અનુયાયીઓ

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2015

જેતપુર ખાતે આત્મજનોને રૂા. ૮.૦૦ લાખના ચેક અર્પણ કરતાં પાણી પૂરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા

 

જેતપુર ખાતે આત્મજનોને રૂા. ૮.૦૦ લાખના ચેક અર્પણ કરતાં

પાણી પૂરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા

(કશ્યપ જોશી દ્વારા ) જેતલસર (જેતપુર ) તા.7

સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિવૃષ્ટિ થતાં જેતપુર તાલુકાની ભાદર નદીના વિસ્તારમાં ઘોડાપૂર આવતા જેતપુર તાલુકાના અમરનગર ગામના સ્વ. બાબુભાઇ મોરબીયા તથા જેતપુર ગામના સ્વ.મનસુખભાઇ રોકડનું દુઃખદ અવસાન થયેલ. જેમના આત્મજનો હંસાબેન બાબુભાઇ મોરબીયા (રહે. અમરનગર)ને રૂા. ૪.૦૦ લાખ તથા નિમુબેન મનસુખભાઇ રોકડ (રહે. જેતપુર) રૂા.૪.૦૦ લાખ મળીને કુલ રૂા.૮,૦૦,૦૦૦/- (આઠ લાખ)ના સહાયના ચેકનું આજરોજ માન.રાજયકક્ષા મંત્રીશ્રી જયેશ રાદડીયા (પ્રવાસન અને પાણી પૂરવઠા) ના હસ્તે મામલતદાર કચેરી, જેતપુર  ખાતે અર્પણ કરવામાં આવેલ.

પ્રસંગે  જયેશ રાદડીયા, માન.રાજકયક્ષા મંત્રી(પ્રવાસન અને પાણી પુરવઠા), રમાબેન  મકવાણા પ્રમુખ, નગરપાલિકા જેતપુર, નિતાબેન ગુંદારીયાપ્રમુખ, પ્રમોદ  ત્રાડાસદસ્ય,  જેતપુર નગરપાલિકા, દિનકરભાઇ ગુંદારીયા,  જે. એમ. ભોરણીયામામલતદાર, જેતપુર,  બી. એમ. વ્યાસ-ચીફ ઓફીસર, જેતપુર,ડી. વી. ધેડાટી.ડી.., જેતપુર,  નિખિલ મહેતાસર્કલ ઓફીસર, જેતપુર વિગેરે હાજર રહી સરકારની સરાહના કરી હતી ઉપસ્થિત રહેલ હતાં

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી: