અનુયાયીઓ

શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018

Narendra Modi

રાજકોટની આઈએનજી વૈશ્ય બેંકનાં 3.58 કરોડનાં કૌભાંડમાં વોન્ટેડ મહિલા 16 વર્ષ બાદ ઝડપાઈ


વોન્ટેડ હતી તે દરમિયાન લગ્ન કરી લીધા મુંબઈથી પોલીસે ઝડપી લઈ તા.૨૪ સુધીનાં રીમાન્ડ મેળવ્યા


રામકૃષ્ણનગર મેઈન રોડ પર  આવેલી આઈએનજી વૈશ્ય બેંકમાં ૬૮ જેટલા બોગસ ખાતા ખોલી આચરાયેલા ૩.૫૮ કરોડનાં કૌભાંડમાં છેલ્લા ૧૫ વર્ષથી વોન્ટેડ શિતલ વખારીયાને અંતે એ.ડિવિઝન પોલીસે મુંબઈથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી તા.૨૪ સુધીનાં રિમાન્ડ મેળવ્યા છે.

તાજેતરમાં જ ડીજીપીએ રાજયભરની પોલીસને વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાની ઝુંબેશ ચલાવવા સુચના આપતા  અચાનક એ.ડિવિઝન પોલીસને શિતલ વખારીયા છેલ્લા ૧૬ વર્ષથી વોન્ટેડ હોવાનું યાદ આવ્યું હતું.
જો કે તેની વિરુધ્ધ પોલીસે સીઆરપીસીની કલમ ૭૦ મુજબનું વોરન્ટ પણ મેળવ્યું હતુ.ં આખરે તેના વિશે માહિતી મળતાં એ.ડિવિઝન પોલીસની ટીમ મુંબઈ પહોંચી હતી અને ત્યાંથી તેને ઝડપી લીધી હતી.

તે મુંબઈમાં બોરીવલીમાં ડોન બોસ્કો સ્કુલ સામે પંચમ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેનાં પિતાનું નામ રસિકભાઈ વખારીયા છે. તેની વિરૂધ્ધ ૨૦૧૨માં ગુનો નોંધાયો હતો. પોલીસે જણાવ્યું કે ત્યારબાદ તેણે ૨૦૧૩માં લગ્ન કરી લીધા હતા.

એટલે કે ગુનામાં વોન્ટેડ હોવા છતાં મેરેજ કર્યા હતાં અને હાલ એક સંતાનની માતા છે તે કરૂર વૈશ્ય બેંકમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે જે તે વખતે નોકરી કરતી હતી. હાલ તેની ઉંમર ૪૨ વર્ષ છે. આ કૌભાંડમાં આ અગાઉ સાતેક આરોપીઓ પકડાયા છે જેમાંથી મુખ્ય આરોપીમાંની એક બેંકનો સેલ્સ મેનેજર દેવાંગ ખીરા તાજેતરમાં જ આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

પુત્રીના જન્મ દિવસે અકસ્માતમાં શિક્ષક પિતાનું મોત, 4 મિત્રોને ઈજા

પુત્રીના જન્મ દિવસ નિમિત્તે ઠેબચડા મિત્રની વાડીએ પાર્ટી ગોઠવી હોય તમામ મિત્રો જમીને પરત ફરી રહ્યા હતા ને અકસ્માત નડયો

રાજકોટ - ભાવનગર હાઈવે પર મહિકાના પુલ પરથી જીપ ઉંડા ખાડામાં ખાબકતાં શિક્ષક પ્રશાંતભાઈ દિલાવરખાન પંજવાણી (ઉ.વ.૩૩ રહે અલિફ એપાર્ટમેન્ટ દુધ સાગર રોડ, રાજકોટ) નું મોત નિપજયું હતું. જયારે તેના ચાર મિત્રોને ઈજા પહોંચી હતી. પુત્રનો જન્મ દિવસ હોવાથી શિક્ષક તેના મિત્રો સાથે ઠેબચડા જમવા ગયા હતાં, જયાંથી પરત ફરતી વખતે અકસ્માત નડયો હતો.
પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ મુળ ચોટીલાના પ્રશાંતભાઈ પંજવાણી (ઉ.વ.૩૩) પ્રિમીયર સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં.તેની પુત્રીનો ગઈકાલે જન્મ દિવસ હોવાથી તે મિત્ર અર્જુનભાઈ મનસુખભાઈ ચાવડા (ઉ.વ.૨૫ રહે. પોલીસ હેડકવાર્ટર), હિતેશગીરી શાંતીગીરી ગોસાઈ (ઉ.વ.૨૫ રહે. પોલીસ કવાર્ટર) ટ્રાન્સપોર્ટર ફિરોઝભાઈ અસરફભાઈ ચૌહાણ ઉ.વ.૩૪ રહે. લાખાજી રાજ શ્રમજીવી સોસાયટી અને મહેશભાઈ રહે. રાજકોટ સાથે ઠેબચડા ગામે રહેતા મિત્રની ાડીએ પાર્ટીનું આયોજન કર્યું હોથી ત્યાં ગયા હતાં.
જયાંથી જમીને તમામ સ્કોર્પીયોમાં પરત રાજકોટ આવવા રવાના થયા હતાં. દરમિયાન રાજકોટ ભાવનગર હાઈવે પર મહિકા પાસે રસ્તાનું કામ ચાલું હોવાથી ચાલક ફિરોઝભાઈએ ર્યવર્ઝન પાસે કાબુ ગુમાવતા જીપ ખાડામાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તમામને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયારે પ્રશાંતભાઈનું મોત નિપજયું હતું. જયારે તેનાં મિત્રોને દલીલ કરાયા હતાં. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં RMO નિમણુંકના કચવાટને શાંત કરવા 'કુનેહતા" અપનાવશે : સુપ્રિ.ડો.મહેતા





આરોગ્ય કમિશ્નરના આદેશનું પાલન કરવા ત્રણેય મેડીકલ ઓફિસરની બદલી
"નિશ્ચિત" કરવા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટની કવાયત : તબીબો નિષ્ઠાથી ફરજ બજાવે

રાજકોટ શહેરની સિવિલ હોસ્પીટલમાં એક સાથે ૩ તબીબોની મોરબી ખાતે બદલી થયાની વાતનો કચવાટ હજુ શમ્યો નથી ત્યાં હવે આર.એમ..ની નિમણુંક બાબતે હોસ્પિટલના તબીબોમાં આંતરિક ચણભણાટ શરુ થયો છે. જો કે આવા ચણભણાટને શાંતિથી, એકબીજાની સમજુતી વચ્ચે "કુનેહતા"થી શાંત કરી દેવાની વાત હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનિષ મહેતાએ "સાંજસમાચાર" સમક્ષ દોહરાવી હતી. તેઓએ એવું પણ જણાવ્યું છે કે, અહીંથી ૩ મેડીકલ ઓફિસરની બદલીના આદેશો બાદ હાલ ૧ મેડીકલ ઓફિસરની બદલી કરી દેવાઈ છે. બાકીના બે મેડીકલ ઓફિસરની પણ બદલી નિશ્ચિત હોય, આ બાબતે કોઈ ઉહાપોહ કરતુ હોય તો વાજબી નથી.



પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સિવિલ હોસ્પીટલમાં એકબાજુ તબીબોના ઘસારાને પહોચી વળવા અહી વધુ તબીબોની જરૂરીયાત વર્તાઈ રહી છે. ત્યારે આવા કઠીન સમયે જ ગાંધીનગર ખાતેથી ડો.અગ્રાવત, ડો.ટાંક, ડો.ચાવડાની મોરબી હોસ્પીટલમાં બદલી કરવાના આદેશ છૂટતા આરોગ્યલક્ષી સેવાઓ માટે સિવિલ હોસ્પીટલમાં "એક સાંધે ત્યાં તેર તૂટે" તેવી પરિસ્થિતિનો તબીબી આલમમાં કચવાટ ફેલાયો છે.

સિવિલ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનિષ મહેતાએ ટેલીફોનીક મુલાકાત દરમિયાન "સાંજસમાચાર"ને જણાવેલ કે, આરોગ્ય કમિશ્નરના આદેશો બાદ ત્રણેય મેડીકલ ઓફિસરને અહીંથી છુટા કરી ડેપ્યુટેશન ઉપર મોરબી મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. હાલ એક ડો. અગ્રાવતની બદલી કરવામાં આવી છે. આ વાતને લઈને એટલે કે ત્રણમાંથી એક જ મેડીકલ ઓફિસરની બદલી કેમ કરાઈ ? તે વાતને લઈને કોઈ ઉહાપોહ સર્જાવાના પ્રયાસો કરતુ હોત તો તે ગેરવાજબી અને નિરર્થક બની રહેશે.

કારણ બાકી રહેતા ડો.ચાવડા અને ડો. ટાંકની પણ  બદલી પણ  નિશ્ચિત જ છે અને આજે બંનેને છુટા કરશે તેવું કહી આરોગ્ય કમિશનરના આદેશને "રીસ્પેકટ" આપવું તે તેઓની ફરજ થતું હોવાનું ડો.મેહતાએ જણાવ્યું હતું. ટૂંકા ગાળામાં અગાઉ મેડીકલ ઓફિસર ડો.દુસરાની મોરબી બદલી થયા બાદ વધુ ૩ મેડીકલ ઓફિસર ડો.અગ્રાવત, ડો.ટાંક અને ડો. ચાવડાની મોરબી ખાતે બદલીની નોબત સહનાર ડો. મનિષ મહેતા એવું પણ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પીટલમાં ખાલી પડનાર ૩ મેડીકલ ઓફિસરની જગ્યાઓ તાકીદે ભરવા તેઓ દ્વારા ઉચ્ચ આરોગ્ય તંત્રને રજુઆતો કરવામાં આવી રહી છે. 
 RMO નિમણુંકનો વિવાદ શું છે ?
રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મહેતાએ આર.એમ.ઓ. તરીકે ડો.રોયની નિમણુક કરી ત્યારથી તબીબોમાં આંતરિક ચણભણાટ શરુ થયો છે. આર.એમ.ઓ.ના પદ પર સ્વાભાવિક સિનિયર તબીબોની નિમણુંકો થતી હોય છે. જ્યારે ડો.રોય તો જુનિયર હોવાનું બતાવી અમુક તબીબો વચ્ચે ચર્ચાઓ થઇ રહી છે કે, સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા તેમના નજીકના ડો. રોયને આર.એમ..બનાવ્યા તે વાતમાં શું આશય હોય શકે ? સિવિલ હોસ્પીટલમાં તો ૧૦ જેટલા તબીબ સીનીયરો કે જેઓ 20 થી ૨૩ વર્ષ થયા ફરજ બજાવી રહ્યા છે, તેમાંથી કેમ કોઈની પસંદગી ના કરવામાં આવી ? ડો. રોય તો ૧૦-૧૨ વરસ જ જુના તબીબ છે. ત્યારે આ વાતના વિખવાદના મૂળમાં હકીકત શું છે ? તે જાણવાના પ્રયાસમાં પણ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મેહતાએ જણાવેલ કે, આર.એમ..ની નિમણુકમાં જુનિયર-સીનીયરને બદલે સંબંધિત તબીબની કાર્યકુશળતા, તેમની ફરજ, ફરજ પરત્વેની નિષ્ઠા જોવાતી હોય છે. ક્યા તબીબ કેટલી અને કેવી ફરજ બજાવે છે ? વી બાબતોની નોંધ લેવાતી હોય છે. જ્યારે ઘડિયાળના કાટે ફરજ બજાવવા વાળા સંબંધિતોની આપોઆપ બાદબાકી થઇ જતી હોય છે. અને આ માટેના તમામ હક, અધિકારો તેઓની પાસે હોય, વાજબી નિર્ણય લઈને ડો. રોયને આર.એમ..બનાવાયા છે. આર.એમ.. બનવા માટે કોઈ મેડીકલ ઓફિસર ઘસીને નાં પાડી દે તો શું થાય ? તેવા પ્રશ્નના જવાબમાં ડો.મેહતાએ જણાવેલ કે, પ્રત્યેક તબીબની ફરજ જોવાતી હોય છે. આવા પદ માટે કોણ અને ક્યારે યોગ્ય છે ? તે વાત પણ તેઓ દ્વારા નક્કી થતી હોય, જો કોઈ આ મુદ્દે ચણભણાટ ઉભી કરતુ હશે કે તેઓની પાસે આ બાબતે મામલો આવશે તો કુનેહતાથી મામલો થાળે પાડી દેવાનું જણાવ્યુ હતું.


મેંગોપીપલ પરીવાર દ્વારા ઝુપડપટ્ટીમાં પ્રમુખસ્વામીની જન્મ જ્યંતી ની ઉજવણી



તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર દ્વારા તેમના કાર્યરત ઝુપડપટ્ટીના દરેક  ફ્રી એજ્યુકેશન ક્લાસમાં રાજકોટ તથા જામનગરમાં એક જ સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવેલ.

સ્વામીજીના ફોટાને તિલક કરી ઝુપડપટ્ટીના બધા બાળકોએ ફુલહાર પહેરાવેલ, શિક્ષકો દ્વારા બાળકો ને સ્વામીજીના જીવન વિશે સુંદર અને સરળ ભાષામાં સમજણ આપેલ અને ત્યાર બાદ બધા બાળકો ને સંસ્થા તરફથી નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ.






આ સત્કર્મ ને સાર્થક કરવા માટે નરેન્દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી, રશ્મિબેન સગપરીયા, સોનલબેન વિરાણી, શિલ્પાબેન વિગેરે લોકો એ જહેમત ઉઠાવેલી.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારો ના બાળકો માટે છેલ્લા ૫ વર્ષ થી સતત કાર્યશીલ સંસ્થા છે. તે આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થા ની વધુ માહિતી માટે પ્રમુખ મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬/૯૨૨૭૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.

રાજકોટ જિલ્લાની સ્વનિર્ભર શાળાઓને ફી નિર્ધારણ કાયદા અન્વયે એફીડેવીટ કરવા સુચના



રાજકોટ જિલ્લાની તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક  તેમજ રાજકોટ, ઉપલેટા તથા જેતપુર શહેરની પ્રાથમિક શાળાઓના આચાર્ય/સંચાલકશ્રીને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ ફિ નિયમન સમિતી રાજકોટ ઝોન દ્વારા જણાવવામાં આવે છે કે, ફિ નિર્ધારણ, કાયદો-૨૦૧૭ હેઠળ દરેક સ્વ નિર્ભર શાળાઓની ફિ, ફિ નિર્ધારણ સમિતી દ્વારા નિર્ધારીત કરેલ હોય તેવી શાળા વર્ષ ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ ના વર્ષો માટે સમિતીના હુકમ મુજબ જ જે તે શાળાએ દરેક વિદ્યાર્થીની ફી લીધેલ છે અને તે હુકમથી વધુ કોઇ ફી ઉઘરાવેલ નથી તે સંબંધે એફીડીવીટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, રાજકોટને તા. ૧૦/૦૧/૨૦૧૯  સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.