અનુયાયીઓ

શનિવાર, 15 નવેમ્બર, 2014

kashyap joshi jetalsar samacharo

શ્રી પરશુરામ શેના જેતપુર દ્વારા 

બ્રહ્મસમાજના સમૂહલગ્નોત્સવ-યજ્ઞોપવિત આયોજન 

જેતપુર તા.15

શ્રી  પરશુરામ શેના જેતપુર દ્વારા આગામી તા.18.1.2015 ના રોજ બ્રહ્મસમાજના સમૂહ લગ્નોત્સવ અને સમુહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે માટેના ફોર્મ  ભરવાની છેલ્લી તા.14.12.14 હોય, રસ ધરાવતા વાલીઓએ અશોકભાઈ ઠાકર(9998194790) નો સંપર્ક સાધવા શ્રી પરશુરામ શેનાના પ્રમુખ હિતેશભાઈ જોશી-કશ્યપ જોશી નો અનુરોધ છે.

કશ્યપ જોશી - જેતલસર (જેતપુર)

 

વિરપુરમાંથી બાઈકની ઉઠાંતરી 

જેતપુર તા.15

જેતપુરના વીરપુર જલારામમાં ગાયત્રી નગરમાં રહેતા છગન મોહનભાઈ વઘાસીયાએ પોતાના મકાનના ફળિયામાં પાર્ક કરેલ જીજે 03 એફઈ  4027 નંબરનું સ્પ્લેન્ડર કોઈ  જતા વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસાઈ જાડેજા તપાસ હાથ ધરી છે.

 

કશ્યપ જોશી - જેતલસર (જેતપુર)

 

ટિપ્પણીઓ નથી: