અનુયાયીઓ

રવિવાર, 17 જૂન, 2012

ચાર પૈંડાવાળી લારી નહીં પણ ચાર પૈંડાવાળી ગાડી રાખતા થાય તેવું શિક્ષણ આપવા હિમાયત સુરાશામળ ગામના કન્યા કેળવણી મહોત્સવમાં દાતાઓનું પણ સન્માન

ચાર પૈંડાવાળી લારી નહીં પણ ચાર પૈંડાવાળી ગાડી રાખતા થાય તેવું શિક્ષણ
આપવા હિમાયત
સુરાશામળ ગામના કન્યા કેળવણી મહોત્સવમાં દાતાઓનું પણ સન્માન
વડોદરા
શિનોર તાલુકાના માલસર, સુરાશામળ, શિનોર, મોટા ફોફળિયા અને સીમળી ગામોની
પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવોમાં
શકિતકૃપા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જિતુભાઈ પટેલ, ગામની
પ્રાથમિક શાળામાં ભણીને કેળવીણકાર તરીકે નામાંકિત બનેલા મનુભાઈ પટેલ અને
જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી સચિન પટેલે પ્રાથમિક શાળાઓ
અને આંગણવાડીઓમાં નવો પ્રવેશ મેળવનારા ભૂલકાંઓને હેતપૂર્વક આવકાર્યા હતા.
આ પ્રસંગની સાથે જ જિલ્લા ઉઘોગ કેન્દ્ર સંચાલિત માનવ કલ્યાણ યોજનાના
લાભાર્થીઓને શાકભાજીની ફેરી તેમજ દૂધ-દહીં વિતરણ કીટસનું લાભાર્થીઓને
વિતરણ કરતાં શ્રી જિતુભાઈ પટેલે વિઘાર્થીઓ ભણે-ગણે અને ચાર પૈંડાવાળી
લારીને બદલે ચાર પૈંડાવાળી ગાડી રાખતાં થાય તેવું સક્ષમ શિક્ષણ આપવાની
ભારપૂર્વક ભલામણ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે નવો પ્રવેશ મેળવનારાઓને દફતર તેમજ
શૈક્ષણિક સાધનો રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં ૧૫૦૦
નોટબુકસની સખાવત કરનારા કેળવણીકાર મનુભાઈ પટેલ, કંપાસ ઈત્યાદિ શૈક્ષણિક
સાધનો આપનારા તાલુકા પંચાયત સદસ્ય શેરખાન સિન્ધી અને સ્ટીલ પ્લેટસની ભેટ
આપનારા ફૈઝયંગ સર્કલના પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ
ઉપરાંત તેજસ્વી તારલાઓનું અભિવાદન અને માનવ કલ્યાણ યોજનાના ૦૬
લાભાર્થીઓને પ્રત્યેકને રૂા. ૫૦૦૦/- ની રોજગારલક્ષી કીટસનું વિતરણ
કરવામાં આવ્યું હતું.
અગાઉ શાળામાં દાખલ થનારા બાળકોને કોઈ આવકારતું ન હતું તેની યાદ દેવડાવતા
શ્રી જિતુભાઈએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીએ કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવ દ્વારા સરસ્વતી સાધના શરૂ કરનારા ભૂલકાંઓને હૂંફ અને સ્નેહની
અનુભૂતિ કરાવી છે. શ્રી જિતુભાઈ પટેલે વિકાસની ખાતરી માટે ભાવીપેઢીને
સુશિક્ષિત કરવા પર ભાર મૂકયો હતો. નાયબ પશુપાલન નિયામક ડૉ કે.બી.બસોની
અને ડાયટના પ્રાધ્યાપક બેલા શાહ પણ ભૂલકાઓના સ્વાગતમાં જોડાયાં હતા.

ગ્રામીણ શાળામાં ભણતું એકપણ બાળક શિક્ષણમાં પાછળ ન રહી જાય તે જોવાની
જવાબદારી સમાજ નિભાવે
- ધરોલિયા (ભી) ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો -
વડોદરા
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે
ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશ્નનર શ્રીમતી જયંતી રવિએ વડોદરા જિલ્લાના
જેતપુર-પાવી તાલુકાના ધરોલીયા(ભી) ગામે ત્રણ ભૂલકાંઓને પહેલા ધોરણમાં
પ્રવેશ કરાવતા જણાવ્યું કે ગામના શિક્ષણ લેતા બાળકોના લેખન વાંચનમાં
રહેલી ત્રુટિઓ દૂર કરી આ ભૂલકાંઓને શ્રેષ્ઠ રીતે લખતાં વાંચતા શીખવવામાં
આવે. શિક્ષણ માટે યોગ્ય જાગૃત્તિના અભાવથી બાળકો શિક્ષણમાં પાછળ રહી જાય
છે ત્યારે પ્રત્યેક ગ્રામીણજન બાળકોને શિક્ષણમાં શ્રેષ્ઠ બનાવવામાં
સામાજિક ઋણ અદાયગી કરવા સહિયારી જવાબદારી નિભાવે.
ગ્રામીણ બાળકો શિક્ષણમાં અગ્રેસર બનશે તો ગુણોત્સવમાં ગ્રેડ મેળવવામાં
પાછળ રહી નહિ જાય અને એ ગ્રેડ મેળવશે તો તેમનું શૈક્ષણિક પરિણામ ઉજ્જવળ
બનશે. આ માટે ગામમાં ભણેલા વડીલોની વિગત મેળવી બાળકો શિક્ષણમાં દુર્લક્ષ
ન સેવવા પરંતુ તેને સાચા અર્થમાં વ્યાપક બનાવવા અનુરોધ કરતાં જો શિક્ષિત
વ્યકિત ખેતી પણ કરશે તો સારી રીતે કરશે. ગામનું પ્રત્યેક બાળક સ્નાતક
કક્ષા સુધી ભણે તે માટે ગ્રામજનોના સહકારની અપેક્ષા વ્યક કરી હતી.
પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા શિક્ષણમાં બદલાવ લાવી શિક્ષક શાળા સમય
પહેલાં અને શાળા સમય પૂર્ણ થયાં બાદ શાળામાં રોકાઈને બીજા દિવસના
અભ્યાસનું આયોજન કરે તે જરૂરી છે. જેથી શાળાના તમામ બાળકોમાં રહેલી છૂપી
શકિતઓને ખીલવવાની તક મળશે બાળકોને હૂંફ અને સ્નેહ દ્વારા સંસ્કાર સિંચન
અને શૈક્ષણિક કારકિર્દીના ધડતરમાં તેનું પ્રતિબિંબ ઝીલાશે. બાળકોના
શૈક્ષણિક સ્તરને ઊંચું લાવવાથી જ ગુણોત્સવ જેવા મહત્ત્વના કાર્યક્રમને પણ
સફળતા મળશે.
જેતપુરપાવી તાલુકાના ધરોલીયા ગામે યોજાયેલા કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવ દરમિયાન ઉચ્ચશિક્ષણ સચિવ શ્રીમતી જયંતી રવિએ પહેલા ધોરણમાં
પ્રવેશ પામેલાં બાળકોને શૈક્ષણિક કીટસનું વિતરણ કર્યું હતું. જયારે
શ્રેષ્ઠ પરિણામ મેળવનાર પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમના બાળકોને
કંપાસબોક્ષ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ચોથા ધોરણમાં ભણતાં બાળકોએ સમગ્ર કાર્યક્રમનું
સંચાલન કરવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતાં શ્રીમતી જયંતી રવીએ
બિરદાવ્યાં હતો.
પ્રાથમિક શિક્ષણના બાળકોને દરરોજ નાવીન્યપૂર્ણ શિક્ષણ આપવામાં આવે
બાળકોને વાર્તાઓ, અભિનય અને ઈતર પ્રવૃતિઓ તરફ વાળી તેમની શકિતઓ ખીલવવામાં
આવે - ઉચ્ચ શિક્ષણકમિશનર શ્રીમતી જયંતી રવિ
વડોદરા
વડોદરા જિલ્લાના વનાંચલ જેતપુરપાવી તાલુકાના ભીંડોલ ગામે કન્યા કેળવણી
અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ સચિવ શ્રીમતી જયંતી
રવિએ આંગણવાડીમાં સાત બાળકો અને પંદર બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ
કરાવવા સથે ઓરડાનું લોકાર્પણ કર્યું હતું.
શ્રીમતી જયંતી રવિએ શાળાના શિક્ષકગણનો પરિચય કરતાં શિક્ષણ આપવાની પદ્ધતિ
કયો વિષય ભણાવે છે, ભણાવવામાં બાળકોને રસ પડે વગેરે જેવા પ્રશ્નો શાળાના
બાળકોને પૂછતાં બાળકોએ તેમના વાત્સલ્યસભર શિક્ષકો માટે હકારાત્મક
પ્રત્યુત્તર આપ્યા હતા.
તેમણે શિક્ષકોને શિક્ષણ સાથે ઈતર પ્રવૃતિઓ દ્વારા બાળકોમાં રહેલા
કૌશલ્યને ખીલવવા માર્ગદર્શક બનવા અનુરોધ કરતાં શાળાના બાળકોને દરરોજ નવી
નવી પ્રેરણાદાયી વાર્તા કથન અને ગીતોથી સભર બનાવવા સૂચવ્યું હતું.
શ્રીમતી જયંતી રવિએ બાળકોને લખતાં વાંચતા અને ગણિત ગણતા આવડે તે માટે
શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય ગ્રામજનોને તથા વાલીઓને સંપૂર્ણ સહયોગ આપવા
હાકલ કરતાં શાળામાં અનિયમિત બાળકને શાળા શિક્ષણમાં જોતરવા તેના વાલી તથા
બાળકને શિક્ષણ પ્રેરિત ખાસ ભાર મૂકયો હતો.
ભીડોલ ખાતે પહેલા ધોરણમાં પ્રવેશ પામેલા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ
કરતાં મોં મીઠું કરાવ્યું હતું. જયારે આંગણવાડીના બાળકોને દાતાઓ દ્વારા
મેળવાયેલાં રમકડાં અને ચોકલેટસ આપી હતી. આ પ્રસંગે સગર્ભા અને ધાત્રી
માતાને સુખડી અને શીરાના પેકેટસનું વિતરણ કર્યું હતું. પહેલા ધોરણમાં
પ્રવેશ મેળવનાર બાલિકાના વાલીઓને વિઘાલક્ષ્મી બોન્ડ સાથે ધોરણ સાત પાસ
કરનાર બાલિકાના વાલીઓને પાકેલા વિઘાલક્ષ્મી બોન્ડની રકમના ચેકસનું વિતરણ
કર્યું હતું.
ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગના પ્રોજેકટર કો-ઓર્ડિનેટર શ્રી વિક્રમ
ગોહેલએ પ્રાથમિક શિક્ષણ પદ્ધતિને ભાર વિનાનું બનાવવાના અભિયાનરૂપ અભિનય
ગીત રજૂ કરી બાળકોને પ્રેરણા આપી હતી.
ભીડોલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીમતી
જયંતી રવિ સાથે ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગના ખાસ ફરજ પરના અધિકારી
શ્રી ચેતનભાઈ ચૌહાણ, પ્રોજેકટ કો-ઓર્ડિનેટર સર્વશ્રી ધર્મેશભાઈ રામાનુજ,
વિક્રમભાઈ ગોહિલ, સચીનભાઈ પટેલ, ગ્રામજનો વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહયા
હતા.


ગ્રામ શાળાઓમાં ભણતા ધગશવાળા વિઘાર્થીઓ ઉચ્ચ શિક્ષણના સોપાનો સર કરી શકે છે
સેગવાની પ્રાથમિક શાળામાં વરિષ્ઠ આઈએએસ અધિકારી મુકેશ પુરીએ ભૂલકાંઓને આવકાર્યા
વડોદરા
વરિષ્ઠ આઈએએસ અધિકારી અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ (જીયુવીએનએલ)ના
પ્રબંધક નિર્દેશક શ્રી મુકેશ પુરીએ શિનોર તાલુકાના નાનકડા સેગવા ગામની
૧૦૬ વર્ષ જુની પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનારા ભૂલકાંઓને આવકાર્યા હતા.
આ પ્રસંગે આંગણવાડી માટે રમકડાં વિતરણ કરવામાં આવ્યા હતા. નવો પ્રવેશ
મેળવનારાઓને દફતર ઉપરાંત દાતાશ્રી ચેતનભાઈના સહયોગથી શૈક્ષણિક સાધનોની
ભેટ આપવામાં આવી હતી અને ધો.૨થી ૬ના તેજસ્વી વિઘાર્થીઓને સન્માનવામાં
આવ્યા હતા. આ વિઘોતેજક કાર્યમાં પક્ષ પદાધિકારીશ્રી સુરેશભાઈ પટેલ, સરપંચ
અને ઉપસરપંચશ્રીએ શ્રી પુરીને સહયોગ આપ્યો હતો.
ખાનગી પ્રાથમિક શાળાઓની સરખામણીમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં વિઘાર્થીદીઠ
શિક્ષકોનું પ્રમાણ વધુ હોય છે અને શિક્ષકોની શૈક્ષણિક લાયકાતો વધુ સારી
હોય છે તેનો ઉલ્લેખ કરતાં શ્રી પુરીએ જણાવ્યું હતું કે ગ્રામ શાળાઓમાં
ભણતા ધગશવાળા બાળકો ઉચ્ચશિક્ષણના સોપાનો સર કરી શકે છે. એટલે શિક્ષકો
શિક્ષણની ગુણવત્તા જાળવે તેમણે ગ્રામિણ વાલીઓને શાળાઓની નિયમિત મુલાકાત
લેવા, શાળાના વિકાસમાં સહયોગ આપવા અને શિક્ષણની ગુણવત્તા પર નજર રાખવા
ખાસ અનુરોધ કર્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાતના આયોજનોને પગલે રોજગારીની વિપુલ
તકો સર્જાઈ છે ત્યારે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મેળવનારાઓનું ભવિષ્ય ઉજજવળ
બનશે તેવો સંકેત તેમણે આપ્યો હતો. આ પ્રસંગે ઉચ્ચશિક્ષણ મેળવનારી ગામની
દીકરી પિ્રયંકા પટેલનુ઼ સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી સુરેશભઈ પટેલ ગુજરાતના વિકાસ માટે શિક્ષણની ઉચ્ચતમ સુવિધાઓ ઉપલબ્ધ
કરાવવા માટે મુખ્યમંત્રીશ્રી મોદીને અભિનંદન આપ્યા હતા અને વાલીઓ
સંતાનોના શ્રેષ્ઠ શિક્ષણ માટે તેનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.

ચૂંટણીપંચના નિરીક્ષક આજે મતદાર નોંધણીની સમીક્ષા કરશે અને નાગરિકોને મળશે
આજે તમામ મતદાન મથકો ખાતે નામ નોંધણી કરાવવા સહિતની સુવિધાઓ
વડોદરા
ભારતના ચૂંટણી પંચના દિશાનિર્દેશો પ્રમાણે હાલમાં મતદાર યાદીની સંક્ષિપ્ત
સુધારણાના ભાગરૂપે મતદારોની નામ નોંધણી, નામમાં ભૂલોની સુધારણા, નામો કમી
કરવા અને વિધાનસભા વિસ્તારની ફેરબદલ ઈત્યાદિ કામગીરી ચાલી રહી છે. ચુનાવ
આયોગે આ કામગીરીના નિરીક્ષણ માટે વરિષ્ઠ સનદી અધિકારીઓની મતદારયાદી
નિરીક્ષક (રોલ ઓબ્ઝરવર) તરીકે નિયુકતિ કરી છે. તેના ભાગરૂપે વડોદરા શહેર
જિલ્લા માટે સનદી અધિકારીશ્રી આર.એલ.મોપાલવર (આઈએએસ)ની ચૂંટણીપંચે
નિયુકતિ કરી છે. શ્રી મોપાલવર રવિવાર તા.૧૭/૦૬ના રોજ મતદાર નામ નોંધણી
અભિયાનની કામગીરીની સમીક્ષા કરવાની સાથે આ બાબતમાં નાગરિકોને મળી શકશે.
મુલાકત ઈચ્છકોને સાંજના ૪.૦૦થી ૫.૦૦ વાગ્યા સુધી સર્કિટ હાઉસ વડોદરા ખાતે
ઉપસ્થિત રહેવા જણાવાયું છે. તેમનો મોબાઇલ નં. ૦૮૧૦૮૫૩૩૩૩૩ છે.

મતદારયાદીની સુધારણા હવે વધુ એક સપ્તાહ ચાલશે - નાગરિકો લાભ લેવાનું ન ચૂકે
વડોદરા
મતદારયાદીની ખાસ સુધારણાનો કાર્યક્રમ તા.૧/૬/૧૨થી ૧૮/૬/૧૨ સુધી ચાલવાનો
હતો. જે કાર્યક્રમ ફેરફાર કરી હવે તેની સમયમર્યાદા તા.૨૭/૬/૧૨ સુધી
લંબાવવામાં આવી છે. જેમાં તા. ૧/૧/૧૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા
નાગરિકો નિયત ફોર્મ ભરી ઉંમર, રહેઠાણના પુરાવા તથા ફોટો વિગેરે રજૂ કરી
તેઓના નામો મતદાર યાદીમાં નોંધણી કરાવી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
વિનોદ રાવે આ એક સપ્તાહની લંબાવેલી મુદતનો લાભ લઈ નામ નોંધણી કરાવી લેવા
જણાવાયું છે.
ખાસ ઝૂંબેશ સ્વરૂપે તા. ૧૭/૬/૧૨ને રવિવાર તા. ૨૪/૬/૧૨ને રવિવારના રોજ
તમામ મતદાન મથકો ઉપર પદનામિત અધિકારીઓ સવારના ૯.૦૦ કલાકથી સાંજના ૬.૦૦
કલાક સુધી સંકલિત મુસદૃાની પ્રસિધ્ધિ કરવામાં આવેલ મતદારયાદી જરૂરી ફોર્મ
સાથે હાજર રહેશે અને હકક દાવા, વાંધા અંગેની અરજીઓ સ્વીકારશે.
આ મતદાર તરીકે નોંધાયેલ છો કે કેમ ? તે અંગેની માહિતી
http://www.ceogujarat.nic.in વેબસાઈટ Search your name-Electoral Rool
ની લીન્ક ઉપર જોઈ શકાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, વડોદરાએ
જણાવ્યું છે.
બે પૈંડાવાળા વાહનો માટે નવી નંબર સિરીઝ


વડોદરા ૧૬ જૂન, ૨૦૧૨ (શનિવાર) આરટીઓમાં બે પૈંડાવાળા વાહનો માટે તા.
૨૯/૬/૧૨ના રોજ જીજે-૦૬-એફ.જી. 1 થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સિરિઝ શરૂ
કરવામાં આવશે. જેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં કચેરીના
હેડકલાર્ક શ્રી કે.વી.બારીયા સમક્ષ તા. ૨૯/૬/૧૨ સાંજે પાંચ કલાક સુધીમાં
ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે. અરજદારે નિયત ફી રૂા. ૧૦૦૦/- કે તેથી
વધુ રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી
વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડર
સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે.
વાહન રજિસ્ટ્રેશનની તારીખથી તા. ૨૯/૬/૧૨ના રોજ ૩૦ દિવસ પૂર્ણ થયેલ હોય
તેવા અરજદારોએ પસંદગી નંબર માટે કરેલ અરજી વિચારણા હેઠળ લેવામાં આવશે
નહીં ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડર છ માસની અંદરનો હોવો જોઈએ તેમજ સ્માર્ટ
ઓપ્ટિકલકાર્ડની ફી રૂા. ૨૦૦/- અલગથી ભરવાની રહેશે વિગતવાર માહિતી માટે
કચેરીનો સંપર્ક કરવો.


મૃતક ડાહ્યાભાઈ વસાવાના કુટુંબીજનો સંપર્ક કરે
વડોદરા ૧૬ જૂન, ૨૦૧૨ (શનિવાર) અંદાજે ૬૦ વર્ષની ઉંમરના ડભોઇ રોડ, સોમા
તળાવના નિવાસી ડાહ્યાભાઈ સોમાભાઈ વસાવાને બિમાર હાલતમાં તા. ૧૭મી મેના
રોજ એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ વાડી નાની
શાકમાર્કેટ પાસેથી બિમાર હાલતમાં મળી આવ્યા હતા. આ માંદગીગ્રસ્તનું
સારવાર દરમિયાન શુક્રવાર તા. ૮/૦૬ના રોજ મરણ થયું છે. તેના વાલીવારસોને
તાત્કાલિક વાડી પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: