ડેમ સાઈટ કે કેનાલ સાથે કોઈ લેવા દેવા ના હોય તેવા ખેડૂતો સાથે અન્યાય ?
પાકવિમાની આકારણીમાં જેતપુર તાલુકા
પરત્વેની વિસંગતા દુર કરવા ખેડૂતોની માંગ.......
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના ખેડૂતો પાકવીમા આકારણીની વાતમાં સરકારી તંત્રોની વિસંગતાથી પાયમાલી તરફ જઈ રહ્યા હોત તાકીદે ઘટતું કરવા માંગ કરાઈ છે.
આ બાબતે જેતપુર તાલુકાના ઉમરાળી ગામના ખેડૂતપુત્ર સુનીલભાઈ ગોબરભાઈ કથીરિયા જણાવે છે કે જેતપુર તાલુકાના અનેક ગામો સમયાંતરે કરાતી પાકવીમા આકારણી બાબતમાં ભારે વિસંગતાઓનો ભોગ બને છે.
કારણ જેતપુર તાલુકાનો મોટાભાગનો વિસ્તાર ડેમ સાઈટના કમાન્ડ અરિયામાં આવે છે. તેથી છેવાડાના ગામો કે જેઓને ડેમ કે કેનાલ સાથે કોઈ લેવા દેવા નથી તેવા ગામોને પણ પુરા જેતપુર તાલુકા સાથે જોડી દેવાય છે. પરિણામે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં અને નહીવત વરસાદથી આવા તમામ ગામોનો ખેડૂતોના ખેતપાક નિષ્ફળ જતા હોવા છતાં અને વીમા પ્રીમીયમ ભર્યા હોવા છતાં ખેડૂતોને પાકવીમો મળતો નથી. જે વાત ખેડૂતો માટે પાયમાલી સમાન છે.
સુનીલભાઈ કહે છે કે સરકાર વીમા પ્રીમીયમમાં સુધારા વધારા કરવા કે ઓછું કરવા માંગે છે તે વાત આવકાર્ય છે. પણ જે ગામોને પાકવીમો મળતો નથી કે અપાતો નથી તેવા ગામોનો સર્વે(ક્રોપ એનાલીસીસ) અલગથી કરવામાં આવે તો "સુંકા ભેગું લીલુ ના બળે" અને ખેડૂતોને ન્યાય પણ મળે.
કશ્યપ જે. જોશી જેતપુર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો