અનુયાયીઓ

શનિવાર, 15 નવેમ્બર, 2014

જેતલસર પંથકના 10 ગામોના ખેડૂતો કાલે સંબંધિતોને આવેદન આપશે

વીજ કર્મીઓની કનડગતના વિરોધમાં 
જેતલસર પંથકના 10 ગામોના ખેડૂતો કાલે સંબંધિતોને આવેદન આપશે
(કશ્યપ જોશી ) જેતલસર તા.15
જેતલસર પંથકના 10 ગામોમો વીજ કંપનીના કર્મીઓએ ચાલુ કરેલી ખોટી કનડગતના વિરોધમાં આવતીકાલે સોમવારે ખેડૂતો જેતપુરના મામલતદાર તેમજ વીજ કંપની સુત્રોને આવેદન આપનાર હોવાનું ખેડૂત યુવા આગેવાન અરવિંદ રૂપાપરાએ  જણાવ્યું છે.
આ અંગે મળતી વિગતો મુજબ જેતપુર રૂરલ વીજ કંપનીના અમુક અધિકારીઓ અને કર્મીઓએ ચેકિંગના બહાને યેનકેન પ્રકારે ચાલુ કરેલી કનડગતના પ્રશ્ન હાલ કરવાની ચર્ચાઓ સાથે આજે જેતલસરમાં ખેડૂતોની એક તાકીદની બેઠક મળી હતી.
જેમાં નક્કી કરાયા મુજબ આવતીકાલ તા.17 ને સોમવારે જેતલસર, ડેડરવા, ટીંબડી, રૂપાવટી, બવાપીપલીયા, અકાળા, પીપળવા, જેતલસર જંકશન, નવી જૂની સાંકળી વિગેરે 10 ગામોના ખેડૂતો જેતપુર દોડી જઈ મામલતદાર, રૂરલ વીજ કંપની અને વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને આવેદન આપી અમુક પ્રશ્નો પરત્વે થતી કનડગત દુર કરવાની માંગ કરશે
કશ્યપ જોશી જેતલસર જેતપુર - 9974262812

જેતપુરની માર્કેટ યાર્ડમાં 100-100 ગુણી લસણ-માંડવી અને 4 ગાડી કપાસ પલળી ગયાની ખેડૂતોને નુકશાની

જેતપુરની માર્કેટ યાર્ડમાં 100-100 ગુણી  લસણ-માંડવી અને 4 ગાડી કપાસ પલળી ગયાની ખેડૂતોને નુકશાની

જેતપુર તા.15

જેતપુરમાં આજે ધોધમાર 31 મીમી પડેલા વરસાદ થી અત્રેની માર્કેટ યાર્ડમાં 100 ગુની લસણ, 100 ગુની માંડવી અને કપાસની 4 ગાડી પલાળી જતા જેઓનો માલ હતો તેવા ખેડૂતોને સારી એવી નુકશાની ભોગવવી પડી હોવાનું  ચેરમેન દિનેશ ભુવાએ  જણાવેલ


JETPURMA 31 MM VARSAD

જેતપુરમાં ગાજવીજ સાથે

31મીમી વરસાદ

જેતપુર તા.15

જેતપુરમાં આજે સવાચાર વાગ્યાની આસપાસ શરુ થયેલ વરસાદે

સાંજના સાડા વાગ્યા સુધીમાં બે રાઉન્ડ દરમિયાન 31 મીમી પાણી વરસાવ્યું હોવાનું ભાદર ઈરીગેશન સુત્રોએ જણાવ્યું હતું, ગાજ વીજ સાથે પડેલા વરસાદથી રોડ ઉપર પાંચી ચાલ્યા ગયા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાની ફરિયાદો મળી હતી.તાલુકાના ડેડરવા સહીત ના ગામોમાં પણ દોઢ થે બે ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા હતા.

JETALSARMA 2 INCH

જેતલસરમાં ધોધમાર 2 ઇંચ વરસાદથી કપાસનો ઢાળિયો, માંડવીના પાથરા પલળી ગયાની નુકશાની

જેતલસર તા.15

 જેતલસરમાં સાંજે 4 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા વચ્ચે શરુ થયેલ ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરમાં પડેલ માંડવીના પાથરા પાઈમાં તણાઈ ગયા હતા. પરિણામે અબોલ પશુઓની નીરણ સમાન ઘાંસચારો પણ પશુઓના મુખેથી છીનવાઈ ગયાનો વસવસો ખેડૂતોએ  વ્યક્ત કર્યો હતો. આશરે દોઢથી બે ઇંચ વરસાદ પડી જતા ખેતરમાં ઉભેલા કપાસનો પાક પણ ભારે પવન અને વરસાદથી ઢાળીયો થઇ ગયો હોય ખેડૂતોને નુકશાની સહવી પડી હોવાનું દુખ જેતલસર તેમજ જૂની નવી સાંકળીના ખેડૂત આગેવાન મુકેશ લશ્કરી સહિતના ખેડૂતોએ જણાવેલ

 

કશ્યપ જોશી જેતલસર 9974262812

kashyap joshi jetalsar samacharo

શ્રી પરશુરામ શેના જેતપુર દ્વારા 

બ્રહ્મસમાજના સમૂહલગ્નોત્સવ-યજ્ઞોપવિત આયોજન 

જેતપુર તા.15

શ્રી  પરશુરામ શેના જેતપુર દ્વારા આગામી તા.18.1.2015 ના રોજ બ્રહ્મસમાજના સમૂહ લગ્નોત્સવ અને સમુહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે માટેના ફોર્મ  ભરવાની છેલ્લી તા.14.12.14 હોય, રસ ધરાવતા વાલીઓએ અશોકભાઈ ઠાકર(9998194790) નો સંપર્ક સાધવા શ્રી પરશુરામ શેનાના પ્રમુખ હિતેશભાઈ જોશી-કશ્યપ જોશી નો અનુરોધ છે.

કશ્યપ જોશી - જેતલસર (જેતપુર)

 

વિરપુરમાંથી બાઈકની ઉઠાંતરી 

જેતપુર તા.15

જેતપુરના વીરપુર જલારામમાં ગાયત્રી નગરમાં રહેતા છગન મોહનભાઈ વઘાસીયાએ પોતાના મકાનના ફળિયામાં પાર્ક કરેલ જીજે 03 એફઈ  4027 નંબરનું સ્પ્લેન્ડર કોઈ  જતા વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસાઈ જાડેજા તપાસ હાથ ધરી છે.

 

કશ્યપ જોશી - જેતલસર (જેતપુર)