અનુયાયીઓ

બુધવાર, 29 જુલાઈ, 2015

જેતપુરમાં ઠેકઠેકાણે ચાલતી-ચલાવાતી રૂપકડી સ્કીમોમાં લુંટાતા શહેરીજનો

જેતપુરમાં ઠેકઠેકાણે ચાલતી-ચલાવાતી રૂપકડી સ્કીમોમાં લુંટાતા શહેરીજનો
જેતપુરમાં આવી સ્કીમોના સંચાલકો કે સ્કીમો ઉપર કોઈ નિયંત્રણ નથી, બધાને મળી જતું હોય, સૌ મુક, બધીર અને સુરદાસોની ભૂમિકામાં ??!

જેતલસર(જેતપુર)તા,29
જેતપુર શહેરમાં અનેક જગ્યાએ ચાલતી અને ચલાવતી અનેકવિધ લોભામણી સ્કીમોમાં શહેરીજનો રીતસરના લુંટાતા અને છેતરાતા હોય લાગતા વળગતા સત્તાધીસોએ આવા સ્કીમ સંચાલકોને કાયદાનું ભાન કરાવવું જોઈએ તેવું છેતરાયેલા ગ્રાહકોમાં માંગ થઇ છે.
આ બાબતે શહેરીજનોમાં ચર્ચાતી વિગતો મુજબ જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં અમુક કાયદેશર સ્કીમ સંચાલકોને બાદ કરતા અમુક સ્કીમ સંચાલકોએ તો તેઓની ટીકીટોમાં બ્રાન્ડ વગરના ટીવી, કેમેરા, કોમ્પ્યુટર, વોશિંગ મશીન, વિગેરે વસ્તુઓ ટીકીટમાં એવી પ્રિન્ટ કરાવી છે કે લોકો આવી આકર્ષક ટીકીટો તને તેમાંના ફોટો જોતાજ અંજાઈ જઈ સભ્યપદ નોંધાવવા દોડી રહ્યા છે. પણ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે તેવી કહાવતો આવી સ્કીમોમાં સાબિત થતી હોય જેતપુરના મામલતદાર, સેલ્સટેક્સ ડીપાર્ટમેન્ટ, પોલીસ તંત્ર વેગેરે લાગતા વળગતા સત્તાધીસોએ આવા સ્કીમ સંચાલકોને કાયદાનું ભાન કરાવવું જોઈએ તેવું ગ્રાહકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેતપુરના એક ગ્રાહકે તો ત્યાં સુધી કહ્યું કે પોતાને એક બ્રાન્ડેડ કેમેરો ઇનામમાં લાગ્યો છે, સંચાલકો કહે છે કે આ કંપની બંધ થઇ ગઈ છે, રોકડા પૈસા લઈલો, પણ કેમેરાના પૈસા આપવા બાબતે પણ સ્કીમ સંચાલકો પડતર ભાવ એટલેકે ગ્રાહકને નુકશાન જાય તેવું વળતર આપતા હોય, ગ્રાહકોમાં બોકાસો બોલી રહ્યો છે. તો એક ગ્રાહકે થોડા સમય પહેલાજ કાયદાની બીક બતાવતા અમુક સ્કીમ સંચાલકો રીતસરના ગ્રાહકના ઘુટણિએ પડી જઈ ગ્રાહકે માંગ્યા મુજબનું લેપટોપ લઇ દેવું પડ્યું હોવાની ઘટના પણ અહી બની હતી. કહેવાનું તાત્પર્ય એ કે જેતપુરમાં બધાને બધું મળી જતું હોય સંબંધિતો મુક, બધીર સુરદાસોની ભૂમિકામાં રાચતા હોવાનો ગ્રાહકોનો આક્ષેપ છે. 

બોક્સ: કોઈ ફરિયાદ કરે તો કાર્યવાહી થાય !
જેતપુર : જેતપુર શહેરમાં આવી ચાલતી અને ચલાવાતી સ્કીમોના જાણકારો કહે છે કે તેઓ કોઈને તેઓની ટીકીટો લેવા કંકોત્રી નથી લખતા, સરળ હપ્તે ઘરેલું ચીજો લેવા સ્કીમો બનાવાતી હોય છે, ગ્રાહકો આવી સ્કીમો સાથે જોડાય ત્યારે ટિકિટમાં તમામ પ્રકારના નિયમો અને બંધનો આલેખાયેલા હોય છે. ગ્રાહક આ બધું સ્વીકારીને સ્કીમમાં જોડાતો હોય છે, પછી પાછળથી કોઈ વાંધા વચકાઓ કાઢે તો સ્કીમ સંચાલકો શું કરે ? પણ આમ છતાં કોઈ ગ્રાહક પોતે છેતરાયો હોવાની ગ્રાહક સુરક્ષામાં પોલીસ, મામલતદાર, ડેપ્યુટી કલેકટર, કલેકટર, કે સેલ્સટેક્સ તંત્રને ફરિયાદો કરે તો કાયદો કાયદાનું કામ કર્યા વગર  ના રહે એ વાત પણ સ્કીમ સંચાલકોએ ભૂલવી નાં જોઈએ તેવું શાણા ગ્રાહકો જણાવે છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812