અનુયાયીઓ

શુક્રવાર, 18 ડિસેમ્બર, 2020

લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા : જરૂરિયાતમંદોની 5 હજાર દીકરીઓને દત્તક લઇ સગાઇ-લગ્ન કરી દેવાશે : આવી ભગીરથ સેવાની સર્વત્ર સરાહના

સુરત શહેરમાં છેલ્લા 10 વર્ષથી લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વરાછામાં અનેકવિધ સેવા કરવામાં આવે છે. સમયાંતરે વ્યસન મુક્તિ અભિયાન, બાળ હિંસા નાબુદી, વડીલ યાત્રા વિગેરે સેવા કરવામાં આવે છે.

તાજેતરમાં આ સંસ્થા દ્વારા ગુજરાતમા રહેતા અને જરૂરિયાતમંદ પરિવારોની વહારે આવીને 5 હજાર દીકરીનો દત્તક લેવાની યોજના શરુ કરી છે. જે અંતર્ગત દીકરીઓની સગાઇ અને લગ્ન સંસ્થા દ્વારા કરી દેવાશે. જે લોકોને દીકરીનો સંબંધ કરવાનો બાકી હોય તેમજ બીજીવારના સંબંધમા માં પણ 18 થી 50 વર્ષના વિધવા દીકરીઓને સંસ્થા યોગ્ય મુરતિયો શોધી આપવામાં મદદ કરશે.

સંસ્થા કાર્યવાહકો કહે છે કે આ દીકરી દત્તક યોજનામાં કોઈ પણ જ્ઞાતિના લોકો જોડાઈ શકશે. વધુ માહિતી માટે ધ્રુવ રમેશભાઈ દીક્ષિત મોં.99784 50500, 94263 30531 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

લાઈફ લાઈન ચેરીટેબલ દ્વારા આવી દીકરી દત્તક યોજના શરુ કરાતા જાણકારોમાં સંસ્થાના સેવાભાવીઓની સરાહના થઇ રહી છે.


ટિપ્પણીઓ નથી: