અનુયાયીઓ

સોમવાર, 4 જૂન, 2012

જિલ્લાર રોજગાર કચેરી-અમરેલી દ્વારા સંરક્ષણ ભરતી પૂર્વે નિવાસી તાલીમનું આયોજન જિલ્લારભરના ૭૨ સશક્ત યુવાનો જોડાયા

જિલ્લાર રોજગાર કચેરી-અમરેલી દ્વારા સંરક્ષણ ભરતી પૂર્વે નિવાસી તાલીમનું આયોજન
જિલ્લારભરના ૭૨ સશક્ત યુવાનો જોડાયા
અમરેલી
યુવાનોમાં સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દીનો અભિગમ કેળવાય અને યોગ્યૂ
માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી રાજ્યભરમાં સંરક્ષણ ભરતી પૂર્વે તાલીમનું
આયોજન કરવામાં આવે છે. અમરેલી જિલ્લાવ રોજગાર અધિકારીશ્રી મુકેશભાઇ
વસાવાના માર્ગદર્શન તળે અમરેલી જિલ્લાર રોજગાર કચેરી દ્વારા પ્રજ્ઞા વિનય
મંદિર-અમરેલી ખાતે સ્વાામી વિવેકાનંદ સંરક્ષણ પૂર્વ ભરતી નિવાસી તાલીમનું
આયોજન કરવામાં આવ્યુર છે. આ નિવાસી તાલીમમાં અમરેલી જિલ્લાનના ૭૨ સશક્ત
યુવાનો જોડાયા છે.
રોજગાર અધિકારીશ્રી મુકેશભાઇ વસાવાએ જણાવ્યુો હતુ કે, સંરક્ષણ ક્ષેત્રે
વધુમાં વધુ યુવાનો જોડાય અને આ માટે યોગ્યર તાલીમ ઘરઆંગણે મેળવી શકે તેવા
શુભાશયથી એક માસની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યુા છે. જેમાં આર્મી
નિવૃત મેજર ડૉ. એસ.કે. રોય તથા અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના વિષય
નિષ્ણાંાતો દ્વારા વિવિધલક્ષી તાલીમ આપવામાં આવે છે. આ પ્રકારની તાલીમ
ઓપન ભરતી મેળા-રેલીમાં અને આર્મી ભરતી પૂર્વે યોજાતી લેખિત તથા શારિરીક
કસોટીમાં ખૂબ ઉપયોગી નીવડશે. આગામી ૧૨ જૂનના રોજ અમરેલી ખાતે ભરતી મેળો
યોજાનાર છે.

ટિપ્પણીઓ નથી: