પુત્રીના જન્મ દિવસ નિમિત્તે ઠેબચડા મિત્રની વાડીએ પાર્ટી ગોઠવી હોય તમામ મિત્રો જમીને પરત ફરી રહ્યા હતા ને અકસ્માત નડયો

રાજકોટ - ભાવનગર હાઈવે પર મહિકાના પુલ પરથી જીપ ઉંડા ખાડામાં ખાબકતાં શિક્ષક પ્રશાંતભાઈ દિલાવરખાન પંજવાણી (ઉ.વ.૩૩ રહે અલિફ એપાર્ટમેન્ટ દુધ સાગર રોડ, રાજકોટ) નું મોત નિપજયું હતું. જયારે તેના ચાર મિત્રોને ઈજા પહોંચી હતી. પુત્રનો જન્મ દિવસ હોવાથી શિક્ષક તેના મિત્રો સાથે ઠેબચડા જમવા ગયા હતાં, જયાંથી પરત ફરતી વખતે અકસ્માત નડયો હતો.
પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ મુળ ચોટીલાના પ્રશાંતભાઈ પંજવાણી (ઉ.વ.૩૩) પ્રિમીયર સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં.તેની પુત્રીનો ગઈકાલે જન્મ દિવસ હોવાથી તે મિત્ર અર્જુનભાઈ મનસુખભાઈ ચાવડા (ઉ.વ.૨૫ રહે. પોલીસ હેડકવાર્ટર), હિતેશગીરી શાંતીગીરી ગોસાઈ (ઉ.વ.૨૫ રહે. પોલીસ કવાર્ટર) ટ્રાન્સપોર્ટર ફિરોઝભાઈ અસરફભાઈ ચૌહાણ ઉ.વ.૩૪ રહે. લાખાજી રાજ શ્રમજીવી સોસાયટી અને મહેશભાઈ રહે. રાજકોટ સાથે ઠેબચડા ગામે રહેતા મિત્રની ાડીએ પાર્ટીનું આયોજન કર્યું હોથી ત્યાં ગયા હતાં.
જયાંથી જમીને તમામ સ્કોર્પીયોમાં પરત રાજકોટ આવવા રવાના થયા હતાં. દરમિયાન રાજકોટ ભાવનગર હાઈવે પર મહિકા પાસે રસ્તાનું કામ ચાલું હોવાથી ચાલક ફિરોઝભાઈએ ર્યવર્ઝન પાસે કાબુ ગુમાવતા જીપ ખાડામાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તમામને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયારે પ્રશાંતભાઈનું મોત નિપજયું હતું. જયારે તેનાં મિત્રોને દલીલ કરાયા હતાં. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો