અનુયાયીઓ

ગુરુવાર, 9 જુલાઈ, 2015

અવસાન નોંધ :


જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની આગામી 17 મી જુલાઈએ ચુંટણી

જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની આગામી 17 મી જુલાઈએ ચુંટણી 
જેતપુર તા.9
આગામી 17 મી જુલાઈએ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની સને 2015 થી 2018 ના વર્ષ માટેની ચુંટણી ઘોષિત કરાઈ છે. આ માટે આજે તા.10 ઉમેદવારી ફોર્મ વિતરણનો છેલ્લો દિવસ છે. તા.11 ના રોજ ઉમેદવારી પત્રો સ્વીકારાશે, તા.12 ના રોજ ઉમેદવારી પત્રો ચકાસાશે, તા. 13 ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ નક્કી કરાઈ છે. જયારે તા.17.7. ના રોજ અહીના જુનાગઢ રોડ ઉપર આવેલ રોટરી હોલ ખાતે બપોરના 2 થી 7 દરમિયાન મતદાન નક્કી કરાયું હોવાનું જેતપુર ચેમ્બરના સેક્રેટરી જણાવે છે.
હિતેશ સાવલિયા જેતપુર 

જેતપુરમાં કાલે પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સત્કાર સમારંભ 
જેતપુર તા.9
આવતીકાલ તા.11 ના રોજ અહીના ભાદર રોડ પર આવેલ પ્રભુવાડી ખાતે વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોને સત્કારવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, ઉદ્યોગપતિ જયંતીભાઈ રામોલીયા વિગેરે હાજર રહી આયોજકો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે..

નવાગઢમાં અપૂરતી સેવાઓની ફરિયાદ કરાઈ 
જેતપુર તા.9
જેતપુરના નવાગઢના ખાટકીવાળમાં અપૂરતું પાણી, લાઈટ, સફાઈ અને રોડ રસ્તા પરત્વે અજીમુદ્દીન ફખરુદ્દીન કાદરીએ સંબંધિતોને ફરિયાદ કરી છે. આ બાબતે પાલિકા પ્રમુખે જણાવેલ કે થોડા દિવસો પહેલાજ નવાગઢમાં જરૂરીયાતવાળા વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈન નખાઇ છે. ગંદકી હટાવવા પાલિકા તંત્રના સાધનો  ક્રમશ બધા વિસ્તારોમાં ફરી રહ્યા છે. વરસાદી તારાજીમાં ઘણા વિસ્તારોમાં આવી પરિસ્થિતિ ઉભી થઇ હોય, લોકોનો સહકાર જરૂરી છે.

જેતપુરના પછાત વિસ્તારોમાં 2000 દફતર વિતરણ કરાયા 
જેતપુર તા.9
જેતપુરના વોર્ડ નંબર 3 અને 14 માં આવતા પછાત વિસ્તારો જેવા કે ગોંદરા, ગોંડલ દરવાજા, દલીતવાસ, ભાદર સામા કાંઠો, હાર્વો ઘાટ વિગેરે વિસ્તારોમાં રાજકોટ જીલ્લા ડેરીના સહયોગથી બાળકોને નોટબૂક, વોટર બેગ્સ, નાસ્તા બોક્સ, કંપાસ વી વસ્તુઓ સાથેના 2000 દફતર દીપક લુણી, કિરણ લુણી તેમજ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાના હસ્તે વિતરણ કરાયા હોવાનું જણાવ્યું છે. 
ફોટો : કશ્યપ જોશી  : સમાચાર : કશ્યપ જોશી : જેતપુર : 9974262812


જેતપુરમાં આજથી શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનો પ્રારંભ..

જેતપુરમાં આજથી શ્રીમદ સત્સંગીજીવન 
સપ્તાહ પારાયણનો પ્રારંભ.. 
જેતપુર તા.9
અમરેલીના પરમ પૂજ્ય શ્રી ભક્તિસંભવદાસજી સ્વામીના આશીર્વાદ વચ્ચે આવતીકાલ તા.10.7. થી જેતપુર સત્સંગ સમાજના સર્વે મોક્ષાર્થી જીવાત્માઓની લાગણી અને ઉત્સાહને ધ્યાને લઇને અહીના ગાયત્રી મંદિર નજીકની કોટડીયા વાડી ખાતે સાત દિવસીય શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનો શુભારંભ થશે. 
કથાના વક્તા પદે શ્રી સુક્સ્વરૂપદાસ સ્વામી અને પ.પુ.શા.શ્રી હરી સ્વરુપુદાસ સ્વામી પોતાની આગવી શૈલીમાં કથાનું સત્સંગીઓને કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન તા.11 ની રાત્રીના ઘનશ્યામ મહોત્સવ, તા.12 ની રાત્રીના અમર્રેલી મંદિર બાળયુવક મંડળનો સાંસ્ક્રતિક કાર્યક્રમ, તા.13 ની રાત્રીના ગાડી પટ્ટાભિષેક, તથા તા.15 ની સાંજે અન્નકૂટ ઉત્સવ વી. પ્રસંગો ધામધૂમથી ઉજવવાના હોય, કથાના યજમાન અ.ની. મૃગેશ રમેશભાઈ રાણાભાઈ મકવાણા તથા ગોપાલમુનીદાસ સ્વામીએ સત્સંગીઓને અનુરોધ કરેલ છે.
ફોટો: કશ્યપ જોશી  : સમાચાર : કશ્યપ જોશી  : જેતપુર : 99742 62812


જેતપુરના ગોંદરા વિસ્તારમાં કબ્રસ્તાનવાળો પુલ અને વોંકળાની આરસીસી રેલીંગનું કામ શરુ કરાયું

જેતપુરના ગોંદરા વિસ્તારમાં કબ્રસ્તાનવાળો પુલ 
અને વોંકળાની આરસીસી રેલીંગનું કામ શરુ કરાયું
જેતપુર તા.9
ભારે વરસાદથી જેતપુરના ગોંદરા વિસ્તારમાં કબ્રસ્તાનવાળો પુલ અને વોંકળામાં ભારે નુકશાની થઇ હતી. પુલને પૂર્વવત કરવા અને વોંકળા કાંઠે બંને બાજુ આરસીસી દીવાલો બનાવાનું શરુ કરાયું છે.
આ બાબતે વિગતો આપતા જેતપુર નગર પાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાએ જણાવેલ કે ગોંદરા વિસ્તારમાં ભારે વરસાદી પાણીએ તારાજી સર્જતા કબ્રસ્તાન વાળું પુલ ખળભળી તૂટી જતા તેને પૂર્વવત કરવા તેમજ વોંકળાની બંને બાજુ આરસીસી દીવાલ ઉભી કરવા નગર પાલિકાએ સ્વભંડોળમાંથી રૂપિયા 25 લાખ ફાળવી યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી છે. 
ફોટો : કશ્યપ જોશી  : સમાચાર : કશ્યપ જોશી  : જેતપુર : 9974262812
 

સાડા છ માસે જન્મેલ બાળકી અત્યારે ભારે તંદુરસ્ત

જેતપુરમાં ખાનગી હોસ્પીટલના તબીબની સરાહનીય મહેનત વચ્ચે 
સાડા છ માસે જન્મેલ બાળકી અત્યારે ભારે તંદુરસ્ત
તબીબ સીતાપરા કહે છે કે બેદરકારી દાખવાઈ હોત તો બાળકી ધરતી પર નહિ સ્વર્ગમાં હોત !
જેતપુર તા.9 (કશ્યપ જોશી દ્વારા )
જેતપુરમાં બાળકોના તબીબ સીતાપરાએ મહામહેનતે સરાહનીય ફરજ વચ્ચે એક મહિલાને સાડા છ માસના સમયમાંજ પ્રસુતિ કરાવેલી બાળકી અત્યારે ભારે તંદુરસ્ત અને ગેન્ગેટીયા કરતી હોવાની વિગતો મળી રહી છે.

સામાન્યતઃ નવ મહિનેજ મહિલાઓને કરાવતી પ્રસુતિની વાતથી સૌ વાકેફ હોય છે. અધૂરા મહિના એટલેકે નવ મહિના પહેલાની પ્રસુતિના અસંખ્ય કિસ્સાઓમાં જન્મ પામનાર બાળક કે બાળકીના મોત થતા આવતા હોવાની ઘટનાઓમાં પણ ઘણાં દંપતીઓ દુઃખી થયા હોવાના દાખલાઓ ગણીએ તેટલા ઓછા પડે તેમ છે.

પણ અધૂરા મહીનેજ ખુબ પ્રસવ વેદના વચ્ચે કોઈ મહિલાની ભયમુક્ત વાતાવરણમાં પ્રસુતિ કરાવાય અને જન્મ પામનાર બાળકી કે બાળક તંદુરસ્તી સાથે ઉવાં..ઉવાં કરી જન્મદાત્રી અને ઉપસ્થિતોને રાજી કરી દે તો આ વાતને પણ મારે, તમારે કુદરતી ચમત્કાર જ ગણવો પડે ! આવોજ ચમત્કાર હકીકતમાં બદલવા અહીના ખાનગી તબીબને જે મહેનત કરવી પડી તેની શહેરની તબીબી આલમમાં સરાહના થઇ રહી છે.

કિસ્સો જોઈએ તો મૂળ પોરબંદરના હાલ રાજકોટ રહેતા બીપીનભાઈ ડાભીના પત્ની દક્ષાબેન(રહે.પેઢલા, તા.જેતપુર) ને પ્રેગ્નન્સીના સાડા છ માસના સમયમાંજ પ્રસવ વેદના ઉપાડતા અહીની બાળકોની ખાનગી હોસ્પીટલમાં તા.20.6.2015 ના રોજ દાખલ કરાયા હતા. આ હોસ્પીટલના તબીબે બેદરકારી દાખવ્યા વગર, વિનાવિલંબે પ્રસુતિની કાર્યવાહી હાથ ધરતા દક્ષાબેનને 890 ગ્રામ વજનની લક્ષ્મીરૂપ બાળકી અવતરી હતી !

તબીબે પણ અચરજ સાથે આ ટબુકડીનું સ્વાસ્થ્ય જલ્દી કેમ સુધારે ? અને બચાવી કેમ શકાય ? તે અંગેની દાકતરી સારવાર શરુ કરી દીધી પણ પરિવારજનોને બાળકીનું શરીર બીવડાવી ગયું હોય તેમ 890 ગ્રામમાંથી બાળકીનું વજન 780 ગ્રામ થઇ જતા તબીબી વર્તુળો ઉપરાંત પરિવારજનોના ચહેરાઓ ઉપર ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ હતી. પણ ઘણી વખત મનુષ્યના જીવન મરણ વચ્ચે એક તબીબ મહત્વનો ભાગ ભજવી જીંદગી બચાવી સૌને ખુશી બક્ષે તેવી વાત જેતપુરના ખાનગી તબીબે સાબિત કરી બાળકીનું વજન અને સંપૂર્ણ સ્વાસ્થ્ય પૂર્વવત કરી પરિવારજનોને સોંપી હોસ્પિટલમાંથી વિદાય આપતા ઉપસ્થિતો હર્ષાશ્રુ રોકી શક્યા નહોતા !!

બોક્સ: તો...બાળકી ધરતી પર નહિ સ્વર્ગમાં હોત !!
જેતપુર : અધૂરા મહીને એટલે કે સાડા છ મહીને દક્ષાબેન ડાભીની પ્રસુતિ કરાવી બાળકીને બચાવવા ઊંચક જીવે તબીબી પ્રકિયા કરનાર ડો. સ્નેહલ સીતાપરા અને ડો. રિદ્ધિ સીતાપરાએ જણાવેલ કે સ્ટાફના ક્રિષ્નાબેન, કૃપાબેન, રઘુભાઈ, ભાવેશભાઈ, નીરવભાઈ અને નરેશભાઈ એમ તમામની બનતી મદદથી આદરાયેલ ફરજ-સેવામાં કોઈ કચાસ રાખી નહોતી, બેદરકારી દાખવી હોત તો બાળકી "ધરતી" પર નહિ "સ્વર્ગમાં હોત !!
ફોટો કશ્યપ જોશી   : સમાચાર કશ્યપ જોશી  : જેતપુર : 9974262812