંત્રીશ્રી સાથે અગ્રણીઓ સર્વશ્રી ર્ડા. કે. એસ. મોગરા, શ્રી
ફલજીભાઇ ચૌધરી, શ્રી એન. ટી. રાઠોડ, શ્રી ચિમનભાઇ સાંલંકી, શ્રી
પ્રવિણસિંહ રાણા, શ્રી દૂધાભાઇ પરમાર, શ્રી અશ્વિન સકસેના, જિલ્લાણ પછાત
વર્ગ કલ્યાિણ અધિકારીશ્રી વી. એલ. જાદવ, વિ. જા. સમાજ કલ્યાનણ
અધિકારીશ્રી આર. એચ. પ્રજાપતિ, મામલતદારશ્રી આર. સી. લિમ્બામચીયા,
અધિકારીઓ તથા વિશાળ સંખ્યારમાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

ગુજરાતમાં મહેસુલી-જમીન સુધારા, ઇ-ધરા, ઇ-જમીન અને ઇ-ગ્રામ યોજનાથી પ્રભાવિત વિશ્વબેન્ક ટીમ વિશ્વબેન્કની ટીમે અમદાવાદ કલેક્ટર કચેરીની લીધેલી મુલાકાત

ગુજરાતમાં મહેસુલી અને જમીન સુધારા ક્ષેત્રે લેવાયેલા પગલાં અને સમગ્ર
રાજ્યમાં અમલી બનાવેલ ઇ-ધરા, ઇ-જમીન, અને વિશ્વગ્રામ-ઇ-ગ્રામ યોજનાથી
પ્રભાવિત થઇને વિશ્વબેન્કની ટીમના સભ્યોએ સરાહના વ્યક્ત કરી છે. દેશના
અન્ય રાજ્યોની મુલાકાત પછી ગુજરાતની મુલાકાતે આવેલ વિશ્વબેન્કની ટીમે
અમદાવાદમાં જિલ્લા કલેક્ટરશ્રી વિજય નહેરા સાથેની મુલાકાતમાં ગુજરાતે
મહેસુલી સુધારણા, ઇ-ગવર્નન્સ, લેન્ડ રેકર્ડ કમ્પ્યુટરાઇઝેશન, જમીન
સંપાદન, ટાઉન પ્લાનીંગ, અર્બન ડેવલપમેન્ટ, મિલકત દસ્તાવેજોની નોંધણી,
ઓનલાઇન મ્યુટેશન, લેન્ડ કન્વર્ઝનન્સ સહિતની બાબતોમાં પારદર્શતા સાથે
અમલમાં મુકેલા પ્રોજેક્ટની વિગતવાર માહિતી મેળવીને તેને બિરદાવ્યા હતા.
સરકારી દફ્તરે મિલ્કતના માલિકી હક્ક અને માલિકીની નોંધણી, મિલ્કતના
ખરીદ-વેચાણ, જમીન સંપાદનની પ્રક્રિયા વગેરે બાબતે પણ વિગતવાર જાણકારી
મેળવી હતી. વિશ્વબેન્કની ટીમે કલેક્ટર કચેરી ખાતેના ઇ-ધરા અને ઇ-જમીન
સેન્ટરની પણ રૂબરૂ મુલાકત લઇને થતી કામગીરી અંગે જાત માહિતી મેળવી હતી.
વિશ્વબેન્કની ટીમમાં સાઉથ એશિયા રિજીયનના સેક્ટર મેનેજર સુશ્રી મારીયા
સી. કોરીયા ઉપરાંત શ્રી આઇ.યુ.બી. રેડ્ડી, શ્રી વિક્રમ રાઘવન, શ્રી શંકર
નારાયણન અને શ્રી મૃદુલાસિંઘ જોડાયા હતા.

બેભાન અવસ્થામાં મળેલ અજાણ્યા પુરુષનું મરણ

વડોદરા
વડોદરા, ન્યાયમંદિર, સાધના ટોકિઝ પાસેના ફૂટપાથ પરથી તા.૨૬/૬/૨૦૧૨ના રોજ
૧૫-૨૧ વાગ્યા પહેલાં એક અજાણ્યા આશરે ૫૦ વર્ષની ઉંમરનો પુરુષ બેભાન
હાલતમાં મળી આવ્યો હતો. જેનું તા.૧/૭/૨૦૧૨ના રોજ સાંજે ૧૮-૩૦ વાગ્યે
એસ.એસ.જી. હોસ્પિટલમાં મૃત્યુ થયેલ છે. લાશનું પી.એમ. કરાવી કોલ્ડરૂમમાં
રાખવામાં આવી છે.
આ અજાણ્યો પુરુષ શરીરે મજબૂત બાંધાનો, રંગે ધઉંવર્ણો, મોઢું લંબગોળ, સફેદ
કલરનો ઝભ્ભો તથા કોફી કલરનો ચડ્ડો પહેરેલો છે. ઇસમની ઊંચાઇ ૫ ફૂટ ૬ ઇંચ
જેટલી છે. વાલીવારસોએ રાવપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

ટેકનિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા અંગે

વડોદરા
વડોદરા, દાંડિયાબજાર, સરકારી ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે ચાલતા ટી.ઇ.બી.
પેટર્નના એક વર્ષના વિવિધ અભ્યાસક્રમો ચાલે છે. જેમાં ઈલેકટ્રોનિક્સ
એપ્લાયન્સીસ એન્ડ કોમ્પ્યુટર ટેકનિશિયન, ઇલેક્ટ્રિક મોટર રીવાઇન્ડિંગ
એન્ડ સર્વિસિંગ કોર્સનો સમાવેશ થાય છે. આ અભ્યાસક્રમો માટેની શૈક્ષણિક
લાયકાત ધો.૯ પાસ છે. પ્રવેશ માટેના અરજીપત્રકોનું વિતરણ તા.૭/૭/૨૦૧૨ સુધી
ચાલુ કામકાજના દિવસોએ સવારના ૧૧-૦૦થી ૪-૦૦ કલાક દરમિયાન કરવામાં આવશે તથા
ભરેલાં ફોર્મ સ્વીકારવામાં આવશે. આ અભ્યાસક્રમોમાં જૂજ જગ્યાઓ ખાલી હોઈ
વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. જેની ઇચ્છુક ઉમેદવારોને નોંધ લેવા
આચાર્યશ્રીએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.

બોઇલર એન્જિનીયરની પરીક્ષા ઓકટોબર-ર૦૧રમાં યોજાશે

ગાંધીનગરઃ
બોઇલર પરિચર(એટેન્ડન્ટ) વર્ગ-૧ અને વર્ગ-ર તથા બોઇલર ઓપરેશન એન્જીનીયરની
પરીક્ષા તા. ૧૩-૧૦-ર૦૧રથી યોજાનાર છે. રાજ્યની તમામ વિભાગીય નાયબ/મદદનીશ
નિયામકની કચેરીઓ તથા અમદાવાદ ખાતેની વડી કચેરીએથી નિયત અરજીપત્રકો તારીખ
૧૩-૭-ર૦૧ર થી તા. ૧૪-૮-ર૦૧ર સુધી વિનામૂલ્યે મળી શકશે. પરીક્ષા આપવા
લાયકાત ધરાવતા ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્થાઓમાં નોકરી કરતા ઇચ્છુક
વ્યક્તિઓએ તારીખ ૧૪-૮-ર૦૧ર સુધીમાં કામકાજના દિવસોમાં અમદાવાદ ખાતેની
કચેરી, ૪થો માળ, શ્રમ ભવન, રૂસ્તમ કામા માર્ગ, ગનહાઉસની બાજુમાં ખાનપુર,
અમદાવાદ-૩૮૦૦૦૧ને નિયત અરજી મોકલી આપવી.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આંતરરાષ્ટ્રીય પ્રતિભાને ""આપણો ભેરૂબંધ નરેન્દ્રમોદી'' પુસ્તક દ્વારા પ્રજા સમક્ષ મૂકવાનું આવકારપાત્ર કાર્ય થયું છેઃ નાણાં મંત્રી શ્રી વજુભાઇ વાળા રાજયનું વહીવટીતંત્ર-મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયની ગ્રામ

ગાંધીનગરઃ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આંતરરાષ્ટ્રીય પ્રતિભાને ""આપણો
ભેરૂબંધ નરેન્દ્રમોદી'' પુસ્તક દ્વારા પ્રજા સમક્ષ મૂકવાનું આવકારપાત્ર
કાર્ય થયું છે તેમ નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું છે.
ર્ડા. જશભાઇ પટેલ લિખિત ""આપણો ભેરૂબંધ નરેન્દ્રમોદી'' પુસ્તકનું
ગાંધીનગર ખાતે વિમોચન કરતાં નાણાંમંત્રીશ્રી એ કહયું કે, મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળનું ગતિશીલ વહીવટી તંત્ર અને તેમના સબળ
રાજનૈતિક માર્ગદર્શનના પરિણામે રાજયના છેવાડાના નાગરિકો સુધી પ્રજાલક્ષી
યોજનાઓ સફળતાપૂર્વક પહોંચી છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય
સંસ્કૃતિના સંસ્કાર સંવર્ધનની સાથોસાથ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી
ગુજરાતનો વિકાસ કરવાનો ઉમદા સંકલ્પ રાખ્યો છે જે પરિણામલક્ષી બન્યો છે.
લેખકનું કાર્ય સંસ્કારી સમાજનું ધડતર કરવાનું છે તેમાટે લખવાનું છે તેમ
ભારપૂર્વક જણાવી મંત્રી શ્રી વજુભાઇ વાળાએરાજ્યમાં અમલી બનેલી સરકારની
કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત ઝલક આપી હતી. તેમણે ગુજરાતમાં મહિલા
શશક્તિકરણ માટે થઇ કરેલાં પ્રેરણાદાયી કાર્યોની રૂપરેખા આપીને
પુરાતનકાળના ઐતિહાસિક સ્ત્રીપાતરોમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
ર્ડા. જશભાઇ પટેલને પુસ્તકના સર્જન બદલ હાર્દિક અભિનંદન પાઠવીને મંત્રી
શ્રી વજુભાઇ વાળાએ ગુજરાત ગ્રામીણ પ્રજા સમક્ષ રાજ્ય સરકારની કલ્યાણકારી
યોજનાઓ પહોંચાડવાના માધ્યમ આ પુસ્તક બની રહેશે.
યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ વાધેલાએ રાજ્યનું
વહીવટી તંત્ર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતની ગ્રામીણ
પ્રજા એમ ત્રણ આયામોને પુસ્તકના સ્વરૂપમાં ઉતરાવવાના લેખકના સફળ પ્રયાસ
બદલ અભિનંદન આપીને વિવિધ યોજનાઓનો લાભ ગ્રામીણ પ્રજા સમક્ષ પહોંચાડવાના
ઉત્તમ માધ્યમ તરીકે આ પુસ્તક વિશાળ વહીવટી તંત્ર માટે પ્રસ્તુત નીવડશે જ
એવી શ્રધ્ધા સાથે લેખકને અભિનંદન પાઠવ્યા હતા.
લેખક શ્રી જશભાઇ પટેલે કહ્યું કે શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા
થતી કામગીરી, યોજનાઓ અને પ્રજાલક્ષી કાર્યોનો હું પ્રત્યક્ષ સાક્ષી બન્યો
છું. આ ભગીરથ કાર્યકર્તા-વિચારદૃષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી
વિશે લેખ લખી ભૂમિકા આપીને વિવિધ યોજનાઓનો લાભ મેળવનારા છેવાડાના
લાભાર્થીઓ માટે તો ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સૌના ભેરુબંધ છે તેવી
પુસ્તકના શીર્ષકની યથાર્થતા સમજાવી હતી તથા છેલ્લા દશ વર્ષમાં ગુજરાત
વિકાસ-પ્રગતિ અને સમૃદ્ધિ એ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળના રાજ્ય
સરકારનું ઉમદા પરિણામ તેમ જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને પુસ્તકનો રસાસ્વાદ કરાવતાં શ્રી
દિનેશ દેસાઇએ સમગ્ર સંચયમાં રજૂ થયેલી તમામ વાર્તાઓ વાંચકો- ભાવકોને
વાંચવામાં-માણવામાં રસપ્રદ નીવડશે તેમ જણાવી ચરોતરની ગ્રામ પરિવેશમાંથી
આવતાં લેખકની ચરોતરની ભાષાશૈલીમાં સ્વયં ખીલી ઉઠેલી વર્તાઓ અને ગ્રામીણ
પરિવેશમાં આકાર લેતી ધટનાઓને ઊંડી આંતરસૂઝથી શબ્દસ્થ કરીને આકારબધ્ધ
કરવાના ર્ર્ડા. જશભાઇના કાર્ય બદલ અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે શ્રી શાંતુભાઇ પટેલ, નીરવ પ્રકાશન, અમદાવાદ શ્રી નીરવ શાહ,
મદદનીશ જનસંપર્ક અધિકારી શ્રી હિતેશભાઇ પંડયા સહિત અધિકારીઓ-સાહિત્યરસિકો
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભારદર્શન શ્રી
હેમલભાઇ વ્યાસે કર્યું હતું.

ઇન્ડીયન નેશનલ આર્મી ડે-૬ ઠ્ઠી જુલાઇના રોજ અમદાવાદમાં નેતાજી સુભાષ બોઝ INA ટ્રસ્ટ આયોજિત "વીરત્વ કી યાદ મેં'' રાષ્ટ્રભકિતની ચેતના જગાવતો કાર્યક્રમ

શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી પી. એ. સંગમા ખાસ મહેમાન તરીકે સંબોધન કરશે
ઇન્ડિયન નેશનલ આર્મી ડે (INA-DAY) ૬ ઠ્ઠી જુલાઇ ર૦૧રના રોજ અમદાવાદમાં
નેતાજી સુભાષ બોઝ સ્થાપિત આઝાદ હિન્દ ફોજની સ્મૃતિમાં "વીરત્વ કી યાદમે'
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નેતાજી સુભાષ બોઝ-INA ટ્રસ્ટના ઉપક્રમે અમદાવાદના ટાગોર હોલમાં શુક્રવાર
૬ ઠ્ઠી જુલાઇની સાંજે યોજાનારા આ રાષ્ટ્રભકત આઝાદીના વીરસપૂતોની યાદમાં
કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અતિથિ વિશેષ
તરીકે અને લોકસભાના પૂર્વ અધ્યક્ષશ્રી પી. એ. સંગમા મુખ્યમહેમાન પદે તથા
વિધાનસભા અધ્યક્ષશ્રી ગણપતભાઇ વસાવા, આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી મંગુભાઇ
પટેલ, યુવા-સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓના મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલા પણ
રાષ્ટ્રના વીર શહિદોને શ્રધ્ધાંજલિ અર્પતા પ્રેરક ઉદ્દબોધન કરશે.

કચ્છના રણમાં હેલીકોપ્ટરથી બચાવી લેવાયેલા૧૦ ભરવાડ પરિવારોએ સમયસરની મદદ માટે મુખ્યમંત્રીશ્રીને મળી આભારની લાગણી વ્યકત કરી

કચ્છમાં તાજેતરમાં એકાએક ભારે વરસાદના કારણે નાના રણમાં ફસાઇ ગયેલા ભચાઉ
તાલુકાના આધોઇ ગામના ૧૦ જેટલા રબારી ભરવાડ પશુપાલકોને મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીની સમયસૂચકતાથી વાયુદળના હેલીકોપ્ટરની મદદની ઉગારી
લેવામાં આવ્યા તે અંગે મુખ્યમંત્રીશ્રીનો હાર્દિક આભાર માનવા આ અસરગ્રસ્ત
કચ્છી ભરવાડ પશુપાલકોના ૧૦૦ જેટલા પરિવારજનો ગાંધીનગર આવ્યા હતા.
ધારાસભ્યશ્રી જયંતિભાઇ ભાનુશાળીની આગેવાનીમાં શ્રી અરજણભાઇ રબારીએ આ
કચ્છી ભરવાડોના કુટુંબીજનોનો પરિચય કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કચ્છના વિનાશક ધરતીકંપ પછી રાજ્ય સરકારે આપત્ત્િા
વ્યવસ્થાપનનું સક્ષમ તંત્ર વિકસાવ્યું છે તેની ભૂમિકા આપી હતી અને કચ્છના
રણમાં ભારે વરસાદના કારણે ફસાઇ ગયેલા આ ભરવાડ કુટુંબોની પાસેથી ધટનાની
માહિતી મેળવી હતી.

રાજુલાના બાલાપર ખાતે મળી આવેલ બિનવારસી નવજાત બાળાને કાઠિયાવાડ બાલાશ્રમ-રાજકોટ ખાતે પુનઃસ્થાસપિત કરાઇ જિલ્લાર બાળ સુરક્ષા અને મહિલા વિકાસ મંડળની ઉદાહરણરૂપ કામગીરી

અમરેલી
રાજુલાના બાલાપર ગામે રાજુલા પોલિસ ટીમને એક નવજાત બાળકી મળી આવતા,
રાજુલા પોલિસ ઇન્પેાના ક્ટરશ્રી વોરાએ જિલ્લાત સમાજ સુરક્ષા અધિકારીશ્રી
ત્રિવેદીને જાણ કરી હતી. શ્રી ત્રિવેદીના માર્ગદર્શન મુજબ જિલ્લાલ બાળ
સુરક્ષા એકમ-અમરેલી દ્વારા બિનવારસી બાળાને શ્રી મહિલા વિકાસ મંડળ-અમરેલી
ખાતે તાત્કાલલિક પ્રવેશ અપાવવામાં આવ્યોઅ હતો. અમરેલી ખાતે શિશુગૃહની
સુવિધા ન હોવાથી જિલ્લાલ બાળ સુરક્ષા એકમ અને મહિલા વિકાસ મંડળના સ્ટાઆફ
સભ્યોો સર્વ શ્રી સજંયભાઇ સોલંકી, ભાવેશભાઇ ભાડ, અરૂણાબેન ભટ્ટ અને
મનિષાબેન પંડ્યા દ્વારા બિનવારસી નવજાત બાળાને રાજકોટ સ્થિ ત શ્રી
કાઠિયાવાડ બાલાશ્રમ શિશુગૃહ ખાતે રૂબરૂ જઇ પ્રવેશ અપાવી તેના
પુનઃસ્થાવપનની કામગીરી કરવામાં આવેલ છે, તેમ જિલ્લાર બાળ સુરક્ષા એકમના
અધિકારી શ્રી પી.બી. ભટ્ટની એક યાદીમાં જણાવાયુ છે.

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતિઓએ અરજી કરવી સાહસિક પગપાળા વન વિસ્તાુર પરિભ્રમણ

અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃવતિક પ્રવૃતિના ઉપક્રમે સાહસિક પગપાળા વન વિસ્તાસર
પરિભ્રમણ ઓગષ્ટય-૨૦૧૨ દરમ્યાેન ૧૦ દિવસનો કાર્યક્રમ વડોદરા જિલ્લાવમાં
યોજાનાર છે. જેમાં ગુજરાતના રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા
(તા.૩૦/૦૬/૨૦૧૨ના રોજ)હોય અને ભાગ લેવા ઈચ્છુમક અનુસૂચિત જન જાતિના
યુવક–યુવતિઓએ પુરૂં નામ, સરનામું, જન્મ/ તારીખ (પુરાવા સાથે), શૈક્ષણિક
લાયકાત, વ્યાવસાય, એન.સી.સી./પર્વતારોહણ, રમતગમત સ્પમર્ધામાં ભાગ લીધેલ
હોય તો તેની વિગત, શારિરીક તંદુરસ્તીવ અંગેનું દાકતરી પ્રમાણપત્ર, જાતિ
અંગેના દાખલાની નકલ, અગાઉ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની
વિગતો, વાલીનો સમંતિપત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે
તા.૩૧-૦૭-૨૦૧૨ સુધીમાં લેખિત અરજી જિલ્લાા રમત ગમત અધિકારીશ્રીની કચેરી,
વડોદરા ગ્રામ્ય, નર્મદા ભુવન, બ્લો ક-સી, ચોથે માળે, ઇન્દિારા એવન્યુઅ
રોડ,વડોદરાને મોકલી આપવા કમિશ્નેર, યુવક સેવા અને સાંસ્કૃીતિક પ્રવૃતિ
ગાંધીનગર અને જિલ્લાજ રમતગમત અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં
જણાવાયુ છે.


અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ અરજી કરવી ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ
યુવક સેવા અને સાંસ્કૃનત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા આગામી
ઓક્ટોબર-નવેમ્બાર દરમ્યાસન જુનાગઢ ખાતે દસ દિવસીય ખડક ચઢાણ બેઝિક તાલીમ
કોર્સ (અનુસૂચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષ વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓ
માટે ૧૦ દિવસીય) યોજાનાર છે. આ માટે રાજ્યના અનુસૂચિત જાતિના
તા.૩૦/૦૬/૨૦૧૨ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં હોય તેવા
યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે. પસંદ થયેલા ૧૦૦
યુવક-યુવતીઓને આ તાલીમમાં જોડાવાની તક સાંપડશે. અરજી સાથે (૧) પુરૂં
નામ, (૨) સરનામું, (૩) જન્મ-તારીખ, (૪) શૈક્ષણિક લાયકાત, (૫) રમતગમત
સ્પીર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, (૬) શારીરિક તંદુરસ્તીો ધરાવતાં
હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૭) અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, (૮)
વાલીનો સંમતિપત્ર, (૯) તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી
તા.૩૧/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લાક રમતગમત અધિકારીશ્રી, બહુમાળી ભવન, સરદાર
બાગ, જુનાગઢને પહોંચતી કરવાની રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યાતને લેવાશે
નહી. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક
સેવા અને સાંસ્કૃીત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગર અને જિલ્લાર રમતગમત
કચેરી-અમરેલીની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે.

અખીલ ભારતીય મુલ્કી સેવા રમત – ગમત સ્પર્ધા ભાગ લેવા અંગે

અખીલ ભારતીય મુલ્કી સેવા રમત – ગમત સ્પર્ધા ભાગ લેવા અંગે

અખીલ ભારતીય મુલ્કી સેવા રમત–ગમત સ્પર્ધા ૨૦૧૨–૧૩ કેન્દ્ર સરકારનાં
સેન્ટ્રલ સીવીલ સર્વીસીસ કલ્ચરલ અને સ્પોર્ટસ બોર્ડ નવી દિલ્હી દ્વારા દર
વર્ષે યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ફક્ત રાજ્ય સરકારશ્રીનાં કર્મચારીઓ
જ ભાગ લઇ શકશે, બોર્ડ – નિગમનાં કર્મચારીઓ ભાગ લઇ શકશે નહિ. આ બાબતનાં
નિયમો સરકારશ્રીની વેબસાઇટ જી-સ્વાન ઉ૫ર મુકેલ છે જામનગર જિલ્લાઓના જે
કર્મચારી ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ વધુ માહિતી માટે જિલ્લા રમત – ગમત
અધિકારીની કચેરી, જામનગર ખાતે ફોન નંબર-૨૬૭૮૨૦૯ થી સં૫ર્ક કરી શકશે. જરૂર
પડ્યે જી-સ્વાન વેબસાઇટ ઉ૫ર ૧૧/૬/૨૦૧૨ નો સામાન્ય વહીવટ વિભાગનો પરિ૫ત્ર
જોઇ જવા વિનંતી.

લાલપુરના વિજયપુરમાં રૂ.૫.૩૫ લાખના ખર્ચે પાણી પુરવઠાના કામો થશે

વાસ્મો યોજના અંતર્ગત લાલપુર તાલુકાના વિજયપુર ગામે રૂ.૫.૩૫ લાખની ખર્ચે
પીવાના પાણીની સુવિધા માટે વિકાસકામો હાથ ધરાશે. જામનગર જિલ્લા જળ અને
સ્વચ્છતા સમિતિની તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ બેઠકમાં આ કામોને બહાલી
આ૫વામાં આવી છે. વાસ્મો યોજના અંતર્ગત ૧૦ ટકા લોકફાળો ગ્રામજનોએ ભરવાનો
થાય છે. આ વિકાસકામોમાં પંપીગ મશીનરી, પં૫ હાઉસ, ઉંચી ટાંકીની મરામત,
પાણી વિતરણ પાઇપ લાઇન, અવેડાનું સમારકામ સહિતના કામોનો સમાવેશ થાય છે.

પત્રકારત્વટને ધર્મ તરીકે અપનાવીએ. - કટારલેખકશ્રી જવલંત છાયા ’’મહાત્માક ગાંધીનું પત્રકારત્વઃ આજના પરિપ્રેક્ષ્યયમાં’’ વિષય પર પોરબંદર માં પ્રેસ સેમિનાર યોજાયો

પોરબંદર,
પોરબંદર માં ''મહાત્મા ગાંધીનું પત્રકારત્વઃજઆજના પરિપ્રેક્ષ્યનમાં'' ના
વિષય પર પ્રેસ સેમિનાર યોજાયો હતો.પ્રદેશિક માહિતી કચેરી-રાજકોટના
ઉપક્રમે અને જિલ્લાન માહિતી કચેરી પોરબંદરના સહયોગથી યોજાયેલા આ
સેમિનારનો પ્રારંભ કલેકટરશ્રી ગિરીશભાઇ શાહે મંગલદીપ પ્રગટાવીને કરાવ્યોા
હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટ, જિલ્લાપ પોલીસ વડાશ્રી દિપન
ભદ્રન, કૂતિયાણા પ્રાંત અધિકારીશ્રી પંકજ ઔંધિયા, પ્રબુધ્ધબ નાગરિકો,
પત્રકાર મિત્રો તથા વિદ્યાર્થીઓ એ આ સેમિનારમાં ભાગ લીધો હતો.
જાણીતા કટાર લેખક અને પત્રકાર શ્રીજવલંત છાયાએ ચાવીરૂપ પ્રવચન કરતાં
પૂ.ગાંધીબાપૂની જન્મ્ભૂમિ પોરબંદરમાં આ વિષય પર સેમિનારના આયોજનને
બિરદાવતા કહ્યુ હતુ કે, ગાંધીજી નું પત્રકારત્વૂ આજે પણ માર્ગદર્શક
છે.ગાંધીજીના પરિપ્રેક્ષ્યામાં પત્રકારત્વતને આપણે ધર્મ માનીને અનુસરવું
જોઇએ.ગાંધીજીએ વર્ષ- ૧૯૦૪ થી ઇન્ડી.યન ઓપીનીયન થી શરૂ કરીને પત્રકારત્વર
ક્ષેત્રે આપેલા પ્રબળ યોગદાન નું વર્ણન કરતાં શ્રી છાયાએ કહ્યુ હતુ કે,
પત્રકાર તરીકે ગાંધીજી લોકોની લાગણીઓને વાચા આપતા.માત્ર વિષયને જ
સ્પનર્શતા નહિ, પરંતુ સમાજજીવન નો એકસ-રે રજૂ કરતા હતા.ગાંધી વિચારો
દિવાદાંડીની જેમ આજે પણ માર્ગદર્શક બની રહ્યા છે, જેને સમગ્ર વિશ્વ
અનુસરી રહ્યુ છે.
ગાંધીજીના પત્રકારત્વુની મુખ્યઅ ખાસિયત એ હતી કે, તેઓ ચોકસાઇના ખૂબ જ
આગ્રહી હતા. કોઇપણ માધ્યજમથી લોકો સમક્ષ રજૂ કરવાની તમામ બાબતોને તેઓ
ઝીણવટપૂર્વક મૂલવતા અને પછી જ પ્રસ્તૂ ત કરતા.ગાંધીજીનું પત્રકારત્વર
સત્યબના ઉદ્દેશ્ય્ને કેન્દ્રજમાં રાખીને જ પ્રસ્તૂ્ત થતું હતુ અને સૌનું
સારૂ કરવા માટેની ભાવના સાથે વણાયેલુ રહેતું.ગાંધીજી પત્રકાર ઉપરાંત સારા
પત્રો લખનાર સારા પત્ર-કાર પણ હતા.ગાંધીજીનું સાહિત્યત સત્ય્ અને
રાષ્ટ્રતભકિતની જીવંત પ્રેરણા આપતું, જે લોકોમાં પ્રબળ ચેતના જગાડતુ.
ગાંધી ચિંધ્યાા માર્ગે થતાં સત્યા્ગ્રહનો ઉલ્લે્ખ કરીને શ્રી છાયા એ
કહ્યુ કે, ગાંધી ચિંધ્યોા માર્ગ સીક્સ લેન હાઇ-વે નથી પણ કાંટાળો માર્ગ
છે.સત્ય્ માટે થતાં સત્યા ગ્રહ માં કયાંય હિંસાને સ્થાેન હોઇ ન શકે, તેમ
ગાંધીજી પ્રબળપણે માનતા હતા.
ગાંધીજીની ઘણી બાબતો અનુસરણીય છે.તેઓ નાના માં નાના કામો તથા માનવસેવા ને
પણ સમાન મહત્વસ આપતા, તેના દ્દષ્ટાંંતો આપીને શ્રી છાયાએ જણાવ્યુવ હતુ
કે, પત્રકારત્વર ક્ષેત્રમાં ચોકસાઇ, ચીવટ, ભાષાની લાવણ્યાતા અને સત્ય
તાપૂર્ણ પ્રસ્તૂીતિ જેવા ગુણોના ગાંધીજી આગ્રહી હતા, જે આજના
પરિપ્રેક્ષ્ય માં પણ એટલા જ પ્રસ્તૂાત છે.
રાજકોટના સંયુકત માહિતી નિયામકશ્રી નટુભાઇ પરમારે સ્વાીગત પ્રવચન અને
મુખ્યઆ અતિથિશ્રીઓનો પરિચય આપતા કહ્યું હતુ કે, ગાંધીજી નું પત્રકારત્વત
આજના સમયમાં પણ પ્રસ્તૂયત છે. ગાંધીબાપૂ નું સમગ્ર જીવન જુદા જુદા
ક્ષેત્રે પથદર્શક છે.ગાંધીયુગના ટાંચા સાધનો અને મર્યાદિત ટેકનોલોજીના
સમયમાં પણ ગાંધીજીએ પ્રબળ પત્રકારત્વન દ્વારા દેશપ્રેમની ભાવનાને લોકોમાં
પ્રબળ બનાવી હતી.જે આજના સમયમાં પણ અદ્યતન ટેકનોલોજીના માધ્યપમથી વધુ
અસરકારક બની શકે છે.
જિલ્લાન કલેકટરશ્રી ગિરીશભાઇ શાહ અને જિલ્લાશ વિકાસ અધિકારીશ્રી
કે.બી.ભટ્ટે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ગાંધીજીના પત્રકારત્વલ વિશે
રસપ્રદ પ્રશ્નોત્તરી થઇ હતી જેમાં પત્રકારો, પ્રબુધ્ધ. નાગરિકો તથા
વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે સહાયક માહિતી નિયામકશ્રી વિનોદ કોટેચાએ આભારદર્શન કર્યુ
હતું. કાર્યક્રમ નું સુંદર સંચાલન શ્રી ભાવિનીબેન શુકલએ કર્યુ હતુ.
કાર્યક્રમમાં સંદેશ-રાજકોટના પ્રતિનિધિશ્રી અમીતભાઇ રાડીયા, પ્રબુધ્ધુ
અગ્રગણ્ય નાગરિકો સર્વશ્રી પદુભાઇ રાયચુરા, ભરતભાઇ રાજાણી, ઉપેન્દ્ર
મહેતા, ગીગનભાઇ બાપોદરા, ડો.ભરડા, હિતેશભાઇ દત્તાણી સહિતના મહાનુભાવો
ઉપસ્થિેત રહ્યા હતા.
આ સેમિનારને સફળ બનાવવામાં રાજકોટના સહાયક માહિતી નિયામકશ્રી એ.પી.જોશી,
મેનેજરશ્રી જગદીશ ત્રિવેદી, શ્રી રાજકુમાર જેઠવા, રશ્મિન યાજ્ઞિક,
ડી.પી.નાકરાણી, શ્રી અરવિંદ વેકરીયા સહિત રાજકોટ તથા પોરબંદરના માહિતી
પરિવારની ટીમના સભ્યો.એ જહેમત ઉઠાવી હતી.

રૂડાની મુસદ્દારૂપ નગર રચનાને આખરી કરવા અધિકારીશ્રીની નિમણૂક

રાજકોટ
રાજય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરની
અધિસૂચના મુજબ નગર રચના યોજના નં-૧૮(મુંજકા) અને નં-૧૯(મુંજકા)ની નગર
રચના યોજનાઓને આખરી કરવા માટે નગર રચના અધિકારીશ્રી તરીકે શ્રી
જી.એ.પંડયાની નિમણૂક કરવામાં આવી છે. આ અંગેની નકલ નગર રચના
અધિકારીશ્રીની કચેરી, નગર રચના યોજના એકમ-૩, જૂનું રૂડા બિલ્ડીંગ, પ્રથમ
માળે, શારદાબાગ સામે, શ્રોફ રોડ, રાજકોટ (ફોન નં-૨૪૫૮૧૩૨) ખાતે જોઇ
શકાશે. તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જુલાઇ માસમાં પેન્શાનરોએ હયાતીની ખરાઇ કરાવી લેવી

જુલાઇ માસમાં પેન્શાનરોએ હયાતીની ખરાઇ કરાવી લેવી

રાજકોટ
રાજય સરકારનું પેન્શદન મેળવતા પેન્શકનરોએ ગુજરાત તિજોરી નિયમોની જોગવાઇ
મુજબ જુલાઇ માસમાં હયાતિની ખરાઇ માટે ઉપસ્થિ‍ત થવાનું રહે છે. રાજકોટ
જિલ્લાનમાં આવેલ જુદી જુદી બેંક મારફત પેન્શપન મેળવતા પેન્શ નરોના
હયાતિની ખરાઇ માટેના ફોર્મ પેન્શગનરોના નામવાર છપાવીને તેઓ જે બેંક મારફત
પેન્શાન મેળવે છે તેઓને પહોંચાડેલ છે. આઇ.આર.એલ.એ. યોજના હેઠળ પેન્શશન
મેળવતા તમામ પેન્શાનરોએ જુલાઇ માસ દરમ્યાછન સબંધિત બેંક મેનેજર સમક્ષ
ઉપસ્થિનત થઇ હયાતિની ખરાઇ કરાવી લેવી જુલાઇ માસ દરમ્યાએન સંજોગોવશાત
હયાતિની ખરાઇ ન કરાવી શકેલ પેન્શ નરો ઓગષ્ટત અને સપ્ટેખમ્બ ર મહિના
દરમ્યામન પણ જેતે બેંક મેનેજર સમક્ષ ઉપસ્થિાત થઇ હયાતિની ખરાઇ કરાવી
શકશે.
ઉકત સમયગાળા દરમ્‍યાન હયાતિની ખરાઇ માટે ઉપસ્થિસત નહિં થયેલ પેન્શખનરોનું
માહે ઓકટોબર માસનું પેન્શમન અટકાવવામાં આવશે.
કુટુંબ પેન્શશન મેળવતા પેન્શ નરોએ પુનઃલગ્ની નહીં કર્યા અંગેનું
પ્રમાણપત્ર જિલ્લાક/પેટા તિજોરી અધિકારી રૂબરૂ રજુ કરવાનું રહેશે પ૦
વર્ષથી મોટી ઉંમરના સ્ત્રી પેન્શયનરોને આવુ પ્રમાણપત્ર રજુ કરવામાં
મુકિત આપવામાં આવેલ છે. જેની સબંધકર્તા તમામ પેન્શાનરોએ નોંધ લઇ અમલવારી
કરવા શ્રેયાન તિજોરી અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ જિલ્લામના અગિયાર ગામોની લોક વ્યસવસ્થાનપિત પાણીપુરવઠા યોજનાઓને અપાયેલ વહીવટી મંજૂરી

રાજકોટ,
જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, રાજકોટ(વાસ્મોસ)ની રાજકોટ જિલ્લાઅ કલેકટર
ડો. રાજેન્‍દ્રકુમારની અધ્યિક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં
રાજકોટ જિલ્લા‍ના અગિયાર ગામોની લોક વ્ય વસ્થાલપિત પાણી પુરવઠા યોજનાઓને
વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જયારે ચાર ગામોની રીવાઇઝડ પાણી પુરવઠા
યોજનાઓને પણ આ બેઠકમાં વહીવટી મંજૂરી અપાઇ હતી.
આ બેઠકમાં રાજકોટ તાલુકાના સાતડા ગામની રૂ.૧૧,૭૭,૮૦૦ની રકમની, ઢાંઢણી
ગામની રૂ.૧૨,૯૪,૦૦૦ની રકમની, ડુંગરપુર ગામની રૂ.૫,૯૦,૦૦૦ની રકમની અને
બારવણ ગામની રૂ.૧૪,૭૭,૮૦૦ની રકમની સ્વ,જલધારા પાણી પુરવઠા યોજનાને વહિવટી
મંજૂરી અપાઇ હતી જયારે મોરબી તાલુકાના લાલપર ગામની રૂ.૧૪,૯૫,૮૦૦ની રકમની
અને લખધીરપુર ગામની રૂ.૬,૭૪,૬૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, માળીયા
તાલુકાના રાસંગપર ગામની રૂ.૧,૨૧,૬૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, ટંકારા
તાલુકાના બેડી ગામની રૂ.૧૪,૯૭,૮૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, ગોંડલ
તાલુકાના નાના સખપર ગામની રૂ.૧૩,૭૫,૭૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને,
ઉપલેટા તાલુકાના પડવલા ગામની રૂ.૧૪,૫૪,૮૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને
અને જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામની રૂ.૧,૦૦,૧૪,૧૩૦ની રકમની પાણી પુરવઠા
યોજનાને વહીવટી મંજૂરી અપાઇ હતી. આ કામો પૂર્ણ થતાં કૂલ ૩૧૬૧૫ ની
વસ્તીરને પીવાનું પર્યાપ્ત પાણી મળી શકશે. આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી
નોંધને બહાલી આપવામાં આવી હતી. ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની
રૂ.૧૩,૧૮,૬૦૦ રીવાઇઝડ કિંમતની, મોરબી તાલુકાના જસમતગઢ ગામની રૂ.૪,૨૧,૦૦૦
રીવાઇઝડ કિંમતની, અને પડધરી તાલુકાના સાલપીપળીયા ગામની રૂ.૫,૪૨,૨૯૦
રીવાઇઝડ કિંમતની અને કેરાળા ગામની રૂ. ૧૬,૮૭,૦૮૦ રીવાઇઝડ કિંમતની રીવાઇઝડ
પાણી પુરવઠા યોજનાઓને પણ આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી પી.એમ.ઠાકર, નિવૃત્તા રેન્જમ
ફોરેસ્ટન ઓફિસરશ્રી રાજપરા, યુનિટ મેનેજર શ્રી સી.એમ.વરસાણી, વાસ્મોંના
આસીસ્ટ ન્ટળ કો-ઓર્ડીનેટર્સ, તથા અન્યર સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીનો જુલાઇ-૨૦૧૨ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજકોટ
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા
કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે "ફરિયાદ નિવારણ કાર્યક્રમ" યોજવામાં આવે
છે. જે મુજબ જુલાઇ-૨૦૧૨ માસનો "ફરિયાદ નિવારણ કાર્યક્રમ"
તા.૨૬-૦૭-૨૦૧૨નાં રોજ યોજાશે, જેમાં જિલ્લા કક્ષાનાં પ્રશ્નો- ફરિયાદો
તા. ૧૦-૦૭ -૨૦૧૨ સુધીમાં સબંધિત ખાતા- વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં
જે તે વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં
મથાળે " ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' લખવાનું રહેશે. જયારે તાલુકા કક્ષાનો
ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકામથકે તા.૨૫.૦૭.૨૦૧૨ના રોજ ૧૧.૦૦
કલાકે મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવશે. જેથી તાલુકા કક્ષાના પ્રશ્નોે
તાલુકા કક્ષાએ પહોંચતા કરવાના રહેશે. ગ્રામ સ્વાલગતમાં ગ્રામજનોએ પોતાના
પડતર પ્રશ્નોત/રજૂઆત અંગેની અરજી ''મારી અરજી તાલુકા સ્વાકગતમાં લેવી''
તેવા મથાળા હેઠળ સંબંધિત ગામના તલાટી/મંત્રીશ્રીને સંબોધીને
તા.૧૦.૦૭.૨૦૧૨ સુધીમાં આપવાની રહેશે. ગ્રામ સ્વાાગત કાર્યક્રમમાં
તા.૧૦.૦૭.૨૦૧૨ સુધીની અરજીઓ તા.૨૫.૦૭.૨૦૧૨ના તાલુકા સ્વાસગત કાર્યક્રમમાં
સમાવવાની રહેશે. તા.૧૦.૦૭.૨૦૧૨ પછી મળેલ અરજીઓ બીજા મહિનાના તાલુકા સ્વા
ગત કાર્યક્રમમાં લેવાની રહેશે.
મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો રાજકોટ જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી,
રાજકોટ ખાતે તારીખ તા.૧૦-૦૭-૨૦૧૨ સુધીમાં રજુ કરવાનાં રહેશે. ત્યા ર બાદ
આવેલા પ્રશ્નો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી. અન્ય ખાતાના
પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાને જ મુદત હરોળ રજુ કરવા ખાસ નોંધ
લેવી. જયારે (૧) મહેસુલી તંત્ર (ર) જિલ્લા પંચાયત (૩) પોલીસ વિભાગ (૪)
ગુજરાત વિઘુત બોર્ડ (પ) એસ.ટી. (૬) પાણી પુરવઠા બોર્ડનાં પ્રશ્નો જિલ્લા
કલેકટર કચેરી, રાજકોટ ખાતે તારીખ ૨૬-૦૭-૨૦૧૨નાં રોજ સવારનાં ૧૧.૦૦ કલાકે
કચેરીનાં સભાખંડમાં સંબંધિત ખાતાનાં અધિકારી અને કલેકટરશ્રી સાંભળશે. આ
સિવાયના અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા કલેકટર કચેરી ખાતે થશે નહી. આ
સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની
કચેરીમાં તે જ દિવસે ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધિકારીઓ
પ્રશ્નોનો નિકાલ કરશે. આ તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ
રજૂઆતવાળી, એક કરતા વધુ શાખાનાં પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી,
નામ સરનામા વગરની કે વ્યકિતગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન
હોય તેવી તથા કોર્ટમેટર આંતરિક તકરાર સેવાને લગતી અરજી પર કોઇ કાર્યવાહી
થઇ શકશે નહી જેની અરજદારોએ ખાસ નોંધ લેવી તેમ અધિક કલેકટરશ્રી, રાજકોટ
દ્વારા જણાવાયું છે.

રાજય સરકારે જયોતિગ્રામ યોજના થકી ર૪ કલાક વીજળી આપી ગામડાના વિકાસના દ્વાર ખોલી નાખ્યાગ છે મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા જસદણના જીવાપર ખાતે ૬૬ કે.વી. વિજ સબ સ્ટેવશન અને રૂ. ૩૫/-લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ કરતા ગ્રામ વિકાસ મંત્ર

રાજકોટ
ગુજરાતના ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ આજે રાજકોટ
જિલ્લાૃના જસદણ તાલુકાના જીવાપર ગામે ત્રિવિધ કાર્યક્રમોની શ્રૃંખલામાં
અહીં ગુજરાત એનર્જી ટ્રાન્સકમીશન કોર્પો. દ્વારા સ્થા્પિત ૬૬ કે.વી. વિજ
સબ સ્ટેલશનનું લોકાર્પણ કર્યુ હતું અને બાદમાં આજે ગુરુપૂર્ણિમાના
શુભદિને ગામમાં રૂ. ૩૫/ લાખના ખર્ચે પૂનઃ નિર્મિત થયેલ પ્રાથમિક શાળાના
ભવનનું લોકાર્પણ વિશાળ સંખ્યાામાં ગ્રામજનો અને તાલુકાના અગ્રણીઓની
ઉપસ્થિિતિમાં કર્યુ હતુ. આ ઉપરાંત અહિં જળસ્ત્રા વ વીકાસ યોજના અંતર્ગત
ગ્રામજનોને પાણીની સુવિધા પુરી પાડવા ગામમાં બંધાયેલ પાણીના ટાંકાનું
લોકાર્પણ મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ કર્યુ હતું. આવા ત્રિવિધ પ્રસંગે
ગામમાં ભારે ઉત્સાંહનું વાતાવરણ પ્રવર્તતુ હતું.
મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ ૬૬ કે.વી. વિજ સબ સ્ટે્શનનું લોકાર્પણ
કરતા જણાવ્યુા હતુ કે ભૂતકાળમાં ગામડાના લોકો અંધારે વાળુ કરતા હતા અને
વિજળીની સુવિધા માટે તેઓની વર્ષો સુધીની પ્રતિક્ષા પછી મુખ્યનમંત્રીશ્રી
નરેન્દ્ર ભાઇ મોદીએ જયોતિગ્રામ યોજના હેઠળ ગામડાને ર૪ કલાક વીજળી આપવાનું
અભિયાન ઉપાડી માત્ર ૧૦૦૦ દિવસમાં રાજયના તમામ ૧૮ હજાર ગામડાઓમાં ર૪ કલાક
વીજળી પુરી પાડી ગામડાના અંધારા ઉલેચી તેના વિકાસના દ્વાર ખોલી નાખ્યાો
છે. જીવાપર ગામમાં નવનિર્મિત શાળાના લોકાર્પણને આજના ગુરુપુર્ણિમાના
મંગલ-દિને સાર્થક ગણાવી બાળકોને ભણાવવા તેમજ કોઇપણ સંજોગોમાં દિકરીને
ભણાવવાની સાથોસાથ દિકરા-દિકરીને સમાન ગણી તેઓને સમાન તકો આપવા વાલીઓને
અનુરોધ કર્યો હતો. સ્ત્રીલભૃણ હત્યાગ થાય નહિ તે માટે પ્રતિબધ્ધર બનવા
અનુરોધ કર્યો હતો.
જસદણના ધારાસભ્યોશ્રી ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યુય હતુ કે ભૂતકાળમાં જસદણ
તાલુકાનાં ખેડુતો લો-વોલ્ટે જની સમસ્યાયઓથી ખૂબજ મુશ્કેઇલી અનુભવતા હતા
તેમાંથી આ રાજય સરકારની જહેમતથી છુટકારો મળ્યો છે. ભૂતકાળમાં ૪૦ વર્ષમાં
આ વિસ્તા રમાં માત્ર ૬૬ કે.વી.ના ૪ સબસ્ટેેશનો હતા જે આજે વધીને ૬ વિજ
સબસ્ટેાશનો થયા છે. આથી હવે ખેડુતોને પુરતા દબાણથી વીજળી મળે છે અને
ખેડુતોને ભુતકાળની જેમ આંદોલન કરવા પડતા નથી. ગુજરાત સરકારે જસદણ તાલુકા
વિસ્તાીરમાં કૂલ ૪૦૦ કરોડના વિકાસ કામો મંજુર કર્યા છે. જે પ્રગતિમાં છે
અને કેટલાક પૂર્ણ થયા છે. જિલ્લા૦ પંચાયત સહિતની યોજનાઓ હેઠળ કૂલ રૂ.
૧૭૦/ કરોડ વિકાસ કામો માટે ફાળવાયેલ છે. તેમણે ગામની નવનિર્મિત શાળાના
ભવ્યત ભવનના સદકાર્યને બિરદાવી આ ગામના આગેવાન અને જિલ્લાક પંચાયત
સદસ્યેશ્રી ભીખાભાઇ રોકડ તેમજ ગામની ટીમને બીરદાવ્યાવ હતા. ગામની આ
નવનિર્મિત શાળાના વિદ્યાર્થીઓને રમતગમત પ્રવૃતિ માટે રૂ. ૧/ લાખના સાધનો
આપવાની જાહેરાત તેમના તરફથી થઇ હતી.
આ પ્રસંગે જિલ્લાે પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેગી તેમજ ઉપપ્રમુખશ્રી
પ્રવિણભાઇ કીયાડાએ પ્રાસંગિક ઉદબોધન કરી શાળાના નવીનીકરણ અને શૈક્ષણિક
પ્રગતિ બદલ ગામ આગેવાનોને બિરદાવ્યા હતા. જિલ્લાવ પંચાયત કારોબારી
સમિતિના ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડાએ જણાવ્યું હતુ કે રાજકોટ જિલ્લાત
પંચાયતે પારદર્શક વહિવટ પધ્ધતતિથી વિકાસ કામોને વેગ આપ્યો્ છે. જીવાપરની
આ શાળામાં ખાનગી શાળામાં ન હોય તેવી સુવિધા ઉભી કરી તે બદલ ગામના
આગવાનોને બિરદાવ્યા‍ હતા. જિલ્લાા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાિયે
પ્રાસંગિક ઉદબોધનમાં શાળામાં બાળકોને દાખલ કરવા ઉપરાંત શાળાનું શૈક્ષણિક
મુલ્યાં કન ઉત્તરોતર ઉચું આવે તથા બાળકની કારકીર્દી ખીલે તે ઉપર ભાર
મુકયો હતો. શ્રી દેવસીભાઇ ટાઢાણી પણ આ પ્રસંગે ઉપસ્થિઆત રહ્યા હતા. આ
પ્રસંગે ગામના આગેવાન અને જિલ્લાહ પંચાયત સદસ્યમશ્રી ભીખાભાઇ રોકડનું
મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાના હસ્તેગ ઉત્કૃાષ્ઠચ ગ્રામ-સેવા બદલ
સન્માનન કરાયું હતું. ગામના સરપંચશ્રી રેખાબેન બોદરનું પણ સન્મારન
તાડીઓના ગડગડાટ વચે મહાનુભાવોના હસ્તેઠ કરાયું હતું. જયારે પ્રાથમિક
શિક્ષક સંધના પ્રમુખશ્રી રતુભાઇ ચાવડાનું પણ સન્માગન કરાયું હતું.
સ્વાાગત પ્રવચન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યાક્ષા શ્રીમતિ મધુબેન
હીરપરાએ કર્યુ હતું. આભારદર્શન જિલ્લા પ્રા.શિ.અધિકારીશ્રી ચેતનાબેન
વ્યા સે કર્યુ હતું.
રાજકોટ જિલ્લા્ પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યાક્ષશ્રીઓ તેમજ જિલ્લાા
પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યલશ્રીઓ તેમજ જસદણ શહેર અને તાલુકાના
આગવાનો અને જીવાપરના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિરત રહ્યા હતા. મોટી
સંખ્યાનમાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિંત રહ્યા હતા.
આ પ્રસંગે જેટકોના અધિક્ષક ઇજનેરશ્રી એ.આર.શાહ તેમજ નાયબ જિલ્લાર વિકાસ
અધિકારીશ્રીઓ શ્રી રાજપરા તથા શ્રી ધાનાણી તેમજ તાલુકાના અધિકારીશ્રીઓ
ઉપસ્થિ્ત રહ્યા હતા.

રેસકોર્ષ ગ્રાઉન્ડ માં તા. ૮મી ઓગસ્ટી થી તા. ૧૨મી ઓગસ્ટર સુધી સાંસ્કૃેતિક લોકમેળાનું આયોજન જિલ્લા્ કલેકટર ડો. રાજેન્દ્રગકુમારનાં અધ્ય ક્ષસ્થા૧ને મળેલી બેઠક

રેસકોર્ષ ગ્રાઉન્ડ માં તા. ૮મી ઓગસ્ટી થી તા. ૧૨મી ઓગસ્ટર સુધી
સાંસ્કૃેતિક લોકમેળાનું આયોજન
જિલ્લા્ કલેકટર ડો. રાજેન્દ્રગકુમારનાં અધ્ય ક્ષસ્થા૧ને મળેલી બેઠક

રાજકોટ
રાજકોટ જિલ્લાા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે જન્માુષ્ટતમીના તહેવારોને
અનુલક્ષીને યોજાતા સાંસ્કૃકતિક લોકમેળાનું ચાલુ વર્ષે રેસકોર્સ મેદાનમાં
તા. ૮મી ઓગસ્ટટ થી તા. ૧૨મી ઓગસ્ટ એમ કૂલ પાંચ દિવસ માટે આયોજન થયું છે.
જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રતકુમારના અધ્ય ક્ષસ્થાગને લોકમેળાના સુંદર
અને વ્યઆવસ્થિ્ત આયોજન માટે ચર્ચા-વિચારણા કરવા આજ-રોજ એક બેઠક મળી હતી.
જિલ્લામ કલેકટરશ્રીએ સાંસ્કૃવતિક લોકમેળાનું આયોજન કરવા માટે રચાયેલી
જુદી જુદી ૧૩ (તેર) સમિતિઓના અધ્યલક્ષશ્રીઓ અને સહઅધ્યકક્ષશ્રીઓની મળેલી
બેઠકમાં કાયદો વ્યાવસ્થા , ટ્રાફીક અને પાર્કીગ, યાંત્રિક રાઇડ ચકાસણી,
પાણી પૂરવઠો, સફાઇ, આરોગ્યક, વીજળી તથા ડ્રો-હરરાજી, ઉદધાટન કાર્યક્રમ
અને સાસ્કૃષતિક કાર્યક્રમો વગેરે આનુષિગીક બાબતોની કામગીરીનું સુનિશ્ચિ ત
આયોજન કરવા દરેક વિભાગ અને ખાતાએ પોતે શરૂ કરેલી કામગીરીની વિગતો સાથે
આગામી યોજાનારી રીવ્યુ બેઠકમાં વિગતો સાથે ઉપસ્થિતત રહેવા જણાવ્યુૂ
હતું.
બેઠકની શરૂઆતમાં નાયબ કલેકટરશ્રી રાજેન્દ્રી ગઢવીએ સૌને આવકારી બેઠકની
રૂપરેખા સમજાવી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી આર.એમ.પંડયા, જિલ્લાા પુરવઠા અધિકારીશ્રી
એમ.કે.ડામોર,જિલ્લાર શિક્ષણાધિકારીશ્રી જે.કે.વીછીયા, માર્ગ અને મકાન
વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એમ.પી.ત્રિવેદી, જિલ્લાિ આયોજન અધિકારીશ્રી
પી.આર.શાહ વગેરે અધિકારીશ્રીઓ ઉપસ્થિ ત રહ્યા હતા.

"કંટાળાનું મનોવિજ્ઞાન -PSYCHOLOGY OF BOREDOM" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "કંટાળાનું મનોવિજ્ઞાન -PSYCHOLOGY OF BOREDOM" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by i.j.saiyad.:
કંટાળાનું મનોવિજ્ઞાન ( psychology of Boredom )


કંટાળો આવવો કે BOREDOM એ આજના યુગની સર્વને સ્પર્શતી સમસ્યા બનતી જાય
છે .આજે આપણે એવા યુ...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A145470&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

કોઈ આકાશને ધ્રુસકે ધ્રુસકે રડાવો

કોઈ આકાશને ધ્રુસકે ધ્રુસકે રડાવો

વરિષ્ઠ અને તેમ છતાં પ્રમાણિક પત્રકાર અને ઉંચા દરજ્જાના લેખક-કવિ અનિલ
દેવપુરકરે આકાશને 'રડાવવા' એક લેખ લખ્યો..જે ફેસબુકના માધ્યમથી વાચકો
વચ્ચે ફરતો થયો. શબ્દેશબ્દ પર ગૌર ફરમાવવા જેવું છે. કારણ આવા
સાહિત્યસભર લેખ હવે જવલ્લે જ વાંચવા મળે છે. પ્રિન્ટ મીડિયા જે ગુમાવે છે
એ સોશિયલ મીડિયા મેળવી શકે છે એ સારી નિશાની છે. અનિલ દેવપુરકરના લેખનું
શિર્ષક છે : કોઈ આકાશને ધ્રુસકે ધ્રુસકે રડાવો..
મંગળવારે સવારથી વડોદરાના આકાશમાં છવાયેલા વરસાદી વાદળો સુધી આ શબ્દો
પહોંચ્યા હોત તો જાતે જ રડી પડ્યા હોત !!!
ખેડાઈને નિષ્પ્રાણ પડેલાં ખેતરો, આકાશમાંથી લૂ વરસાવતી ગરમી,ધુળના ઢગ
ઊડાડતાં ઉષ્ણ પવનની થપાટો અને વવાઈને ભરચક ડૂંડા થવાનું શમણું આંખોમાં
આંજીને પ્લાસ્ટીકની થેલીઓમાં ગૂંગળાઈ રહેલાં બિયારણો….
આકાશની છાતી ફાડીને અનંત વાદળોની ફોજે જ્યારે ધરતી પર મુશળધાર વરસાદરુપે
તૂટી પડવાનું હોય ત્યારે અષાઢના આ દિવસોમાં પણ આ સ્થિતી છે. જગતના તાતથી
માંડી તાજા જન્મેલાં નવજાત સુધીના તમામ જ્યારે ભીની માટીની સુગંઘ માણવા
ટળવળી રહ્યાં છે ત્યારે આકાશ આખું વિધવાની સેંથી જેવુ કોરુ ધાક્કોડ છે….
કાનના પડદા ફાટી જાય એવા વાદળોના ગડગડાટ અને ક્ષણ માટે પણઆંખો અંજાઈ જાય
એવા વીજળીના ચમકારાઓની જુગલબંધીની મોસમમાં રિસાઈને બેઠેલી ઋતુએ મેઘમલ્હાર
ગાવાનું માંડવાળ કર્યું છે…
વિકાસની આંધળી દોટે સર્જલી પર્યાવરણીય સમસ્યાનું આ તો હજી ટ્રેલર
છે.સુખસગવડોનાં સાધનોની સહજ અને સસ્તી ઉપલબ્ધીથી માનવીય જીવનનાં કષ્ટોમાં
કદાચ કપાત આવશે પરંતુ,સમૃધ્ધિના શિખરો પર બેસીને પણ કુદરતી મહેરબાની જેવા
વરસાદ માટે લાચારીથી જોયા કરવાનું તો માનવીના લલાટે લખાયેલું રહેશે.
વિકાસના સિક્કાની આ બીજી બાજુ છે.
ઋતુચક્ર ખોટકાઈ જાય અને કુદરતી સમતોલપણું ખોરવાઈ જાય એવી અનેક પ્રવ્રુતિઓ
કરીને આપણે સરજેલી આ સ્થિતીનીકિંમત આપણે જ ચૂકવી રહ્યા છીએ- અને આપણને એ
પરવડે એવી નથી એ એટલું જ સત્ય છે.
ઉષ્ણતામાનમાં વધારાથી બરફીલા પહાડો ઓગળી રહ્યા છે.રાસાયણિક ખાતરોના અણઘડ
અને અમાપઉપયોગને લીધે ધરતી એનું સત્વ ખોઈ રહી છે.રાસાયણિક પ્રક્રિયાના
ભાગરુપે વાતાવરણમાં ભળી રહેલાં ઝેરી વાયુઓએ કુદરતી શુધ્ધ વાયુઓને પણ
અભડાવી મુક્યાં છે.ગંદકી અને દૂષિત પાણીના નિકાલ કરીને કુદરતી
જળસ્ત્રોતોને પણ ગૂંગળાવી માર્યા છે અને ઈંધણરુપીઅ અગ્નિના ઉપયોગનો
અતિરેક કરી નાંખ્યો છે. પંચતત્વનાં ચાર-ચાર તત્વોનાં મુળમાં જ જ્યારે
કૂઠારાઘાત થયાં હોય ત્યારે પાંચમુ આકાશતત્વ વિલાપ ન કરે તો શું કર? અને
આકાશ જ્યારે વિલાપ કરે છે ત્યારે એની આંખના આંસુ સુકાઈ જાય છે.આકાશ
જ્યારે સુખ અનુભવે છે-આનંદિત થાય છે-હસે છે ત્યારે એની આંખોથી મુશળધાર
વરસાદ તૂટી પડે છે.
આવો આપણે આકાશને ધ્રુસકે ધ્રુસકે રડાવીએ.
-અનિલ દેવપુરકર.

- ઇન્દીરા ગાંધીએ ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને ગરીબ અને શ્રમજીવી વર્ગને બેંકમાં પ્રવેશવાનો અધિકાર આપ્યો હતો. - આ પગલાના કારણે બીજા દેશોની સરખામણીમાં ભારત દેશ મંદીના મારથી બાહર નીકળી શક્યો છે. - બેંકીંગ સેલ દ્વારા વિદ્યાર્થીઓને લોન લેવા માટેની જાણકાર

kashyap joshi jetpur

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812



NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812