અનુયાયીઓ

સોમવાર, 4 જૂન, 2012

તા.૧૦-૦૬-૨૦૧૨ સુધીમાં અમરેલી જિલ્લાા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના પ્રશ્નો મોકલી આપવા

જિલ્લાો કક્ષાએ કલેકટરશ્રી અને અન્યુ અધિકારીઓની હાજરીમાં ફરિયાદ નિવારણ
કાર્યક્રમ દર મહિને યોજાય છે. ચાલુ મહિને તા.૨૮.૦૬.૨૦૧૨ને ગુરૂવારના રોજ
સવારે ૧૧-૦૦ કલાકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરીના વિડીયો
કોન્ફલરન્સઅ રૂમ ખાતે યોજાનાર છે. જેમાં અરજદારની રૂબરૂમાં લોકપ્રશ્નો કે
ફરિયાદના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આથી જિલ્લારમાં આવેલ સરકારી કચેરીઓમાં વારંવાર રજૂઆતો કરવા છતાં નિકાલ ન
આવતો હોય તેવી પડતર માંગણી/પ્રશ્નો કે ફરિયાદ અંગેની અરજીઓ આધાર પુરાવા
સાથે કલેકટર કચેરીની રજીસ્ટ્રી શાખાને તા.૧૦.૦૬.૨૦૧૨ સુધીમાં મોકલી આપવા
જાહેર જનતાને જણાવવામાં આવે છે. અરજદારે એક અરજીમાં એક જ પ્રશ્ન રજૂ
કરવાનો રહેશે. જાહેર રજાના દિવસો સિવાય રૂબરૂ અથવા પોસ્ટન મારફત અરજી
મોકલી શકાશે. અરજીમાં અરજદારે ફોન અથવા મોબાઈલ નંબર અચૂક લખવા પણ અનુરોધ
કરવામાં આવે છે. જિલ્લા્ કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન લેવા
પાત્ર હશે તો જ કાર્યક્રમમાં હાજર રહેવા અરજદારને પોસ્ટાથી જાણ કરવામાં
આવશે. તેમ કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયુ

ટિપ્પણીઓ નથી: