અનુયાયીઓ

સોમવાર, 4 જૂન, 2012

સૂરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની સમીક્ષા બેઠક યોજાઇઃ

સૂરતઃ સૂરત જિલ્લામાં આદિવાસી વિસ્તાબરોમાં વિકાસના કામો સંદર્ભે આદિજાતિ
વિકાસ મંડળની સમીક્ષા બેઠક આજરોજ કામરેજ સુગર ફેકટરી ખાતે જિલ્લાના
પ્રભારી અને વનમંત્રીશ્રી મંગુભાઈ પટેલની અધ્ય ક્ષતામાં યોજાઇ હતી.
આ બેઠક અન્વકયે ગત ત્રણ વર્ષોના બાકી કામો, શરૂ કરવાના કામ તેમજ પ્રગતિ
હેઠળના વિકાસકામો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ
કહ્યું કે, ચોમાસાની ઋતુ પહેલા બાકી રહેલા તેમજ પ્રગતિ હેઠળના વિકાસ કામો
બિનજરૂરી વિલંબ વગર સત્વમરે પૂર્ણ કરવાની જે તે અધિકારીઓને સૂચના આપી
હતી. આરોગ્યિ, શિક્ષણ, સિંચાઈની સગવડો, રસ્તા ઓ વગેરેને લગતી સમસ્યાંઓની
પુર્તિ માટે વર્તમાન નાણાકીય વર્ષના વિકાસકામો ઝડપથી સમયમર્યાદામાં પૂર્ણ
થાય તેવા પ્રયાસો હાથ ધરવાની જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને
સુચનાઓ આપવામાં આવી હતી. એટીવીટી અંતર્ગત કરવાના કામો તેમજ
લેપ્ટોેસ્પાનયરોસીસ રોગ અંગે જરૂરી આયોજન કરીને તેને લગતા પગલાઓ લેવાની
સમીક્ષા પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાતય પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી
એ.જે.શાહ, ટ્રાયબલ પ્લા્ન માંડવીના પ્રાયોજના વહીવટદારશ્રી દેવાંગ દેસાઈ,
પ્રાંતશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ
ઉપસ્થિટત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: