અનુયાયીઓ

શનિવાર, 11 જૂન, 2011

વ્યવસાય, સેવા અને કલા જેવા ક્ષેત્રોમાં યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓ ""ગરિમા-૨૦૧૧'' એવોર્ડથી સન્માનિત બિઝનેસ વિમેન કમિટી દ્વારા આયોજિત સન્માન સમા

અનેક પડકાર, સામાજિક વિષમતાઓ વચ્ચે આત્મબળ અને પુરુષાર્થના સથવારે રાજ્યની જે મહિલાઓએ વિવિધ ક્ષેત્રે યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરી છે, તેવી મહિલાઓનું ગઇકાલે "ગરિમા-૨૦૧૧' એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. નારી નહીં પણ નારીશકિતનું આ અભિવાદન અને સન્માન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની બિઝનેસ વિમેન કમિટી, દ્વારા આઉટ સ્ટેન્ડિંગ બિઝનેસ પરફોર્મન્સ એવોર્ડ "ગરીમા-૨૦૧૧' અંતર્ગત ઉઘોગ રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલના હસ્તે કરાયું હતું.
વ્યવસાયના જે ક્ષેત્રોમાં યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓને "ગરીમા એવોર્ડ'થી સન્માનતિ કરાયા હતા. તેમાં શ્રી દેવી હરિક્રિશ્નન, શ્રીમતી પૌલોમી લશ્કરી, શ્રીમતી સંગીતા એન. ચોકસી, શ્રીમતી સુલુબેન જ. શાહ, ડૉ.દર્શિની વી.શાહ, ડૉ.મેધા શાહ, શ્રીમતી સરોજ શર્મા, શ્રીમતી ઇલાબેન નિર્મલ, બિજલ શાહ, શ્રીમતી રમોના વ્હોરા તથા શ્રીમતી શિલ્પા એસ. ચોકસીનો સમાવેશ થાય છે. મેન્યુફેકચરિંગ, ટ્રેડિંગ, પ્રોફેશનલ, સર્વિસ, રૂરલ એન્ટરપ્રાઇઝ, કલ્ચરલ, મધર ડોટર ઇન્સ્પિરેશન અને ઇનોવેશન જેવા વિવિધ ક્ષેત્રોમાં અનેક સંધર્ષ વચ્ચે આ મહિલાઓએ સિદ્ધિ હાંસલ કરતા તેમને સન્માનિત કરાઇ હતી.
જાણીતા ડિઝાઇનર અનુરાધા વકીલના અતિથિ વિશેષપદે યોજાયેલ સમારોહમાં આ મહિલાઓના સન્માનને નારીશકિતના અને તેમનામાં રહેલા કૌશલ્યના સન્માન સમાન લેખાવી મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, જેમ ગુજરાતની સિદ્ધિઓનો આ દાયકો છે તેમ ગુજરાતની મહિલાઓની યશસ્વી સિદ્ધિઓનો પણ આ દાયકો છે. અનેક સંધર્ષનો સામનો કરી વિવધિ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓનું આ સન્માન અન્ય પુરુષાર્થી બહેનો માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડશે. રાજ્ય સકારે પણ સ્ત્રી સશકિતકરણના ભાગરૂપે રાજ્યમાં સખીમંડળોની રચના કરીને મહિલાઓને સ્વાવલંબી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્કર્ષના સંદર્ભમાં તેમણે "બિઝનેસ વૂમન કમિટી'ના પદાધિકારીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, ગૃહ ઉઘોગ આધારિત વસ્તુઓના બજાર માટે ઉભા કરાયેલા ગ્રામહાટને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા જો કોઇ પણ રચનાત્મક સૂચનો હશે તો રાજ્ય સરકાર એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવા તત્પર છે.
આ પ્રસંગે અતિથિ વિશેષ શ્રીમતી અનુરાધા વકીલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ચિંતન પરીખ, બિઝનેસ વિમેન કમિટીના ચેરપર્સન શ્રીમતી દિપા શાહ વગેરેએ પ્રાસંગિક ઉદ્‍બોધનમાં કમિટી દ્વારા થઇ રહેલ પ્રવૃત્તઓિની વિગતવાર રૂપરેખા આપી હતી. પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરીએ જ્યૂરી તરીકે સેવા આપી તેમનો પ્રતિભાવ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૧ વર્ષથી બિઝનેશ વિમેન કમિટી આ પ્રકારના એવોર્ડ બહેનોને આપે છે. અગાઉ ત્રણ કેટેગરીમાં એવોર્ડ અપાતા હતા, હવે સાત કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી: