અનુયાયીઓ

ગુરુવાર, 21 જાન્યુઆરી, 2016

સિંધી સમાજના અમર શહીદ હેમુ કાલાણીજીને ફૂલમાળા પહેરાવી અર્પી શ્રદ્ધાંજલિ....

ભારતીય સિંધુ સભા જેતપુરના આગેવાનોએ

સિંધી સમાજના અમર શહીદ હેમુ કાલાણીજીને

     ફૂલમાળા પહેરાવી અર્પી શ્રદ્ધાંજલિ....

 જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

જન સેવાના પાવન મંત્રથી દેશભરમાં પ્રખ્યાત થયેલા સિંધી સમાજના મહાપુરુષ

અમર શહીદ હેમુ કલાણીજીના આજે ગુરુવારે શહીદ દિન નિમિત્તે અહીના ચાંદની ચોક ખાતે ભારતીય સિંધુ સભા જેતપુરના ૧૫૦ જેટલા આગેવાનો, વડીલો, યુવાન કાર્યકરોએ એક શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ તકે આ સંસ્થાના પ્રમુખ અશોકભાઈ વધવા, જેતપુર પાલિકાના સદસ્ય અશોકભાઈ મંગલાણી, અશોકભાઈ જેસવાણી, કિશોરભાઈ રામચંદાણી, તારાચંદભાઈ કટારીયા સહિતના આગેવાનોએ શહીદવીરની તસ્વીરને હારતોરા, ફૂલમાળા પહેરાવી, તેમની શહીદગાથા ઉપસ્થિતોને જણાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અત્રે એ નોંધનીય છે કે જેતપુરના ચાંદની ચોકનું  "શહીદ હેમુ કાલાણી માર્ગ" નામકરણ કરાવવા સિંધી સમાજના આગેવાનોની ગતિવિધિઓ ચાલુ હોવાનું જાણવા મળે છે. 

( ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨)

ટિપ્પણીઓ નથી: