અનુયાયીઓ

મંગળવાર, 27 નવેમ્બર, 2018

વીરપુર(જલારામ)ની સરકારી હોસ્પીટલમાં તાકીદે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરવા પ્રજાની માંગ


હજારો ભક્તો વીરપુરમાં જલારામ બાપાના દર્શને આવે છે તે
યાત્રાધામની સરકારી હોસ્પિટલમાં એક પણ એમ્બ્યુલન્સ નથી.


જયાં દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે તેવા જેતપુર તાલુકાના વિરપુરમાં જલારામ બાપાના દર્શને આવે છે. તે યાત્રાધામની સરકારી હોસ્પિટલ એમ્બ્યુલન્સ વિહોણી છે. ગામમાં કોઈ બિમાર પડેતો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સની કોઈપણ પ્રકારની સુવિધા નથી. જેથી વીરપુરમાં એમ્બ્યુલન્સની સુવિધા પુરી પાડવા માગ કરવામાં આવી રહી છે.
    વીરપુરમાં મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાના દર્શન કરવા માટે આવે છે. પરંતુ વીરપુર ગામમાં આવેલી સરકારી હોસ્પિટલમાં એકપણ એમ્બ્યુલન્સ નથી. અને જે એમ્બ્યુલન્સ છે તે અકસ્મતાનો શિકાર બનેલી છે. તો બીજી એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં છે. ખરા અર્થમાં સેવિકા ગણાતી એમ્બ્યલન્સને આજે ખરી સેવાની જરૂર છે.

    હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સ હતી પરંતુ છ માસ પહેલા એમ્બ્યુલન્સ અકસ્માતનો શિકાર બનતા એમ્બ્યુલન્સને રિપેર કરવામાં આવી નથી.વીરપુરની હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફાળવવા તંત્રને ઘણી રજૂઆત કરવામાં આવી હોવા છતાં હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી નથી. જેથી વહેલી તકે એમ્બ્યુલન્સની ફાળવણી કરવાની માગ ગામના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહી છે

ટિપ્પણીઓ નથી: