અનુયાયીઓ

રવિવાર, 29 માર્ચ, 2015

JETALSAR NEWS KASHYAP JOSHI JETALSLAR JETPUR

નવી સાંકળી ગામે યોજાયેલ મહિલા જાગૃતિ શિબિરમાં રીનાબેનનો પોલીસને પ્રશ્ન !
---------------------------------------------------------------------------
સ્ત્રીઓ પર અત્યાચાર કરનારાઓના મોઢે કપડું શુંકામ બાંધો છો ??
----------------------------------------------------------------------------
ખુલ્લા મોઢે મીડિયામાં બતાવો તો બીજીવાર ગુના અટકશે અને આવા તત્વોને બીજાય ઓળખી શકેને ?!

(કશ્યપ જોશી ) જેતલસર તા.29
જેતલસર પંથકના નવી સાંકળી ગામે જેતપુર તાલુકા પોલીસ દ્વારા તાજેતરમાં યોજેલ મહિલા જાગૃતિ શિબિરમાં મહિલાઓ સાથે પોલીસે અનેકવિધ પ્રશ્નોની ચર્ચાઓ અને તેના નિવારણના ઉપાયોની આપ-લે કરી હતી. ગામમાં ચાની દુકાન કરવાની મનાય ઉપરાંત ગુટખાના વેંચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ધરાવતા નવી સાંકળી ગામે તાજેતરમાં જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ આર.એન.કરમટીયા એ સ્ટાફના ગૌત્તમ ત્રિવેદી, મજનુંભાઈ મનાત વિગેરેને સાથે રાખી મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગામના મહિલા સરપંચ કાંતાબેન ભગવાનજીભાઈ રૂપાપરા, માજી સરપંચ કુમનભાઈ ઠુંમરના પત્ની વર્ષાબેન, અન્ય મહિલા આગેવાનો રીનાબેન મુકેશભાઈ લશ્કરી, જયશ્રીબેન કિશોરભાઈ, ભાવનાબેન રૂપાપરા વિગેરે પચાસેક મહિલાઓની હાજરીમાં ગોષ્ઠી દરમિયાન પીએસઆઈ કરમટીયા દ્વારા જુદા જુદા પ્રશ્નો, મહિલા સતામણી, મહિલા અત્યાચાર, મહિલાઓનું શોષણ વી. પ્રતિકુળ સંજોગોમાંથી મહિલા વર્ગને કેમ બચવું ? તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે રીનાબેન લશ્કરી નામના જાગૃત મહિલાએ સાહેબ, મહિલાઓ પર અત્યાચાર કરનારાઓ સામે જ્યારે પોલીસમાં ગુના નોંધાય ત્યારે આવા ગુનેગારોના મોઢા ઉપર કપડું કેમ બાંધો છો ? ખુલ્લા મોઢે પ્રજા કે મીડિયા સમક્ષ બતાવો તો આવા ગુનેગારો બીજી વખત ગુનાઓ કરતા અચકાશે, ત્યારે ફોજદાર કરમટીયાએ સહર્ષ ઉત્તર વાળી પ્રશ્નકર્તા મહિલાને બિરદાવી જણાવેલ કે, બહેન, આ બધું કોર્ટની માર્ગદર્શિકાને આધીન થતું હોય છે, નહિ કે પોલીસની મરજીથી !! કારણ ઘણી વખત તહોમતો સાબિત ના થાય તો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812

નવી સાંકળી ગામે યોજાયેલ મહિલા જાગૃતિ શિબિરમાં રીનાબેનનો પોલીસને પ્રશ્ન !
સ્ત્રીઓ પર અત્યાચાર કરનારાઓના મોઢે કપડું શુંકામ બાંધો છો ??
ખુલ્લા મોઢે મીડિયામાં બતાવો તો બીજીવાર ગુના અટકશે અને આવા તત્વોને બીજાય ઓળખી શકેને ?!
(કશ્યપ જોશી ) જેતલસર તા.29
જેતલસર પંથકના નવી સાંકળી ગામે જેતપુર તાલુકા પોલીસ દ્વારા તાજેતરમાં યોજેલ મહિલા જાગૃતિ શિબિરમાં મહિલાઓ સાથે પોલીસે અનેકવિધ પ્રશ્નોની ચર્ચાઓ અને તેના નિવારણના ઉપાયોની આપ-લે કરી હતી. ગામમાં ચાની દુકાન કરવાની મનાય ઉપરાંત ગુટખાના વેંચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ધરાવતા નવી સાંકળી ગામે તાજેતરમાં જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ આર.એન.કરમટીયા એ સ્ટાફના ગૌત્તમ ત્રિવેદી, મજનુંભાઈ મનાત વિગેરેને સાથે રાખી મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગામના મહિલા સરપંચ કાંતાબેન ભગવાનજીભાઈ રૂપાપરા, માજી સરપંચ કુમનભાઈ ઠુંમરના પત્ની વર્ષાબેન, અન્ય મહિલા આગેવાનો રીનાબેન મુકેશભાઈ લશ્કરી, જયશ્રીબેન કિશોરભાઈ, ભાવનાબેન રૂપાપરા વિગેરે પચાસેક મહિલાઓની હાજરીમાં ગોષ્ઠી દરમિયાન પીએસઆઈ કરમટીયા દ્વારા જુદા જુદા પ્રશ્નો, મહિલા સતામણી, મહિલા અત્યાચાર, મહિલાઓનું શોષણ વી. પ્રતિકુળ સંજોગોમાંથી મહિલા વર્ગને કેમ બચવું ? તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે રીનાબેન લશ્કરી નામના જાગૃત મહિલાએ સાહેબ, મહિલાઓ પર અત્યાચાર કરનારાઓ સામે જ્યારે પોલીસમાં ગુના નોંધાય ત્યારે આવા ગુનેગારોના મોઢા ઉપર કપડું કેમ બાંધો છો ? ખુલ્લા મોઢે પ્રજા કે મીડિયા સમક્ષ બતાવો તો આવા ગુનેગારો બીજી વખત ગુનાઓ કરતા અચકાશે, ત્યારે ફોજદાર કરમટીયાએ સહર્ષ ઉત્તર વાળી પ્રશ્નકર્તા  મહિલાને બિરદાવી જણાવેલ કે, બહેન, આ બધું  કોર્ટની માર્ગદર્શિકાને આધીન થતું હોય છે, નહિ કે પોલીસની મરજીથી !! કારણ ઘણી વખત તહોમતો સાબિત ના થાય તો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812

BIRTHDAY OF KASHYAP JOSHI PRESS REPORTER JETALSAR JETPUR 9974262812

KASHYAP JOSHI - REPORTER 
BIRTHDAY - 30-03-1974
JETALSAR 
JETPUR
DIST - RAJKOT
9974262812

JETALSAR RAAMBAAN SAMACHAR-KASHYAP JOSHI JETALSAR JETPUR - 9974262812

જેતલસર પંથકના આરબટીંબડી ગામે યોજાયેલ
રામબાણ કાર્યક્રમમાં લાલ સોટી વળતા 16 આની વર્ષ થવાનો વર્તારો !
100 વર્ષથી વધુ સમય થયા જોવાતા અને મનાતા આ વર્તારાથી શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા છે.
(કશ્યપ જોશી ) જેતલસર તા.29
જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે વર્ષો થયા રામનવમીના દિવસે જોવાતા વરસ અને વરસાદના વર્તારાના કાર્યક્રમમાં આ વર્ષે લાલ સોટી ત્રણ વખત બેવડી વળતા ચાલુ વર્ષ 16 આની થવાની ગામના બુજુર્ગોએ આસ્થા વ્યક્ત કરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ જેતલસર પંથકના આરબટીંબડી ગામે 100 થી પણ વધુ વર્ષો થયા, પ્રતિ વર્ષે રામનવમીના પાવન દિવસે, ગામના રામજી મંદિરના ચોકમાં એક લાલ અને એક કાળી સોટીના કાર્યક્રમ થકી વરસાદનો અને વરસનો વર્તારો જોવામાં આવે છે.
જેમાં મામા-ભાણેજ કાળી અને લાલ સોટી પકડી ઉભા રહે છે. ચમત્કારિક રીતે જો કાળી સોટી ધ્રુજીને બેવડી વળે તો માઠું વર્ષ થાય અને લાલ સોટી બેવડી વળે તો 16 આની વર્ષ થવાની માન્યતાઓ સેવાતી આવે છે. દર વરશે આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો ઉપરાંત આજુબાજુના ગામોના લોકો ધાર્મિક આસ્થા સાથે ઉમટી પડે છે. કાર્યક્રમ દરમિયાન જય શ્રી રામ ના નારાઓ લગાવીને રીતસરનું ધાર્મિક વાતાવરણ ખડું કરવામાં શ્રદ્ધાળુઓ ભારે જહેમત ઉઠાવે છે.
આ વર્ષે ગઈ કાલે રામનવમીના દિવસે લાલ સોટી ત્રણ ત્રણ વખત બેવડી વળતા ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાએ રામધુન અને સત્સંગ વચ્ચે આ વાતને વધાવી લઇ ભારે હરખ વ્યક્ત કર્યો હતો.

બોક્સ: અમારા ગામનું નામ રામટીંબડી કરો !!
જેતલસર: રામબાણ કાર્યક્રમ દરમિયાન ગામના બુજુર્ગોએ વધુ એક વખત એવી વાત દોહરાવી હતી કે તેઓના ગામમાં વર્ષો થયા આસ્થા અને શ્રદ્ધા સાથે રામબાણ જેવો કાર્યક્રમ યોજાતો હોય, તેઓના ગામનું નામ આરબટીંબડીમાંથી રામટીંબડી કરવા વર્ષો થયા માંગ કરાતી આવે છે, પણ સંબંધિતોના બહેરા કાન તેઓની રજૂઆત સાંભળતાં નથી !
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર – 9974262812

જેતલસર પંથકના આરબટીંબડી ગામે યોજાયેલ 
રામબાણ કાર્યક્રમમાં લાલ સોટી વળતા 16 આની વર્ષ થવાનો વર્તારો !
100 વર્ષથી વધુ સમય થયા જોવાતા અને મનાતા આ વર્તારાથી શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા છે.
(કશ્યપ જોશી ) જેતલસર તા.29
જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે વર્ષો થયા રામનવમીના દિવસે જોવાતા વરસ અને વરસાદના વર્તારાના કાર્યક્રમમાં આ વર્ષે લાલ સોટી ત્રણ વખત બેવડી વળતા ચાલુ વર્ષ 16 આની થવાની ગામના બુજુર્ગોએ આસ્થા વ્યક્ત કરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ જેતલસર પંથકના આરબટીંબડી ગામે 100 થી પણ વધુ વર્ષો થયા, પ્રતિ વર્ષે રામનવમીના પાવન દિવસે, ગામના રામજી મંદિરના ચોકમાં એક લાલ અને એક કાળી સોટીના કાર્યક્રમ થકી વરસાદનો અને વરસનો વર્તારો જોવામાં આવે છે.
જેમાં મામા-ભાણેજ કાળી અને લાલ સોટી પકડી ઉભા રહે છે. ચમત્કારિક રીતે જો કાળી સોટી ધ્રુજીને બેવડી વળે તો માઠું વર્ષ થાય અને લાલ સોટી બેવડી વળે તો 16 આની વર્ષ થવાની માન્યતાઓ સેવાતી  આવે છે. દર વરશે આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો ઉપરાંત આજુબાજુના ગામોના લોકો ધાર્મિક આસ્થા સાથે ઉમટી પડે છે. કાર્યક્રમ દરમિયાન જય શ્રી રામ ના નારાઓ લગાવીને રીતસરનું ધાર્મિક વાતાવરણ ખડું કરવામાં શ્રદ્ધાળુઓ ભારે જહેમત ઉઠાવે છે.
આ વર્ષે ગઈ કાલે રામનવમીના દિવસે  લાલ સોટી ત્રણ ત્રણ વખત બેવડી વળતા ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાએ રામધુન અને સત્સંગ વચ્ચે આ વાતને વધાવી લઇ ભારે હરખ વ્યક્ત કર્યો હતો.
બોક્સ: અમારા ગામનું નામ રામટીંબડી કરો !! 
જેતલસર: રામબાણ કાર્યક્રમ દરમિયાન ગામના બુજુર્ગોએ વધુ એક વખત એવી વાત દોહરાવી હતી કે તેઓના ગામમાં વર્ષો થયા આસ્થા અને શ્રદ્ધા સાથે રામબાણ જેવો કાર્યક્રમ યોજાતો હોય, તેઓના ગામનું નામ આરબટીંબડીમાંથી રામટીંબડી કરવા વર્ષો થયા માંગ કરાતી આવે છે, પણ સંબંધિતોના બહેરા કાન તેઓની રજૂઆત સાંભળતાં નથી !
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર - 9974262812