અનુયાયીઓ

ગુરુવાર, 21 જાન્યુઆરી, 2016

જેતલસર –ડેડરવા-બાવાપીપળીયા ગામને જોડતા રોડનું રૂા.૬ કરોડના ખર્ચે નવિનીકરણનું ખાતમુહૂર્ત

જેતલસર ડેડરવા-બાવાપીપળીયા ગામને જોડતા રોડનું

રૂા.૬ કરોડના ખર્ચે નવિનીકરણનું ખાતમુહૂર્ત

જેતલસર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના જેતપુર શહેરની ભાગોળે નેશનલ હાઇવે પરના જેતલસર ગામથી ડેડરવા, બાવાપીપળીયા ગામને જોડતો રસ્તો વિકાસશીલ ઔદ્યોગિક વિસ્તારો અને  તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોના વાહન વ્યવહાર માટે ધોરીનસ સમાન માર્ગ છે. આ માર્ગને પહોળો કરવા અંગે ગ્રામજનો મારફત રજુઆતો થતાં, તે રજુઆતોને ધ્યાનમાં લઇ, રાજયકક્ષાના પ્રવાસન અને પાણી પૂરવઠા મંત્રીશ્રી દ્વારા સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગમાંથી અંદાજે રૂા. ૬ કરોડ મંજૂર કરાવેલ હતાં.

            જેતલસરથી બાવાપીપળીયા સુધીનો અંદાજે ૧૧ કી.મી.ના માર્ગને સ્ટ્રેનથનીંગ અને વાઇડીંગ દ્વારા નવિનીકરણ કરી, પ.પ મીટર પહોળો બનાવી રસ્તા પરના બે નાલાને મેનઓવર બ્રીજમાં રૂપાંતરીત કરવામાં આવશે. સાથો સાથ વરસાદી પાણીથી ગામતળનાં રસ્તામાં થતા નુકશાનને અટકાવવા, જેતલસર અને ડેડરવા ગામના ગામતળના ૫૦૦ મીટર રોડને સી.સી. રોડથી મઢવામાં આવશે.  સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજીત રૂા. ૬ કરોડના ખર્ચે આશરે ૧૧ કી.મી.ના જેતલસરથી ડેડરવા,બાવાપીપળીયા રસ્તાના નવિનીકરણ માટે આજરોજ  માન.રાજયકક્ષા મંત્રીશ્રી જયેશ રાદડીયા દ્વારા ગ્રામજનો, આગેવાનોની હાજરીમાં ડેડરવા ગામે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે.

            જેતલસર-ડેડરવાબાવાપીપળીયા રસ્તાનું વાઇડનીંગ અને સ્ટ્રેનથનીંગ દ્વારા નવિનીકરણનું કામ હાથ ધરાતા ગ્રામજનોમાં આનંદની લાંગણી ફેલાઈ છે.

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

ટિપ્પણીઓ નથી: