અનુયાયીઓ

સોમવાર, 14 ડિસેમ્બર, 2020

માળીયા હાટીના સમસ્ત સમાજ માં ભભૂકીયો રોષ

માળીયા હાટીના એક તાલુકા નું સ્થળ છે. અંદાજીત 4 કી. મી. માં પથરાયેલ છે. અહીં સૂર્ય ગંગા ઘાટ આવેલ છે. અને ત્રિવેણી સંગમ નદી છે. ત્યાં સ્વામીનારણ ભગવાને સ્નાન પણ કરેલ છે. બહાર ના ઘણા હરિ ભક્તો અહીં સ્નાન કરવા અને દર્શન કરવા આવે છે. માળીયા હાટીના તાલુકાનું સ્થળ હોવાથી અહીં સુવિધા નામે મીંડું છે અહીં અંતિમ રથ સુવિધા નથી અને સ્મશાન ખુબજ બિસ્માર હાલત માં છે. આ બાબત છેલ્લા ઘણા સમય થી બજાર માંલોકો મુખે ચર્ચા થઈ રહી છે કે હાલ સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો ને શુ ખબર નથી? માળીયા હાટીના માં સ્મશાન માં સુવિધા માં શુ ઘટે છે? હરેક સમાજ ના માણસ નાત જાત ના ભેદભાવ વગર એકજ રસ્તે જવાનું હોય છે. સા માટે કોઈ સામાજિક આગેવાન કે રાજકીય આગેવાનો આ બાબતે ધ્યાન દેતા નથી ચૂંટાયેલા પ્રતિનિધિ રૂપિયા મળે તેમાજ ગ્રાન્ટ ફાળવે છે. ? અગાઉ એક આગેવાન દ્વારા એક વર્ષ માટે અંદાજીત 500000/ ની ગ્રાન્ટ વાઇફાઇ વાપરવા માટે આપી હતિ પરંતુ આ ગ્રાન્ટ મીની અંતિમ રથ અથવા માળીયા હાટીના સ્મશાન માટે આપી હોત તો કાયમ લોકો યાદ કરતા હોત
છેલ્લે માળીયા હાટીના માં સૌ પ્રથમ મુસ્લિમ આગેવાન ના સરપંચ બન્યા ત્યારે ચાર્જ સાંભળતા માળીયા હાટીના હિન્દૂ સ્માશન સારી કામ ગિરી થઈ હતી ત્યારબાદ કોઈ પણ માળીયા હાટીના સ્મશાન કામ થયું નથી જ્યારે ચોમાસુ આવે ત્યારે ખાટલી ઉપર પાણી પડે છે.ત્યારે ચિતા પણ ઠરી જાય છે. અને માળીયા હાટીના મોટા વિસ્તાર માં પથરાયેલ હોવાથી અંતિમ રથ ન હોવાથીલોકો ને સમશાને મૃતદેહ ને પોહચડવા ખુબજ મુશ્કેલ પડે છે.અંતિમ રથ ના હોવાથી માળીયા હાટીના ની પ્રજા માં ભભૂકીયો રોષ જૂનાગઢ જીલ્લા નું તાલુકા નું ગામ માળીયા હાટીના છે તો એક સારું સ્મશાન નથી કે અંતિમ રથ નથી હાલ ઘણા નાના ગામ માં પણ સારા સ્મશાન છે. તોહવે જોવાનું રહેશે કે માળીયા હાટીના સારું સ્મશાન નિર્માણકરવા અને અંતિમ રથ માટે આવિસ્તાર ના સંસદ સભ્ય રાજેશ ભાઈ ચુડાસમા, ધારાસભ્ય બાબુ ભાઈ વાજા અને ચૂંટાયેલા નાના મોટા આગેવાનો અને સામાજિક કાર્યકરો આગળ આવશે ? તે જોવાનું રહેશે જો રાજકીય આગેવનો ને રસ ન હોય તો આવનારા દરેક સમાજ ના મોભી આગેવનો આગળ આવે ગ્રામજનો ની મિટિંગ બોલાવી સ્મશાન સારું બનાવવા અને અંતિમ રથ માટે સારો નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ બહાર ગામ ના લોકો જ્યારે સ્મશાન(મુક્તિ ધામ) ની મુલાકાત લઈ ત્યારે રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યોકરો, દરેક સમાજ ના આગેવાની ની એક નોંધ લેવાય છે. સુ કોઈ કોઈ જવાબદાર વ્યક્તિ સારું કામ કરવા વાળા નથી ? તેના માટે માળીયા હાટીના નો આબરૂ સવાલ થઈ રહ્યો છે જરાક કુદરત નો ખોપ રાખો દરેક ને એકજ રસ્તે જવાનું એટલે મુક્તિ ધામ માં આમા કોઈ એ પણ જાત ના પક્ષા પક્ષી વિના સાથે મળી કામ કરવું જોઈએ તેવી માળીયા હાટીના ની જાહેર જનતા ની બુલંદ માંગ છે. માળીયા હાટીના સ્મશાન અને અંતિમ રથ માટે ગ્રામજનો એ અને આગેવાનો સારો લોકફાળો ભેગો કરી માળીયા હાટીના ના સરપંચ નટવરસિંહ સીસોદીયા ને આપી સારું બનાવવા સાથ સહકાર આપવો જેથી માળીયા હાટીના સારું સુવિધા વાળુ સ્મશાન અને અંતિમ રથ લઈ શકે આ વિકાસ ના કામ સૌ સાથ આપવા સહ રિપોર્ટર પ્રતાપ સીસોદીયા માળીયા હાટીના મો.7575863292

ટિપ્પણીઓ નથી: