ગાંધીનગરઃ
બોઇલર પરિચર(એટેન્ડન્ટ) વર્ગ-૧ અને વર્ગ-ર તથા બોઇલર ઓપરેશન એન્જીનીયરની
પરીક્ષા તા. ૧૩-૧૦-ર૦૧રથી યોજાનાર છે. રાજ્યની તમામ વિભાગીય નાયબ/મદદનીશ
નિયામકની કચેરીઓ તથા અમદાવાદ ખાતેની વડી કચેરીએથી નિયત અરજીપત્રકો તારીખ
૧૩-૭-ર૦૧ર થી તા. ૧૪-૮-ર૦૧ર સુધી વિનામૂલ્યે મળી શકશે. પરીક્ષા આપવા
લાયકાત ધરાવતા ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્થાઓમાં નોકરી કરતા ઇચ્છુક
વ્યક્તિઓએ તારીખ ૧૪-૮-ર૦૧ર સુધીમાં કામકાજના દિવસોમાં અમદાવાદ ખાતેની
કચેરી, ૪થો માળ, શ્રમ ભવન, રૂસ્તમ કામા માર્ગ, ગનહાઉસની બાજુમાં ખાનપુર,
અમદાવાદ-૩૮૦૦૦૧ને નિયત અરજી મોકલી આપવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો