અનુયાયીઓ

સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015

જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાંથી શ્રદ્ધાળુઓના તડફડાવેલા 9 મોબાઈલ ને રોકડ સાથે ગોંડલની ત્રિપુટીને જેતલસર નજીકથી ઝડપી લેતી તાલુકા પોલીસ


જેતલસર તા.16
જેતપુર તાલુકા પોલીસે આજે સાંજે જુનાગઢના શિવરાત્રીના મેળામાંથી મેળો માણવા આવેલા શ્રદ્ધાળુઓના મોબાઈલ ચોરીને જેતપુર તરફ આવતી ગોંડલની તસ્કર ત્રિપુટીને જેતપુર તાલુકા પીએસઆઈ કરમટીયા સહિતના સ્ટાફે ઝડપી લઇ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ આજે સાંજે છ વાગ્યે જેતપુર તાલુકા પોલીસના ફોજદાર કરમટીયા, સ્ટાફના ભુરાભાઈ, ગૌત્તમભાઈ, મજનુભાઈ જેતલસર નઝીક ચોકી ધાર પર ઉભી કરાયેલ ચેક પોસ્ટ ઉપર વાહનો ચેક કરતા હતા.
આવા સમયે જુનાગઢ તરફથી આવતી જીજે 7વી 5149 નંબરની ઓટો રિક્ષાને રોકી તલાશી લેતા પોલીસે જુદી જુદી કંપનીના 9 મોબાઈલ(કી.રૂ.50000) તથા રૂ.4050-00 રોકડ મળી આવતા પોલીસે રીક્ષામાં બેઠેલા 3 તસ્કરો સામે લાલ આંખ કરતા આ તસ્કર ત્રિપુટીએ તેઓના નામ વિજય પરેશ પરમાર-કોળી, સાગર રામજી દેવીપુજક તથા અનીલ કિશોર દેવીપુજક(રહે.ત્રણેય ગોંડલ)ના હોવાની કબુલાત આપતા પોલીસે રોકડ તેમજ મોબાઈલ કબજે લઇ ત્રણેયને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

બોક્સ: શીવરાત્રીના મેળામાંથી મોબાઈલ ચોર્યા !
જેતપુર : જીવમાં શિવ એવી ભક્તિથી જૂનાગઢમાં લાખો શિવભકતો કીડીયારુની માફક ઉમટી પડ્યા છે. ત્યારે ચિક્કાર ગીર્દીનો લાભ લઇ ઉપરોક્ત તસ્કર ત્રિપુટીએ શિવરાત્રીના મેળામાં આવેલા શ્રદ્ધાળુઓના મોબાઈલ તડફડાવ્યા હોવાની કબુલાત આપી હોવાનું ફોજદાર કરમટીયાએ જણાવ્યું હતું..
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર 9974262812
 

ટિપ્પણીઓ નથી: