રાજકોટ
ગુજરાતના ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ આજે રાજકોટ
જિલ્લાૃના જસદણ તાલુકાના જીવાપર ગામે ત્રિવિધ કાર્યક્રમોની શ્રૃંખલામાં
અહીં ગુજરાત એનર્જી ટ્રાન્સકમીશન કોર્પો. દ્વારા સ્થા્પિત ૬૬ કે.વી. વિજ
સબ સ્ટેલશનનું લોકાર્પણ કર્યુ હતું અને બાદમાં આજે ગુરુપૂર્ણિમાના
શુભદિને ગામમાં રૂ. ૩૫/ લાખના ખર્ચે પૂનઃ નિર્મિત થયેલ પ્રાથમિક શાળાના
ભવનનું લોકાર્પણ વિશાળ સંખ્યાામાં ગ્રામજનો અને તાલુકાના અગ્રણીઓની
ઉપસ્થિિતિમાં કર્યુ હતુ. આ ઉપરાંત અહિં જળસ્ત્રા વ વીકાસ યોજના અંતર્ગત
ગ્રામજનોને પાણીની સુવિધા પુરી પાડવા ગામમાં બંધાયેલ પાણીના ટાંકાનું
લોકાર્પણ મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ કર્યુ હતું. આવા ત્રિવિધ પ્રસંગે
ગામમાં ભારે ઉત્સાંહનું વાતાવરણ પ્રવર્તતુ હતું.
મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ ૬૬ કે.વી. વિજ સબ સ્ટે્શનનું લોકાર્પણ
કરતા જણાવ્યુા હતુ કે ભૂતકાળમાં ગામડાના લોકો અંધારે વાળુ કરતા હતા અને
વિજળીની સુવિધા માટે તેઓની વર્ષો સુધીની પ્રતિક્ષા પછી મુખ્યનમંત્રીશ્રી
નરેન્દ્ર ભાઇ મોદીએ જયોતિગ્રામ યોજના હેઠળ ગામડાને ર૪ કલાક વીજળી આપવાનું
અભિયાન ઉપાડી માત્ર ૧૦૦૦ દિવસમાં રાજયના તમામ ૧૮ હજાર ગામડાઓમાં ર૪ કલાક
વીજળી પુરી પાડી ગામડાના અંધારા ઉલેચી તેના વિકાસના દ્વાર ખોલી નાખ્યાો
છે. જીવાપર ગામમાં નવનિર્મિત શાળાના લોકાર્પણને આજના ગુરુપુર્ણિમાના
મંગલ-દિને સાર્થક ગણાવી બાળકોને ભણાવવા તેમજ કોઇપણ સંજોગોમાં દિકરીને
ભણાવવાની સાથોસાથ દિકરા-દિકરીને સમાન ગણી તેઓને સમાન તકો આપવા વાલીઓને
અનુરોધ કર્યો હતો. સ્ત્રીલભૃણ હત્યાગ થાય નહિ તે માટે પ્રતિબધ્ધર બનવા
અનુરોધ કર્યો હતો.
જસદણના ધારાસભ્યોશ્રી ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યુય હતુ કે ભૂતકાળમાં જસદણ
તાલુકાનાં ખેડુતો લો-વોલ્ટે જની સમસ્યાયઓથી ખૂબજ મુશ્કેઇલી અનુભવતા હતા
તેમાંથી આ રાજય સરકારની જહેમતથી છુટકારો મળ્યો છે. ભૂતકાળમાં ૪૦ વર્ષમાં
આ વિસ્તા રમાં માત્ર ૬૬ કે.વી.ના ૪ સબસ્ટેેશનો હતા જે આજે વધીને ૬ વિજ
સબસ્ટેાશનો થયા છે. આથી હવે ખેડુતોને પુરતા દબાણથી વીજળી મળે છે અને
ખેડુતોને ભુતકાળની જેમ આંદોલન કરવા પડતા નથી. ગુજરાત સરકારે જસદણ તાલુકા
વિસ્તાીરમાં કૂલ ૪૦૦ કરોડના વિકાસ કામો મંજુર કર્યા છે. જે પ્રગતિમાં છે
અને કેટલાક પૂર્ણ થયા છે. જિલ્લા૦ પંચાયત સહિતની યોજનાઓ હેઠળ કૂલ રૂ.
૧૭૦/ કરોડ વિકાસ કામો માટે ફાળવાયેલ છે. તેમણે ગામની નવનિર્મિત શાળાના
ભવ્યત ભવનના સદકાર્યને બિરદાવી આ ગામના આગેવાન અને જિલ્લાક પંચાયત
સદસ્યેશ્રી ભીખાભાઇ રોકડ તેમજ ગામની ટીમને બીરદાવ્યાવ હતા. ગામની આ
નવનિર્મિત શાળાના વિદ્યાર્થીઓને રમતગમત પ્રવૃતિ માટે રૂ. ૧/ લાખના સાધનો
આપવાની જાહેરાત તેમના તરફથી થઇ હતી.
આ પ્રસંગે જિલ્લાે પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેગી તેમજ ઉપપ્રમુખશ્રી
પ્રવિણભાઇ કીયાડાએ પ્રાસંગિક ઉદબોધન કરી શાળાના નવીનીકરણ અને શૈક્ષણિક
પ્રગતિ બદલ ગામ આગેવાનોને બિરદાવ્યા હતા. જિલ્લાવ પંચાયત કારોબારી
સમિતિના ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડાએ જણાવ્યું હતુ કે રાજકોટ જિલ્લાત
પંચાયતે પારદર્શક વહિવટ પધ્ધતતિથી વિકાસ કામોને વેગ આપ્યો્ છે. જીવાપરની
આ શાળામાં ખાનગી શાળામાં ન હોય તેવી સુવિધા ઉભી કરી તે બદલ ગામના
આગવાનોને બિરદાવ્યા હતા. જિલ્લાા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાિયે
પ્રાસંગિક ઉદબોધનમાં શાળામાં બાળકોને દાખલ કરવા ઉપરાંત શાળાનું શૈક્ષણિક
મુલ્યાં કન ઉત્તરોતર ઉચું આવે તથા બાળકની કારકીર્દી ખીલે તે ઉપર ભાર
મુકયો હતો. શ્રી દેવસીભાઇ ટાઢાણી પણ આ પ્રસંગે ઉપસ્થિઆત રહ્યા હતા. આ
પ્રસંગે ગામના આગેવાન અને જિલ્લાહ પંચાયત સદસ્યમશ્રી ભીખાભાઇ રોકડનું
મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાના હસ્તેગ ઉત્કૃાષ્ઠચ ગ્રામ-સેવા બદલ
સન્માનન કરાયું હતું. ગામના સરપંચશ્રી રેખાબેન બોદરનું પણ સન્મારન
તાડીઓના ગડગડાટ વચે મહાનુભાવોના હસ્તેઠ કરાયું હતું. જયારે પ્રાથમિક
શિક્ષક સંધના પ્રમુખશ્રી રતુભાઇ ચાવડાનું પણ સન્માગન કરાયું હતું.
સ્વાાગત પ્રવચન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યાક્ષા શ્રીમતિ મધુબેન
હીરપરાએ કર્યુ હતું. આભારદર્શન જિલ્લા પ્રા.શિ.અધિકારીશ્રી ચેતનાબેન
વ્યા સે કર્યુ હતું.
રાજકોટ જિલ્લા્ પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યાક્ષશ્રીઓ તેમજ જિલ્લાા
પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યલશ્રીઓ તેમજ જસદણ શહેર અને તાલુકાના
આગવાનો અને જીવાપરના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિરત રહ્યા હતા. મોટી
સંખ્યાનમાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિંત રહ્યા હતા.
આ પ્રસંગે જેટકોના અધિક્ષક ઇજનેરશ્રી એ.આર.શાહ તેમજ નાયબ જિલ્લાર વિકાસ
અધિકારીશ્રીઓ શ્રી રાજપરા તથા શ્રી ધાનાણી તેમજ તાલુકાના અધિકારીશ્રીઓ
ઉપસ્થિ્ત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો