અનુયાયીઓ

મંગળવાર, 3 જુલાઈ, 2012

લાલપુરના વિજયપુરમાં રૂ.૫.૩૫ લાખના ખર્ચે પાણી પુરવઠાના કામો થશે

વાસ્મો યોજના અંતર્ગત લાલપુર તાલુકાના વિજયપુર ગામે રૂ.૫.૩૫ લાખની ખર્ચે
પીવાના પાણીની સુવિધા માટે વિકાસકામો હાથ ધરાશે. જામનગર જિલ્લા જળ અને
સ્વચ્છતા સમિતિની તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ બેઠકમાં આ કામોને બહાલી
આ૫વામાં આવી છે. વાસ્મો યોજના અંતર્ગત ૧૦ ટકા લોકફાળો ગ્રામજનોએ ભરવાનો
થાય છે. આ વિકાસકામોમાં પંપીગ મશીનરી, પં૫ હાઉસ, ઉંચી ટાંકીની મરામત,
પાણી વિતરણ પાઇપ લાઇન, અવેડાનું સમારકામ સહિતના કામોનો સમાવેશ થાય છે.

ટિપ્પણીઓ નથી: