ડીસીબીએ વાહનચોરની હાથ ધરી પૂછપરછ
રાજકોટ તા.૧૦
ભૂતકાળમાં દારૂ પીવાના, દારૂ વેંચવાના અને ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા રામનાથપરાના શખ્શને વધુ એક વખત ગઈકાલે ડીસીબીને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે ડીસીબી પોલીસ કાફલો ગુનેગારોને શોધવાની કવાયતમાં હતો ત્યારે જમાદાર ભરતભાઈ વનાણી, પુષ્પરાજસિંહ પરમાર અને યુવરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, રામનાથપરાનો વસીમ અશરફભાઈ મુલતાની નામનો શખ્શ એક ચોરાઉ બાઈક સાથે નીકળવાનો છે.
આવી બાતમી બાદ વોચમાં રહેલી ડીસીબી પોલીસ સ્ટાફે ચુનારાવાડ ચોકમાંથી પસાર થયેલા વસીમને બાઈક સાથે ઝડપી લઇ તપાસ કરતા તેમની પાસેથી પકડાયેલું બાઈક ચોરાયા અંગેની પ્રદ્યુમન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હોય, બાઈક ચોરીનો આ ગુનો ઉકેલાઈ ગયાનું ડીસીબીના પીઆઈ એચ.એમ.ગઢવી જણાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો