અનુયાયીઓ

શુક્રવાર, 25 મે, 2012

ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા લેખાંક ---૧ ડો.હિતેષ મોઢા

ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા લેખાંક ---૧ ડો.હિતેષ મોઢા
by DrHitesh Modha on Tuesday, May 17, 2011 at 10:02pm ·
મારા મોંઘેરામિત્રો,
આપણે જયારે હોય ત્યારે દેશમાં ચાલતા અંધાધુંધ ભ્રષ્ટાચાર પર બળાપા કાઢી
નેતાઓ ને કે શાષક કે વિપક્ષ કે ઉચ્ચ અધિકારી કે સરકારી કર્મચારીને ગાળો
ભાંડીયે છીએ અને વિદેશના વખાણ કરીએ છીએ. ભલે ને પછી આપણે એક વાર પણ
વિદેશી ધરતી પર પગ ના મુકયો હોય, કોઈએ આપણા દેશના રોગોનુ કે ભ્રષ્ટાચાર,
કે અરાજકતાનુ અન્વેષણ કર્યુ છે????
નેતા એવા જ મળે જેવો સમાજ હોય ???? ખરુ કે નહી????? આ બધા નેતા ને
ચુંટીને કોણ મોકલે છે????અન્ના હજારે જેવા એકાદ લોકો જન આંદોલન કરે છે
ત્યારે જોડાય જાયે છીએ. કે પછી બાબા રામદેવ હોય... ભારત ભરના લેખકો
પત્રકારો અલગ અલગ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે આયનો ધરે છે....અલગ
અલગ દિશામાં આપણે સૌ મંડી પડયા છીએ.... ક્યાય મંઝિલ એક નથી કે નથી એક
રસ્તો. ઘણા બધા પત્રકાર અને ક્રાંતિ કારી વિચારકોની મહેનત એળે જાય છે
રોજ, એ નફામાં.


શિક્ષણ ખાતમાં ભ્રષ્ટાચાર જોયો કે શિક્ષકોને ગાળો અને શાપ.. ન્યાય
તંત્રમાં ભ્રષ્ટાચાર જોયો કે વકીલ તથા માન્યવર જજોને ગાળો ને શાપ ..
પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર જોયો કે પોલીસ અધીકારીઓને ગાળો અને શાપ આવુ
પ્રત્યેક ખાતામાં આપણે જોઈ એ છીએ અનુભવીએ છીએ .....કાળુ નાણુ ડામવા
જંત્રીના ભાવ વધારવા પડે છે....આ કાળા નાણાને હિસાબ માં લાવવા જાત જાતની
કવાયત કરવી પડે છે સરકારને... અરિંમ ચૌધરી જેવા મેનેજમેન્ટના બકવાસ
પાઠ શિખડાવી દેશના લોકોને ગુમરાહ કરે છે તે નફામાં.... આ ઉપરાંત સીબીઆઈ
ના વડાના નંબર જાહેર હિત માટે જાહેર થયા છે કેટલાએ આ બાબત નો લાભ લીધો
કેટલા લોકો દેશ માટે આગળ આવ્યા???????? તેમ જ RTI જેવો કાયદો પણ અમલી
બન્યો છે તેનો કેટલા લોકોએ લાભ લીધો ???????????? કોઈ એ વિચાર્યુ કે કાળા
નાણાનુ મુળ છે ૩૦ ટકા ઈન્કમ ટેક્ષ અને અનેક પ્રકારના આડકતરા વેરાઓ ....
સરવાળે ૪૦ થી ૫૦ ટકા વેરા ચુકવવાના આવે છે. તો બધાને એવુ નથી લાગતુ કે
આવડા મોટા દેશમાં વહીવટ અતિ સરળ અને સગવડ પુર્ણ બની રહે તે માટે એક જ
વેરો હોવો જોઈએ .... સિંગાપોર માફક ફક્ત ત્રણ જ ટેબલ
---૧) ૯ ટકા પાંચ લાખ સુધી
---૨) ૮ ટકા પાંચથી ૨૫ લાખ સુધીની આવક માટે
---૩) ૭ ટકા ૨૫ લાખથી શરુ...આવક સુધી...
અને બાકી કોઈ પણ પ્રકારના ટેક્ષ જ નહી બાકી ના ટેક્ષ ન ભરાતા આવક તો
વધવાની છે ને. આ ટેક્ષ માંથી અમુક હિસ્સો સ્થાનિક અમુક હિસ્સો રાજ્ય ,
અમુક હિસ્સો કેન્દ્ર અને અમુક હિસ્સો વિમા અને પેન્શન માં જવો જોઈ એ બધી
જ બેન્ક આ ટેક્ષના ભરણા સ્વીકારતી હોવી જ જોઈ એ .આમાં બધાનો સમાવેશ થઈ
જવો જોઈ એ ભીખારી કે મંદિર, આશ્રમ કે સામાન્ય માણસ કે ધનવાન.... કલ્પના
કરો એક સાથે ૨૨ કરોડ લોકો ટેક્ષ ભરશે.... તો જ દેશ પ્રત્યે નિષ્ઠાનો જન્મ
થશે. ( આ એક ઉદાહરણ છે)
કોઈ ઉદ્યોગપતિ એ ટેક્ષ વેરાઓ ને લઈ ને કોઈ આંદોલન કર્યુ છે???? કેમ નહી
અને શા માટે નહી ?????શુ તેઓ ભારતના વાસી નથી શું તેઓ પરગ્રહથી આવેલ
છે... અતિ મોટા ઉદ્યોગગૃહને ક્યા કોઈ પ્રશ્ન છે... એ તો ચુંટણી ફંડ આપી
પોતાના ફાવતા નિયમો બનાવી ટેક્ષ ભરી અને ભાવ વધારીને લોકોને લુટતા
રહેશે!!!!!!!! ખરુ ને. કોઈ એ આડકતરા વેરા સામે પણ આંદોલન કર્યુ છે??? શા
માટે નહી ???? કારણ વહીવટી કાયદાઓની એટલી બધી ગુંચ છે કે સીએ અને IT
વકીલની મદદ વિના સમજી જ ના શકાય અને ગુંચ કોણે વધારી અને શા માટે વધી ???
વેપારીઓ એ ક્યારેય આ બાબતે અહિંસક આંદોલન નો રાહ પક્ડયો છે????????


શિક્ષણ અને શૈક્ષણિક રોજગારીમાં કેટકેટલી અસમાનતા છે. ડોનેશન સીટ, જ્ઞાતિ
વાદ આધારીત સીટ સરકારી ક્વોટા, NRI ક્વોટા, ત્યાર બાદ મેરીટ .... અહી પણ
ક્યા અસમાનતા છે ત્યાર બાદ માધ્યમોને લઈ ને ફીઝની મગજ મારી અંગ્રજી
માધ્યમમાં સરેરાશ ફી મહિને ૩૦૦૦ થી......... લઈ શકાય છે જ્યારે પ્રાદેશિક
ભાષાની શાળામાં ફક્ત ૩૦૦ થી ૫૦૦ મહ્તમ છે આથી બધો ઝોંક ઈંગ્લીશ શાળા તરફ
જ વધ્યો.. આવી ને અસમાનતા.... તેમજ સીલેબસ ને લઈ ને આખા ભારતમાં અસમાનતા,
ઉપરથી બે બે બોર્ડ. હવે આપણે જોઈ એ પ્રથમ સોપાનથી છાત્ર આટઆટલી
અસમાનતાનો ભોગ બને છે તો સમાન વિચાર ધારા ક્યાંથી બનશે?? ક્યાંથી દેશ
પ્રત્યે પ્રચંડ ઈચ્છા શક્તિ પેદા થશે.... રાષ્ટ્ર ભાષાના ઠેકાણા જ
નથી.....યુનિવર્સીટીઓ ના તો નંબર કે કોઈ રેગ્યુલરી એક્ટના તો સરનામા ના જ
પુછો.


સરકારી અને ખાનગી ક્ષેત્રે પગારમાં જમીન આસમાનનો તફાવત ... લઘુતમ વેતન
ધારો ફક્ત કાગળ પર જ છે ફરી એક વધુ અસમાનતા, બાળ મજુરી અને નેપાળ અને
બાંગ્લાદેશી મજુરો ને લઈ ને સમસ્યા.......

મેડીકલ ક્ષેત્રને લઈ ને અનેક સમસ્યા અને અસમાનતા કોઈ ચાર્જ નુ ફિક્ષ ધારા
ધોરણ જ નહી આનાથી વધુ ઈન્ડ. નિયમોમાં ઈસ્પેક્ટર રાજ અને ઉદ્યોગપતિ ની
વચ્ચે સાઠમારી...
ટ્રાવેલ્સ અને સરકારી પરિવહન વચ્ચે અસમાનતા બેંક ક્ષેત્રે વિમા ક્ષેત્રે,
ઓટો મોબાઈલ , રીયલ એસ્ટેટ અને બાંધકામ અને નગર પાલિકાના નિયમ ભંગ
ક્ષેત્રે. ટ્રાફિક નિયમન,બેંક ક્ષેત્રે
વગેરે વગેરે એવુ એક પણ ક્ષેત્ર બાકી નથી કે જેમાં વહીવટી સરળતા હોય અને
નિયમોનુ ચુસ્ત પણે પાલન થતુ હોય. (કદાચ ભ્રષ્ટાચાર ખાતામાં સમાનતા હોય
શકે) સરકારની યાને આપણી લાખો ટન શાહી અને કાગળનુ પાણી થાય છે. લાખો
માનવશ્રમ એળે જાય છે.
સરેરાશ ભારતિય જીવે ત્યાં સુધીમા અનેક નાની મોટી બેઈમાની કરી ને ૧૭૪
પ્રકારના નિયમોનુ ભંગ કરી ટેશથી જીવે છે, અને ઉપરથી કહે છે કે સરકાર લબાડ
છે...હેલ્મેટના કાયદાનો ભંગ કરી બેફામ થઈ વાહન ચલાવી પોતે મરે છે અને
બીજાને તબીબી સારવારના અભાવે કે અપુરતા લોહીના પુરવઠાથી મારશે.છાપામાં
હોબાળો થશે કે બ્લડ બેન્ક માં લોહી નહોતુ. ગટરમાં હાજતે બેસશે અને
સ્વચ્છતાના પાઠો ભણાવશે ઘરે ટોઈલેટ હોવા છંતા તો અહી શુ સરકાર ટીસ્યુ
લઈને આવે પાછળ પાછળ ...જ્યાં હોય ત્યાં ગંદકી ફેલાવવી અને પાનની પીચકારી
મારવી ... પોતાના બેડરૂમ કે કિચનમાં કેમ પીચકારી નથી મારતા ???અતિ ધનાઢ્ય
લોકો ઓછા માર્કસ વાળા સંતાનોને તગડા ડોનેશન વાળી બેઠક પર શા માટે ભણાવે
છે??? એફએસસાઈ ના નિયમ કે પાલિકા નિયમ વિપરીત બાંધકામ ખરીદી કોર્ટે
ચડ્શે, લાયકાત તો સમજો આવી નાની મોટી અનેક ભ્રષ્ટાચારી ક્રિયા-પ્રક્રિયા
આપણે જીવન દરમ્યાન જોઈ જ છીએ..અને આવી બધી બાબત નો દોષ સરકારના માથે
ચડાવશુ. આટલુ ઓછુ હોય ત્યાં ઉપરથી દાઢી વાળા ફાવાઓ (તથાકથિતલે ભાગુ સંતો)
અને તેના મસ મોટા આશ્રમ (ત્યાં ૮૦ C એક્સ્મસનનો લાભ મળે બેઉ તરફે
કહેવાની જરુર છે ખરી? )અને ઉદ્યોગ પણ ચાલુ છે હજુ નવા નવા આશ્રમો ખુલે જ
છે રોજે રોજ.


મિત્રો આ તો ટ્રેલર રૂપે જ બતાવ્યુ છે. ભારતિય પ્રજા એ જાગૃતિનો કોઈ
ચોક્ક્સ રાહ પકડયો છે?????? ચાર આંધળા અને હાથી વારી જ કરે છે.... આટ
આટલા ભ્રષ્ટાચારનુ કારણ શુ??? શુ ભ્રષ્ટાચારને ફેલતો અટકાવો જોઈ એ કે
ભ્રષ્ટાચારને ઉત્પન્ન કરતી ફેકટરીને બંધ કરવી જોઈ એ ??? અભિપ્રાય
આવકાર્ય છે.અને આ જ કથા વિષય પર

ડો.હિતેષ મોઢા

ટિપ્પણીઓ નથી: