પંચાયત તંત્ર પાણીનો નિકાલ કરાવે તે જરૂરી
જેતલસરના ગાયત્રીનગરમાં ગંદકીયુક્ત
ખાબોચિયાથી લત્તાવાસીઓ ત્રસ્ત
જેતલસર તા.22
જેતલસરના ગાયત્રીનગરમાં એક જગ્યાએ ગંદકીયુકત પાણીના ભરાયેલા ખાબોચિયાથી લત્તાવાસીઓ ત્રાસી ગયા છે.
આ બાબતે પેઇન્ટર અર્જુન થાપલીયા સહિતના લોકોની ફરિયાદ છે કે જેતલસરમાં ડેડરવા રોડ પર આવેલ ગાયત્રીનગરમાં છેવાડાના ભાગે આખા લત્તાનું ગંદકીયુક્ત પાણી જમા થતું હોય, આ ભયંકર બેસુમાર દુર્ગંધ ફેલાવતા ખાબોચિયાથી આજુબાજુના રહીશોને ભારે યાતના ભોગવવી પડે છે. આ બાબતે પંચાયત તંત્રને અવારનવાર ફરિયાદ કરાઈ હોવા છતાં કોઈ કામગીરી ના થતી હોવાનો લાત્તાવાસીઓનો આક્ષેપ છે.
ત્યારે ખરાબ પાણીના ભરાવાથી સર્જાયેલ ગંદકીયુકત ખાબોચિયાને તાકીદે બુરાવી પંચાયતસુત્રો પાણીના નિકાલની વ્યવસ્થા હાથ ધરી ફેલાતા રોગચાળાને અટકાવે તેવી અર્જુન થાપલીયા સહિતના લોકોની માંગ છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર 99742 62812




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો