રાજકોટ તા.9
તા.18/4/2018ને બુધવારના રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના પૂર્વજ એવા ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ નિમિતે બ્રહ્મદેવ સમાજ, રાજકોટના યુવા અને મહિલા પાંખ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.13થી તા.17 સુધી ભવ્ય પંડાલ તેમજ રોજ સાંજે 8 કલાકે કિશાનપરા ચોક, રાજકોટ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તા.14ને શનિવારના રોજ 40 કલાકારો દ્વારા ભગવાન પરશુરામના જીવન ચારિત્ર પર જીવંત નાટક રજુ કરવામાં આવશે.
ત્યારબાદ તા.15ને રવિવારના સાંજે 4 કલાકે વેદ માતા ગાયત્રીધામ, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી કિશાનપરા ચોક સુધી ઐતિહાસીક ભવ્ય બાઈક રેલીનું આયોજન રાખવામાં આવ્યું છે તેમજ રાત્રે 8 કલાકે કિશાનપરા ચોક ખાતે 1008 દિવડાની મહાઆરતી સુપ્રસિધ્ધ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ ધરાવતા મનોજભાઈ મહાઆરતી દ્વારા કરવામાં આવશે. રાત્રે 9 કલાકે મહાપ્રસાદનું રાખેલ છે. તા.16ના સોમવારના રોજ મહિલા પાંખ દ્વારા ડાંડીયા રાસ તા.17ના બહેનો દ્વારા રંગોળી તથા મહાઅન્નકુટ દર્શન તેમજ રાત્રે 9 કલાકે સંતવાણી ભરતભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચીવ મીલનભાઈ શુકલ તથા ગુજરાત અધ્યક્ષ ભારતભાઈ જાની, યુવા ઉપપ્રમુખ વિરલભાઈ ભારદ્વાજ દ્વારા તથા ક્ધવીનર બંકીમભાઈ મહેતા, નિલેશભાઈ મહેતા તથા બ્રહ્મદેવ સમાજના ખજાનચી લલીતભાઈ ઘાંધીયા તથા બ્રહ્મદેવ સમાજના તમામ યુવા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
તા.18/4/2018ને બુધવારના રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના પૂર્વજ એવા ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ નિમિતે બ્રહ્મદેવ સમાજ, રાજકોટના યુવા અને મહિલા પાંખ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.13થી તા.17 સુધી ભવ્ય પંડાલ તેમજ રોજ સાંજે 8 કલાકે કિશાનપરા ચોક, રાજકોટ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તા.14ને શનિવારના રોજ 40 કલાકારો દ્વારા ભગવાન પરશુરામના જીવન ચારિત્ર પર જીવંત નાટક રજુ કરવામાં આવશે.
ત્યારબાદ તા.15ને રવિવારના સાંજે 4 કલાકે વેદ માતા ગાયત્રીધામ, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી કિશાનપરા ચોક સુધી ઐતિહાસીક ભવ્ય બાઈક રેલીનું આયોજન રાખવામાં આવ્યું છે તેમજ રાત્રે 8 કલાકે કિશાનપરા ચોક ખાતે 1008 દિવડાની મહાઆરતી સુપ્રસિધ્ધ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ ધરાવતા મનોજભાઈ મહાઆરતી દ્વારા કરવામાં આવશે. રાત્રે 9 કલાકે મહાપ્રસાદનું રાખેલ છે. તા.16ના સોમવારના રોજ મહિલા પાંખ દ્વારા ડાંડીયા રાસ તા.17ના બહેનો દ્વારા રંગોળી તથા મહાઅન્નકુટ દર્શન તેમજ રાત્રે 9 કલાકે સંતવાણી ભરતભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચીવ મીલનભાઈ શુકલ તથા ગુજરાત અધ્યક્ષ ભારતભાઈ જાની, યુવા ઉપપ્રમુખ વિરલભાઈ ભારદ્વાજ દ્વારા તથા ક્ધવીનર બંકીમભાઈ મહેતા, નિલેશભાઈ મહેતા તથા બ્રહ્મદેવ સમાજના ખજાનચી લલીતભાઈ ઘાંધીયા તથા બ્રહ્મદેવ સમાજના તમામ યુવા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો