વીરપુરની પરિણીતા ભેદી સજોગોમાં ગુમ
જેતપુર તા.16
જેતપુરના વીરપુર ગામેથી ગત મોડી રાત્રીના એક પરિણીતા ભેદી સંજોગોમાં ગુમ થયાની તેણીના સાસુએ વીરપુર પોલીસમાં જાણ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિરપુરના રાધાકૃષ્ણ નગરની શેરી નં.1 માં, શાંતિભાઈ કોળીના મકાનમાં રહેતા અજયભાઈ રામભાઈ આહીર ગઈકાલે ડમ્પર લઈને ઉપલેટા રેતી ભરવા ગયા હતા. પાછળ તેમની પત્ની કૃપાબેન (ઉ.વ.22) એકલા હતા. દરમિયાન ઉપલેટાથી પરત આવી અજયે તપાસ કરતા જીવનસંગીની ક્યાય ના દેખાતા બધે તપાસ કરી હતી. છતાં ક્યાય પત્તો ના લાગતા હંશાબેન રામભાઈ આહીર(રહે.રાજકોટ) એ પોતાની પુત્રવધુ ગુમ થયાની વીરપુર પોલીસમાં જાણ કરતા એએસઆઈ બી.એ.વાઘેલાએ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો