જેતપુરમાં ખાનગી હોસ્પીટલના તબીબની સરાહનીય મહેનત વચ્ચે
સાડા છ માસે જન્મેલ બાળકી અત્યારે ભારે તંદુરસ્ત
તબીબ સીતાપરા કહે છે કે બેદરકારી દાખવાઈ હોત તો બાળકી ધરતી પર નહિ સ્વર્ગમાં હોત !
જેતપુર તા.9 (કશ્યપ જોશી દ્વારા )
જેતપુરમાં બાળકોના તબીબ સીતાપરાએ મહામહેનતે સરાહનીય ફરજ વચ્ચે એક મહિલાને સાડા છ માસના સમયમાંજ પ્રસુતિ કરાવેલી બાળકી અત્યારે ભારે તંદુરસ્ત અને ગેન્ગેટીયા કરતી હોવાની વિગતો મળી રહી છે.
સામાન્યતઃ નવ મહિનેજ મહિલાઓને કરાવતી પ્રસુતિની વાતથી સૌ વાકેફ હોય છે. અધૂરા મહિના એટલેકે નવ મહિના પહેલાની પ્રસુતિના અસંખ્ય કિસ્સાઓમાં જન્મ પામનાર બાળક કે બાળકીના મોત થતા આવતા હોવાની ઘટનાઓમાં પણ ઘણાં દંપતીઓ દુઃખી થયા હોવાના દાખલાઓ ગણીએ તેટલા ઓછા પડે તેમ છે.
પણ અધૂરા મહીનેજ ખુબ પ્રસવ વેદના વચ્ચે કોઈ મહિલાની ભયમુક્ત વાતાવરણમાં પ્રસુતિ કરાવાય અને જન્મ પામનાર બાળકી કે બાળક તંદુરસ્તી સાથે ઉવાં..ઉવાં કરી જન્મદાત્રી અને ઉપસ્થિતોને રાજી કરી દે તો આ વાતને પણ મારે, તમારે કુદરતી ચમત્કાર જ ગણવો પડે ! આવોજ ચમત્કાર હકીકતમાં બદલવા અહીના ખાનગી તબીબને જે મહેનત કરવી પડી તેની શહેરની તબીબી આલમમાં સરાહના થઇ રહી છે.
કિસ્સો જોઈએ તો મૂળ પોરબંદરના હાલ રાજકોટ રહેતા બીપીનભાઈ ડાભીના પત્ની દક્ષાબેન(રહે.પેઢલા, તા.જેતપુર) ને પ્રેગ્નન્સીના સાડા છ માસના સમયમાંજ પ્રસવ વેદના ઉપાડતા અહીની બાળકોની ખાનગી હોસ્પીટલમાં તા.20.6.2015 ના રોજ દાખલ કરાયા હતા. આ હોસ્પીટલના તબીબે બેદરકારી દાખવ્યા વગર, વિનાવિલંબે પ્રસુતિની કાર્યવાહી હાથ ધરતા દક્ષાબેનને 890 ગ્રામ વજનની લક્ષ્મીરૂપ બાળકી અવતરી હતી !
તબીબે પણ અચરજ સાથે આ ટબુકડીનું સ્વાસ્થ્ય જલ્દી કેમ સુધારે ? અને બચાવી કેમ શકાય ? તે અંગેની દાકતરી સારવાર શરુ કરી દીધી પણ પરિવારજનોને બાળકીનું શરીર બીવડાવી ગયું હોય તેમ 890 ગ્રામમાંથી બાળકીનું વજન 780 ગ્રામ થઇ જતા તબીબી વર્તુળો ઉપરાંત પરિવારજનોના ચહેરાઓ ઉપર ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ હતી. પણ ઘણી વખત મનુષ્યના જીવન મરણ વચ્ચે એક તબીબ મહત્વનો ભાગ ભજવી જીંદગી બચાવી સૌને ખુશી બક્ષે તેવી વાત જેતપુરના ખાનગી તબીબે સાબિત કરી બાળકીનું વજન અને સંપૂર્ણ સ્વાસ્થ્ય પૂર્વવત કરી પરિવારજનોને સોંપી હોસ્પિટલમાંથી વિદાય આપતા ઉપસ્થિતો હર્ષાશ્રુ રોકી શક્યા નહોતા !!
બોક્સ: તો...બાળકી ધરતી પર નહિ સ્વર્ગમાં હોત !!
જેતપુર : અધૂરા મહીને એટલે કે સાડા છ મહીને દક્ષાબેન ડાભીની પ્રસુતિ કરાવી બાળકીને બચાવવા ઊંચક જીવે તબીબી પ્રકિયા કરનાર ડો. સ્નેહલ સીતાપરા અને ડો. રિદ્ધિ સીતાપરાએ જણાવેલ કે સ્ટાફના ક્રિષ્નાબેન, કૃપાબેન, રઘુભાઈ, ભાવેશભાઈ, નીરવભાઈ અને નરેશભાઈ એમ તમામની બનતી મદદથી આદરાયેલ ફરજ-સેવામાં કોઈ કચાસ રાખી નહોતી, બેદરકારી દાખવી હોત તો બાળકી "ધરતી" પર નહિ "સ્વર્ગમાં હોત !!
ફોટો કશ્યપ જોશી : સમાચાર કશ્યપ જોશી : જેતપુર : 9974262812




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો