અનુયાયીઓ

ગુરુવાર, 9 જુલાઈ, 2015

જેતપુરમાં આજથી શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનો પ્રારંભ..

જેતપુરમાં આજથી શ્રીમદ સત્સંગીજીવન 
સપ્તાહ પારાયણનો પ્રારંભ.. 
જેતપુર તા.9
અમરેલીના પરમ પૂજ્ય શ્રી ભક્તિસંભવદાસજી સ્વામીના આશીર્વાદ વચ્ચે આવતીકાલ તા.10.7. થી જેતપુર સત્સંગ સમાજના સર્વે મોક્ષાર્થી જીવાત્માઓની લાગણી અને ઉત્સાહને ધ્યાને લઇને અહીના ગાયત્રી મંદિર નજીકની કોટડીયા વાડી ખાતે સાત દિવસીય શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનો શુભારંભ થશે. 
કથાના વક્તા પદે શ્રી સુક્સ્વરૂપદાસ સ્વામી અને પ.પુ.શા.શ્રી હરી સ્વરુપુદાસ સ્વામી પોતાની આગવી શૈલીમાં કથાનું સત્સંગીઓને કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન તા.11 ની રાત્રીના ઘનશ્યામ મહોત્સવ, તા.12 ની રાત્રીના અમર્રેલી મંદિર બાળયુવક મંડળનો સાંસ્ક્રતિક કાર્યક્રમ, તા.13 ની રાત્રીના ગાડી પટ્ટાભિષેક, તથા તા.15 ની સાંજે અન્નકૂટ ઉત્સવ વી. પ્રસંગો ધામધૂમથી ઉજવવાના હોય, કથાના યજમાન અ.ની. મૃગેશ રમેશભાઈ રાણાભાઈ મકવાણા તથા ગોપાલમુનીદાસ સ્વામીએ સત્સંગીઓને અનુરોધ કરેલ છે.
ફોટો: કશ્યપ જોશી  : સમાચાર : કશ્યપ જોશી  : જેતપુર : 99742 62812


ટિપ્પણીઓ નથી: