ફરસાણના ધંધાર્થીઓના દાઝ્યા તેલમાંથી બનાવાશે બાયો ડીઝલ
- રાજકોટમાં 57 ફાસ્ટફૂડ ઉત્પાદકો સાથે મનપાની બેઠક
- આવા તેલનો હાલ જનઆરોગ્ય માટે જોખમી ઉપયોગઃ દાઝ્યા તેલનો ઉપયોગ કરનારા સામે કડક પગલા
રાજ્યમાં નફાખોર ફરસાણના ધંધાર્થીઓ દ્વારા અન્ય ચીજવસ્તુની ભેળસેળ ઉપરાંત જે તેલમાં એક વાર ફરસાણ વગેરે તળ્યું હોય તે જ તેલમાં ફરી તે તળવામાં આવે છે જે જનઆરોગ્ય માટે ખૂબ નુક્શાનકારક હોવાનું રાજકોટ મનપાએ વારંવાર જાહેર કરી છૂટાછવાયા પગલા લઈને ક્યારેક આવું તેલ કબજે કરી નાશ કરાતો રહ્યો છે. પરંતુ, હવે આ તેલનું શુ કરવું તેનો વિકલ્પ મનપાએ આપ્યો છે અને ધંધાર્થીઓ પાસેથી આવું તેલ પ્રતિ કિલો રૂ।.૩૦ના ભાવે ખરીદીને તેમાંથી બાયોડીઝલ બનાવવાની સીસ્ટમ ગોઠવી રહ્યાનું આજે મનપાએ જાહેર કર્યું છે.
મ્યુનિ.સૂત્રો અનુસાર આજે રાજકોટમાં મોટાપાયે વેફર્સ,ફ્રાઈમ્સ વગેરે તળેલી વાનગીનું ઉત્પાદન કરતા ૫૭ ઉત્પાદકો સાથે નાયબ કમિશનરની બેઠક યોજાઈ હતીજેમાં એક વાર વપરાયેલું તેલ ફરી નહીં વાપરતા તે ઉત્પાદકોને ત્યાંથી જ લેવા આવતી વાનને આપી દેવા સૂચના અપાઈ હતી અને ઉત્પાદકોથી માંડીને શહેરમાં લત્તે લત્તે આવેલા કંદોઈ,ફરસાણના ધંધાર્થીઓ જો આવું તેલ ફરી વાપરશેતો પેનલ્ટી ઉપરાંત દુકાન સીલકરવા સહિતના પગલા લેવાશે.
દાઝ્યા તેલની ગુણવત્તા ટોટલ પાવર કમ્પાઉન્ડ (ટી.પી.સી.)થી નક્કી થાય છે જે માત્રા ૨૫થી વધારે હોય તો તેલ વાપરવા યોગ્ય નથી. આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું કે દાઝ્યા તેલન નિકાલ ગટરમાં કરવાથી પણ પર્યાવરણને ખૂબ નુક્શાન જાય છે અને આ તેલમાં તળેલી કોઈ પણ ચીજ ખાવાથી હાઈપર ટેન્શન, અલ્ઝાઈમર, હૃદયરોગ, લીવરના રોગ, પેરેલીસીસ અને કેન્સર જેવા રોગ થાય છે.
મનપા સૂત્રો અનુસાર તા.૧૦ જાન્યુઆરીથી આવું તેલ એકત્ર કરવા વ્યવસ્થા ગોઠવાશે અને દરમિયાન ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરીને આવું તેલ વાપરતા વેપારીઓ પાસેથી મોટો ચાર્જ વસુલવાથી માંડી દુકાન સીલ કરવા સહિતના પગલા લેવાશે. ઉલ્લેખનીય છે કે મનપાના અધિકારીઓ માત્ર વાતો કરવાને બદલે જ્યારે કડક અમલવારી કરાવે ત્યારે જ નવા નિયમની અસર થતી હોય છે.
- રાજકોટમાં 57 ફાસ્ટફૂડ ઉત્પાદકો સાથે મનપાની બેઠક
- આવા તેલનો હાલ જનઆરોગ્ય માટે જોખમી ઉપયોગઃ દાઝ્યા તેલનો ઉપયોગ કરનારા સામે કડક પગલા
રાજ્યમાં નફાખોર ફરસાણના ધંધાર્થીઓ દ્વારા અન્ય ચીજવસ્તુની ભેળસેળ ઉપરાંત જે તેલમાં એક વાર ફરસાણ વગેરે તળ્યું હોય તે જ તેલમાં ફરી તે તળવામાં આવે છે જે જનઆરોગ્ય માટે ખૂબ નુક્શાનકારક હોવાનું રાજકોટ મનપાએ વારંવાર જાહેર કરી છૂટાછવાયા પગલા લઈને ક્યારેક આવું તેલ કબજે કરી નાશ કરાતો રહ્યો છે. પરંતુ, હવે આ તેલનું શુ કરવું તેનો વિકલ્પ મનપાએ આપ્યો છે અને ધંધાર્થીઓ પાસેથી આવું તેલ પ્રતિ કિલો રૂ।.૩૦ના ભાવે ખરીદીને તેમાંથી બાયોડીઝલ બનાવવાની સીસ્ટમ ગોઠવી રહ્યાનું આજે મનપાએ જાહેર કર્યું છે.
મ્યુનિ.સૂત્રો અનુસાર આજે રાજકોટમાં મોટાપાયે વેફર્સ,ફ્રાઈમ્સ વગેરે તળેલી વાનગીનું ઉત્પાદન કરતા ૫૭ ઉત્પાદકો સાથે નાયબ કમિશનરની બેઠક યોજાઈ હતીજેમાં એક વાર વપરાયેલું તેલ ફરી નહીં વાપરતા તે ઉત્પાદકોને ત્યાંથી જ લેવા આવતી વાનને આપી દેવા સૂચના અપાઈ હતી અને ઉત્પાદકોથી માંડીને શહેરમાં લત્તે લત્તે આવેલા કંદોઈ,ફરસાણના ધંધાર્થીઓ જો આવું તેલ ફરી વાપરશેતો પેનલ્ટી ઉપરાંત દુકાન સીલકરવા સહિતના પગલા લેવાશે.
દાઝ્યા તેલની ગુણવત્તા ટોટલ પાવર કમ્પાઉન્ડ (ટી.પી.સી.)થી નક્કી થાય છે જે માત્રા ૨૫થી વધારે હોય તો તેલ વાપરવા યોગ્ય નથી. આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું કે દાઝ્યા તેલન નિકાલ ગટરમાં કરવાથી પણ પર્યાવરણને ખૂબ નુક્શાન જાય છે અને આ તેલમાં તળેલી કોઈ પણ ચીજ ખાવાથી હાઈપર ટેન્શન, અલ્ઝાઈમર, હૃદયરોગ, લીવરના રોગ, પેરેલીસીસ અને કેન્સર જેવા રોગ થાય છે.
મનપા સૂત્રો અનુસાર તા.૧૦ જાન્યુઆરીથી આવું તેલ એકત્ર કરવા વ્યવસ્થા ગોઠવાશે અને દરમિયાન ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરીને આવું તેલ વાપરતા વેપારીઓ પાસેથી મોટો ચાર્જ વસુલવાથી માંડી દુકાન સીલ કરવા સહિતના પગલા લેવાશે. ઉલ્લેખનીય છે કે મનપાના અધિકારીઓ માત્ર વાતો કરવાને બદલે જ્યારે કડક અમલવારી કરાવે ત્યારે જ નવા નિયમની અસર થતી હોય છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો