જેતપુરમાં આજે લોકપ્રિય સદગત
વિપ્ર વયોવૃદ્ધને અપાશે પુષ્પાંજલિ
જેતપુર તા.૨૧
જેતપુરમાં રહેતા, બ્રહ્મસમાજ ક્ષેત્રે સૌમાં લોકપ્રિય બનેલા, માજી ટેલીફોન એક્સચેન્જ અધિકારી બટુકભાઈ ખીરાનું ગત ૧૫.૧.ના રોજ સુરત ખાતે બીમારી સબબ અવસાન થતા અહીના બ્રહ્મસમાજે શોકની લાગણી વ્યક્ત કરી છે. બીજીબાજુ સદગત ખીરા અહિની સંસ્થા શ્રી પરશુરામ સેનાના સહખજાનચી તરીકે પણ સેવા આપતા હોય, તેઓને પુષ્પાંજલિ અર્પવાનો એક કાર્યક્રમ આજે તા. ૨૨ નારોજ અહીના પાંચ પીપળા રોડ પર આવેલ જ્ઞાનજ્યોત વિદ્યાલય ખાતે, સાંજે ૫ થી ૬ રાખેલ હોય પરશુરામ સેનાના આગેવાનો, કાર્યકરોએ હાજરી આપવા સંસ્થા પ્રમુખ હિતેશ જોશી, મંત્રી અશોક ઠાકર વી. નો અનુરોધ છે.
ફોટો : સદગત બટુકભાઈ ખીરાનો છે.
કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો