અનુયાયીઓ

શનિવાર, 15 નવેમ્બર, 2014

JETALSARMA 2 INCH

જેતલસરમાં ધોધમાર 2 ઇંચ વરસાદથી કપાસનો ઢાળિયો, માંડવીના પાથરા પલળી ગયાની નુકશાની

જેતલસર તા.15

 જેતલસરમાં સાંજે 4 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા વચ્ચે શરુ થયેલ ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરમાં પડેલ માંડવીના પાથરા પાઈમાં તણાઈ ગયા હતા. પરિણામે અબોલ પશુઓની નીરણ સમાન ઘાંસચારો પણ પશુઓના મુખેથી છીનવાઈ ગયાનો વસવસો ખેડૂતોએ  વ્યક્ત કર્યો હતો. આશરે દોઢથી બે ઇંચ વરસાદ પડી જતા ખેતરમાં ઉભેલા કપાસનો પાક પણ ભારે પવન અને વરસાદથી ઢાળીયો થઇ ગયો હોય ખેડૂતોને નુકશાની સહવી પડી હોવાનું દુખ જેતલસર તેમજ જૂની નવી સાંકળીના ખેડૂત આગેવાન મુકેશ લશ્કરી સહિતના ખેડૂતોએ જણાવેલ

 

કશ્યપ જોશી જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી: