શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી પી. એ. સંગમા ખાસ મહેમાન તરીકે સંબોધન કરશે
ઇન્ડિયન નેશનલ આર્મી ડે (INA-DAY) ૬ ઠ્ઠી જુલાઇ ર૦૧રના રોજ અમદાવાદમાં
નેતાજી સુભાષ બોઝ સ્થાપિત આઝાદ હિન્દ ફોજની સ્મૃતિમાં "વીરત્વ કી યાદમે'
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નેતાજી સુભાષ બોઝ-INA ટ્રસ્ટના ઉપક્રમે અમદાવાદના ટાગોર હોલમાં શુક્રવાર
૬ ઠ્ઠી જુલાઇની સાંજે યોજાનારા આ રાષ્ટ્રભકત આઝાદીના વીરસપૂતોની યાદમાં
કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અતિથિ વિશેષ
તરીકે અને લોકસભાના પૂર્વ અધ્યક્ષશ્રી પી. એ. સંગમા મુખ્યમહેમાન પદે તથા
વિધાનસભા અધ્યક્ષશ્રી ગણપતભાઇ વસાવા, આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી મંગુભાઇ
પટેલ, યુવા-સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓના મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલા પણ
રાષ્ટ્રના વીર શહિદોને શ્રધ્ધાંજલિ અર્પતા પ્રેરક ઉદ્દબોધન કરશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો