રાજકોટ
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા
કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે "ફરિયાદ નિવારણ કાર્યક્રમ" યોજવામાં આવે
છે. જે મુજબ જુલાઇ-૨૦૧૨ માસનો "ફરિયાદ નિવારણ કાર્યક્રમ"
તા.૨૬-૦૭-૨૦૧૨નાં રોજ યોજાશે, જેમાં જિલ્લા કક્ષાનાં પ્રશ્નો- ફરિયાદો
તા. ૧૦-૦૭ -૨૦૧૨ સુધીમાં સબંધિત ખાતા- વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં
જે તે વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં
મથાળે " ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' લખવાનું રહેશે. જયારે તાલુકા કક્ષાનો
ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકામથકે તા.૨૫.૦૭.૨૦૧૨ના રોજ ૧૧.૦૦
કલાકે મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવશે. જેથી તાલુકા કક્ષાના પ્રશ્નોે
તાલુકા કક્ષાએ પહોંચતા કરવાના રહેશે. ગ્રામ સ્વાલગતમાં ગ્રામજનોએ પોતાના
પડતર પ્રશ્નોત/રજૂઆત અંગેની અરજી ''મારી અરજી તાલુકા સ્વાકગતમાં લેવી''
તેવા મથાળા હેઠળ સંબંધિત ગામના તલાટી/મંત્રીશ્રીને સંબોધીને
તા.૧૦.૦૭.૨૦૧૨ સુધીમાં આપવાની રહેશે. ગ્રામ સ્વાાગત કાર્યક્રમમાં
તા.૧૦.૦૭.૨૦૧૨ સુધીની અરજીઓ તા.૨૫.૦૭.૨૦૧૨ના તાલુકા સ્વાસગત કાર્યક્રમમાં
સમાવવાની રહેશે. તા.૧૦.૦૭.૨૦૧૨ પછી મળેલ અરજીઓ બીજા મહિનાના તાલુકા સ્વા
ગત કાર્યક્રમમાં લેવાની રહેશે.
મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો રાજકોટ જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી,
રાજકોટ ખાતે તારીખ તા.૧૦-૦૭-૨૦૧૨ સુધીમાં રજુ કરવાનાં રહેશે. ત્યા ર બાદ
આવેલા પ્રશ્નો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી. અન્ય ખાતાના
પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાને જ મુદત હરોળ રજુ કરવા ખાસ નોંધ
લેવી. જયારે (૧) મહેસુલી તંત્ર (ર) જિલ્લા પંચાયત (૩) પોલીસ વિભાગ (૪)
ગુજરાત વિઘુત બોર્ડ (પ) એસ.ટી. (૬) પાણી પુરવઠા બોર્ડનાં પ્રશ્નો જિલ્લા
કલેકટર કચેરી, રાજકોટ ખાતે તારીખ ૨૬-૦૭-૨૦૧૨નાં રોજ સવારનાં ૧૧.૦૦ કલાકે
કચેરીનાં સભાખંડમાં સંબંધિત ખાતાનાં અધિકારી અને કલેકટરશ્રી સાંભળશે. આ
સિવાયના અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા કલેકટર કચેરી ખાતે થશે નહી. આ
સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની
કચેરીમાં તે જ દિવસે ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધિકારીઓ
પ્રશ્નોનો નિકાલ કરશે. આ તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ
રજૂઆતવાળી, એક કરતા વધુ શાખાનાં પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી,
નામ સરનામા વગરની કે વ્યકિતગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન
હોય તેવી તથા કોર્ટમેટર આંતરિક તકરાર સેવાને લગતી અરજી પર કોઇ કાર્યવાહી
થઇ શકશે નહી જેની અરજદારોએ ખાસ નોંધ લેવી તેમ અધિક કલેકટરશ્રી, રાજકોટ
દ્વારા જણાવાયું છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 3 જુલાઈ, 2012
મુખ્યમંત્રીશ્રીનો જુલાઇ-૨૦૧૨ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો