અનુયાયીઓ

શનિવાર, 15 નવેમ્બર, 2014

જેતલસર પંથકના 10 ગામોના ખેડૂતો કાલે સંબંધિતોને આવેદન આપશે

વીજ કર્મીઓની કનડગતના વિરોધમાં 
જેતલસર પંથકના 10 ગામોના ખેડૂતો કાલે સંબંધિતોને આવેદન આપશે
(કશ્યપ જોશી ) જેતલસર તા.15
જેતલસર પંથકના 10 ગામોમો વીજ કંપનીના કર્મીઓએ ચાલુ કરેલી ખોટી કનડગતના વિરોધમાં આવતીકાલે સોમવારે ખેડૂતો જેતપુરના મામલતદાર તેમજ વીજ કંપની સુત્રોને આવેદન આપનાર હોવાનું ખેડૂત યુવા આગેવાન અરવિંદ રૂપાપરાએ  જણાવ્યું છે.
આ અંગે મળતી વિગતો મુજબ જેતપુર રૂરલ વીજ કંપનીના અમુક અધિકારીઓ અને કર્મીઓએ ચેકિંગના બહાને યેનકેન પ્રકારે ચાલુ કરેલી કનડગતના પ્રશ્ન હાલ કરવાની ચર્ચાઓ સાથે આજે જેતલસરમાં ખેડૂતોની એક તાકીદની બેઠક મળી હતી.
જેમાં નક્કી કરાયા મુજબ આવતીકાલ તા.17 ને સોમવારે જેતલસર, ડેડરવા, ટીંબડી, રૂપાવટી, બવાપીપલીયા, અકાળા, પીપળવા, જેતલસર જંકશન, નવી જૂની સાંકળી વિગેરે 10 ગામોના ખેડૂતો જેતપુર દોડી જઈ મામલતદાર, રૂરલ વીજ કંપની અને વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને આવેદન આપી અમુક પ્રશ્નો પરત્વે થતી કનડગત દુર કરવાની માંગ કરશે
કશ્યપ જોશી જેતલસર જેતપુર - 9974262812

ટિપ્પણીઓ નથી: