ગાંધીનગરઃ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આંતરરાષ્ટ્રીય પ્રતિભાને ""આપણો
ભેરૂબંધ નરેન્દ્રમોદી'' પુસ્તક દ્વારા પ્રજા સમક્ષ મૂકવાનું આવકારપાત્ર
કાર્ય થયું છે તેમ નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું છે.
ર્ડા. જશભાઇ પટેલ લિખિત ""આપણો ભેરૂબંધ નરેન્દ્રમોદી'' પુસ્તકનું
ગાંધીનગર ખાતે વિમોચન કરતાં નાણાંમંત્રીશ્રી એ કહયું કે, મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળનું ગતિશીલ વહીવટી તંત્ર અને તેમના સબળ
રાજનૈતિક માર્ગદર્શનના પરિણામે રાજયના છેવાડાના નાગરિકો સુધી પ્રજાલક્ષી
યોજનાઓ સફળતાપૂર્વક પહોંચી છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય
સંસ્કૃતિના સંસ્કાર સંવર્ધનની સાથોસાથ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી
ગુજરાતનો વિકાસ કરવાનો ઉમદા સંકલ્પ રાખ્યો છે જે પરિણામલક્ષી બન્યો છે.
લેખકનું કાર્ય સંસ્કારી સમાજનું ધડતર કરવાનું છે તેમાટે લખવાનું છે તેમ
ભારપૂર્વક જણાવી મંત્રી શ્રી વજુભાઇ વાળાએરાજ્યમાં અમલી બનેલી સરકારની
કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત ઝલક આપી હતી. તેમણે ગુજરાતમાં મહિલા
શશક્તિકરણ માટે થઇ કરેલાં પ્રેરણાદાયી કાર્યોની રૂપરેખા આપીને
પુરાતનકાળના ઐતિહાસિક સ્ત્રીપાતરોમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
ર્ડા. જશભાઇ પટેલને પુસ્તકના સર્જન બદલ હાર્દિક અભિનંદન પાઠવીને મંત્રી
શ્રી વજુભાઇ વાળાએ ગુજરાત ગ્રામીણ પ્રજા સમક્ષ રાજ્ય સરકારની કલ્યાણકારી
યોજનાઓ પહોંચાડવાના માધ્યમ આ પુસ્તક બની રહેશે.
યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ વાધેલાએ રાજ્યનું
વહીવટી તંત્ર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતની ગ્રામીણ
પ્રજા એમ ત્રણ આયામોને પુસ્તકના સ્વરૂપમાં ઉતરાવવાના લેખકના સફળ પ્રયાસ
બદલ અભિનંદન આપીને વિવિધ યોજનાઓનો લાભ ગ્રામીણ પ્રજા સમક્ષ પહોંચાડવાના
ઉત્તમ માધ્યમ તરીકે આ પુસ્તક વિશાળ વહીવટી તંત્ર માટે પ્રસ્તુત નીવડશે જ
એવી શ્રધ્ધા સાથે લેખકને અભિનંદન પાઠવ્યા હતા.
લેખક શ્રી જશભાઇ પટેલે કહ્યું કે શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા
થતી કામગીરી, યોજનાઓ અને પ્રજાલક્ષી કાર્યોનો હું પ્રત્યક્ષ સાક્ષી બન્યો
છું. આ ભગીરથ કાર્યકર્તા-વિચારદૃષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી
વિશે લેખ લખી ભૂમિકા આપીને વિવિધ યોજનાઓનો લાભ મેળવનારા છેવાડાના
લાભાર્થીઓ માટે તો ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સૌના ભેરુબંધ છે તેવી
પુસ્તકના શીર્ષકની યથાર્થતા સમજાવી હતી તથા છેલ્લા દશ વર્ષમાં ગુજરાત
વિકાસ-પ્રગતિ અને સમૃદ્ધિ એ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળના રાજ્ય
સરકારનું ઉમદા પરિણામ તેમ જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને પુસ્તકનો રસાસ્વાદ કરાવતાં શ્રી
દિનેશ દેસાઇએ સમગ્ર સંચયમાં રજૂ થયેલી તમામ વાર્તાઓ વાંચકો- ભાવકોને
વાંચવામાં-માણવામાં રસપ્રદ નીવડશે તેમ જણાવી ચરોતરની ગ્રામ પરિવેશમાંથી
આવતાં લેખકની ચરોતરની ભાષાશૈલીમાં સ્વયં ખીલી ઉઠેલી વર્તાઓ અને ગ્રામીણ
પરિવેશમાં આકાર લેતી ધટનાઓને ઊંડી આંતરસૂઝથી શબ્દસ્થ કરીને આકારબધ્ધ
કરવાના ર્ર્ડા. જશભાઇના કાર્ય બદલ અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે શ્રી શાંતુભાઇ પટેલ, નીરવ પ્રકાશન, અમદાવાદ શ્રી નીરવ શાહ,
મદદનીશ જનસંપર્ક અધિકારી શ્રી હિતેશભાઇ પંડયા સહિત અધિકારીઓ-સાહિત્યરસિકો
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભારદર્શન શ્રી
હેમલભાઇ વ્યાસે કર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો