અનુયાયીઓ

સોમવાર, 25 જાન્યુઆરી, 2016

જેતપુરમાં બાંધકામ શાખાની મીઠી નજર તળે.... સરકારી નિયમોને નેવે ચડાવી જિરાફ જેવડા બેરોકટોક બાંધકામો રોકવા માંગ..

જેતપુરમાં બાંધકામ શાખાની મીઠી નજર તળે....

સરકારી નિયમોને નેવે ચડાવી જિરાફ

જેવડા બેરોકટોક બાંધકામો રોકવા માંગ..

પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ જ કર્યા અનેક આક્ષેપો !

જેતપુર તા.૨૫

જેતપુરમાં સરકારી નિયમોને નેવે ચડાવી, સ્થાનિક બાંધકામ શાખાની અમી દ્રષ્ટી તળે ચાલતા મહાકાય બાંધકામો તાકીદે અટકાવવા પાલિકા સદસ્ય અશોક મંગલાણી એ માંગ કરી છે.

 

મળતી વિગતો મુજબ જેતપુર પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ એક ફરિયાદ કરતા જણાવ્યું છે કે હાલના દિવસોમાં જેતપુર શહેરમાં સરકારી નિયમોને ઠેબે ચડાવી અનેક જગ્યાએ બેરોકટોક જિરાફ જેવડા બાંધકામો ચાલી રહ્યા હોય સંબંધિતો દ્વારા વ્યાપક ગેરરીતી આચરાઈ રહી છે.

 

કારણ જેતપુરમાં સરકારી નિયમો મુજબ ત્રણ માળથી વધુ કોઈ બાંધકામ કરી શકાય નહિ. અને આજની તરીકે અનેક નાના અને નબળા લોકોના બાંધકામની અનેક અરજીઓ પેન્ડીંગ પડી હોય, મંજુર ના કરાતી હોય, તો ચાલુ દિવસોમાં મોટા મોટા બાંધકામો કેમ કરી શકાય ? આ વાતમાં સંબંધિતો સામેલ છે કે બિલ્ડરોની પૈસાના જોરે દાદાગીરી ? તે વાત તપાસવા અરજદારની માંગ છે.

અત્રે એ પણ નોંધનીય છે કે જેતપુર શહેરમાં ચાલતા આવા ગેરકાયદેસર બાંધકામો તાત્કાલિક રોકાવવા છેક રાજકોટ ખાતે કલેકટરને રજુઆતો કરાઈ છે. આમછતાં આ પ્રશ્ન કોઈ ધ્યાને ના લેતું હોવાનું સાબિત થઇ રહ્યું છે. બીજી બાજુ પાલિકાના અમુક સુત્રોનું કહેવું છે કે વખતોવખત આવા ગેરકાયદેસર ચાલતા બાંધકામો વાળા આસામીઓને નોટીસો ફટકારાઈ છે. પણ માત્ર નોટીસોથી જ નહિ કડક અમલવારી અમલી બનાવાય તો  "ઘર ફૂટે ઘર જાય"  તેવી કહાવત મુજબ ત્રણ માળથી ઉપરના ગેરકાયદેસર બાંધકામો માટે પાલિકાના ક્યાં સત્તાધીસે કેવું  હિત સાધ્યું ? તે વાત બહાર આવ્યા વગર નહિ રહે તેવું અશોક મંગલાણી જણાવે છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 



ટિપ્પણીઓ નથી: