અનુયાયીઓ

શુક્રવાર, 10 જૂન, 2011

1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ...1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ.

1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ.
જામનગર તા. ૯ જુન- વિકલાંગ વ્‍યકિતઓને તેઓના નોકરી ધંધાના સ્‍થળે તેમજ અભ્‍યાસ કે સારવાર માટે ગુજરાત રાજયની એસ.ટી.નિગમની બસોમાં પ્રવાસ ની સુવિધા સરળતાથી વિકલાંગોને મળી રહે તે માટે જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી દ્વારા વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) ઇસ્‍યુ કરવામાં આવેલ છે.આ પાસ સાથે એસ.ટીની નિયત કરેલ બસોમાં વિકલાંગો મફતમાં મુસાફરીનો લાભ લઇ શકશે. જે વિકલાંગો ના ૨૮ ફેબ્રુઆરી-૨૦૧૧ માં વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) પુર્ણ થતા હોય તઓએ નવા વિકલાંગ ઓળખકાર્ડ ઇસ્‍યુ કરવાની કામગીરી ગતિમાં હોય જેથી આ વિકલાંગતા ઓળખકાર્ડ ની મુદતતા. ૩૧/૮/૨૦૧૧ સુધી વધારવામાં આવેલ છે. તથા ૩૧/૮/૨૦૧૧ સુધીમાં પોતાના કાર્ડ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા રીન્‍યુઅલ કરાવી લેવાના રહેશે. તેમજિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી જામનગરદ્વારા કરવામાં આવે છે.


2...શોધ અને બચાવ ની બે દિવસ ની તાલીમ યોજાઇ
જામનગર તા.૯, જુન – જામનગર જીલ્‍લામાં જી.એસ.ડી. એમ.એ. અને યુ.એન.ડી.પી.ના સંયુકત ઉપક્રમે ડી.આર.આર. કાર્યક્રમ અમલી છે. આફતો સદર્ભે આયોજનો તૈયાર કરવા ક્ષમતાવર્ધન અર્થે તાલીમ કાર્યક્રમ અને જાગૃતિ નિર્માણ કાર્યક્રમનું મુખ્‍ય પાસુ છે. ઉકત કાર્યક્રમ અંતર્ગત ક્ષમતાવર્ધનના ભાગરૂપે જામનગર જિલ્‍લાની તમામ નગરપાલિકાના ફાયરમેન માટે ફાયર એન્‍ડ મરજન્‍સી સર્વિસસીસ ખાતે તા. ૩ અને ૪ જુન૨૦૧૧ ના બે દિવસ શોધ અને બચાવની તાલીમ યોજાઇ.તમામ નગરપાલિકાના ફાયરમેનો માંથી ૨૪ એ તાલીમ લીધી.તાલીમ નું સંકલન નિવાસી નાયબ કલેકટરઅને જીલ્‍લા પ્રોજેકટ ઓફીસર દ્રારા કરવામાં આવ્‍યુ હતુ. તેમ કલેકટર કચેરી, જામનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી: