અનુયાયીઓ

શુક્રવાર, 10 જૂન, 2011

પાણી પુરવઠા બોર્ડની કચેરીએ કંટ્રોલ રૂમ નો પ્રારંભ

જામનગર – જામનગર જિલ્‍લાના ચાલુ વર્ષે પીવાના પાણીની સમસ્‍યાને પહોંચી વળવા જામનગર ખાતે પાણીપુરવઠા બોર્ડની કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્‍ય બાંધકામ વિભાગ.નં.૧ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ, જલભવન દુધની ડેરીની બાજુમાં શરૂ સેકશન રોડ જામનગર ની કચેરીએ સવારે ૮-૦૦ થી રાત્રિના ૮-૦૦ કલાક સુધી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. જે અંગેની જામનગર જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારની કોઇપણ ફરીયાદ ફોન નં. ૦૨૮૮-૨૬૭૭૨૭૯ પર નોંધવામાં આવશે. તેમ કાર્યપાલક ઇજનેર , જાહેર આરોગ્‍ય બાંધકામ વિભાગ.નં.૧ જામનગર ની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી: