LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 12 ડિસેમ્બર, 2020
શ્રી હરિ ઓમ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમના ૭૦ વર્ષના વૃધ્ધનું સિવિલમાં અવસાન થતા તેમનો સામાન પરત કરતા કર્મચારીઓ
રાજકોટ -કોરોનાથી સંક્રમિત અમારા વૃધ્ધાશ્રમના ૭ લોકોને સિવિલ તેમજ કોવીડ સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે. જેમાંના કેટલાક વૃધ્ધ દર્દી સજા થઈ વૃધ્ધાશ્રમ ખાતે પરત ફર્યા છે. ૭૦ વર્ષના હરિભાઈ હંસરાજભાઈ વેકરીયાનું સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયું હતું. હરિભાઈ હોસ્પિટલમાં દાખલ થયા તે સમયે તેમણે પહેરેલી ઘડિયાળ, રૂ. ૧૯૨૦ તેમજ અન્ય સામાન જમા કરાવ્યો હતો. સિવિલના સભ્યોએ આ સામાન તેમજ રોકડ રકમ અમોને પરત કરી તેમની માનવતાની મહેંક પ્રસરાવી હોવાનું શ્રી હરિ ઓમ વૃધ્ધાશ્રમના સંચાલક જોશીબાપાએ સિવિલના સ્ટાફનો આભાર માનતા ભીના હ્ર્દયે જણાવ્યું છે.
શ્રી હરિ ઓમ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમ ખાતે હાલ ૯૦ થી વધુ વૃધ્ધો આશરો લઈ રહયા હોવાનું જોશીબાપા જણાવે છે. જે પૈકી ૭ સભ્યોને કોરોના થતા તેમને સિવિલ તેમજ કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. દાદાની ઉંમરના કારણે તબિયત નાદુરસ્ત રહેતી હોવાની અને તેઓ કેટલીક દવાઓ લેતા હોવાનું જોશીબાપા જણાવે છે.
સિવિલ ખાતે સારવારમાં કાર્યરત ડો. ઝાટકીયાએ જણાવ્યું હતું કે, જયારે કોઈ દર્દી અહીં દાખલ થાય ત્યારે તેમનો સામાન એક થેલીમાં અમે લઈ તેના પર તેમનું નામ, એડ્રસ તેમજ કોન્ટેક્ટ નમ્બર રાખીયે છીએ. જયારે દર્દી ડિસચાર્જ થાય ત્યારે તેમને તેમનો સામાન અમે પરત કરી દઈએ છીએ.
રાજકોટ સિવિલ ખાતે દર્દીઓની સારવાર સાથોસાથ ભોજન અને અન્ય જરૂરી તમામ પ્રકારની સુવિધા અર્થે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો