અનુયાયીઓ

શનિવાર, 15 ડિસેમ્બર, 2018

જેતપુરના મોટાગુંદાળા ગામે રૂ.૩૦ હજારની ઘરફોડ ચોરી


 જેતપુર તા.૧૫
ગઈકાલે જેતપુર તાલુકાના મોટાગુંદાળા ગામે એક રહેણાંક મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડ રૂપિયા ૧૨ હજાર અને સોના ચાંદીના દાગીના મળી રૂપિયા ૩૦ હજારની મત્તા ચોરી કરી ગયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર  તાલુકાના મોટાગુનાદાલા ગામે રહેતા હરસુખભાઈ નાથાભાઈ સોલંકી મકાનમાં ગઈકાલે પ્રવેશેલા તસ્કરો રોકડ ૧૨ હજાર તથા ૧૮ હજારના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૩૦ હજારની મત્તા ચોરી ગયા હતા. આ બનાવની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પીએસઆઈ પી.જે.બાંટવાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી: